SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાગ્વાટવંશ—વિભૂષણ મંત્રીશ્વર વિમલ શાહ આમ તે વિસનાં કાર્યોને કણ ભૂલ ગૂર્જરેશ્વર ભીમદેવના દંડનાયક તરીકે અનેક યુદ્ધો લડીને ગુજરાતની સીમા વધારનાર, તેમ જ આબૂ ઉપર કલાત્મક જિનપ્રાસાદ બંધાવીને ગુજરાતની કીર્તિને સંસારભરમાં ફેલાવનાર મંત્રીશ્વર વિમલ શાહને કણ ભૂલી શકે? જેનઇતિહાસમાં એનાં કાર્યો સુવર્ણાક્ષરે લખાશે. વિમલમંત્રી આમ તો વિદ્યાધરગચ્છને શ્રાવક હતે. એ ગરછ અંચલગચછને પ્રાદુર્ભાવ થતાં, તેમાં ભળીને વલ્લભીશાખા કે વલ્લભીગચ્છ એવા નામે પટાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયે. એટલે અંચલગચ્છીય સાહિત્યમાં તે વિમલમંત્રીને “અંચલગચ્છીય શ્રાવક-શિરેમણિ”, “વિમલ વિધિપક્ષમાં સવા”, “વિધિપક્ષ-શ્રાવકકુલ-તિલક” વગેરે ઉપમા અપાઈ છે, જે ઉપર્યુક્ત સંદર્ભમાં ઉપયુક્ત ગણાશે. વિમલમંત્રી વિશે પ્રાચીન રાસાઓ, પ્રબંધ આદિ સાહિત્યમાંથી ઘણું ઘણું જાણી શકાય છે. અંચલગચ્છીય-સાહિત્યમાં પણ એના વિશે પ્રચુર પ્રમાણે ઉપલબ્ધ થાય છે. અલબત્ત, એ બધું અપ્રકટ સ્વરૂપે રહ્યું હોઈને તેની હકીકત ઉપર ઝાઝે ઉહાપેહ ન થાય એ સ્વાભાવિક છે. અહીં અંચલગચ્છીય સાહિત્યને આધારે વિમલમંત્રીને પરિચય પ્રસ્તુત છે. વિમલમંત્રીના પૂર્વજ શ્રેષ્ઠી નરસિહ વિશે અંચલગચ્છની પટ્ટાવલીમાં આ પ્રમાણે ઉલલેખ છેઃ કાશ્યપગેત્રીય, પ્રાગ્વાટવંશીય તે શેઠ શ્રીમાલનગરમાં વસતે હતે. બાર કરેડ દ્રવ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy