SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠી યશોધન ભણશાલી [ ૧૫ રાજને વિશ્વાસુ હતું. સિદ્ધરાજે તેને સહસ્ત્રલિંગ તળાવના બાંધકામને વરિષ્ઠ અધિકારી નિમ્યો હતો. એની કાર્યદક્ષતાથી પ્રસન્ન થઈને રાજાએ તેને વિ. સં. ૧૧૭૪ માં માતર પાસેનું ભલેજ ગામ બક્ષિશમાં આપ્યું હતું. એ ગામમાં મંત્રીવયે એક તળાવ અને બાર કૂવાઓ બંધાવ્યાં હતાં. પાછળથી રાજા સાથે કોઈ કારણવશાત્ અણબનાવ થતાં મંત્રી ભાટા મંડપદૂર્ગમાં જઈને વસેલે. કોંકણ અંતર્ગત પારાપત્તનના કટિવજ શ્રેષ્ઠી દાહડ, જેને સિદ્ધરાજ જયસિંહ સાથે ઘરેબે હતા, તે પણ અંચલગચ્છનો મોટા ઉપાસક બન્યા. શ્રેષ્ઠી દાહડે રાજા સિદ્ધરાજને એક લાખ ટંક મૂલ્યને હીરાજડિત હાર ભેટરૂપે આપેલ અને તેના પુત્ર જેસિંગકુમારને રાજાએ બેટા કહીને બોલાવે ઈત્યાદિ વિશે પ્રાચીન ગ્રન્થોમાં વિગતવાર વર્ણન છે. જેસિંગકુમારે આર્યરક્ષિતસૂરિ પાસે થરાદનગરમાં જઈને દીક્ષા અંગીકાર કરેલી અને તેને જયસિંહમુનિ નામાભિધાન પ્રાપ્ત થયેલું. પાછળથી તેઓ આર્ય રક્ષિતસૂરિના અનુગામી પટ્ટધર થયેલા અને “લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક એવું ગૌરવાન્વિત બિરુદ તેમને પ્રાપ્ત થયેલું. આ રીતે અંચલગચ્છને વ્યાપ કૂદકે ને ભૂસકે વિસ્તરત રહ્યો. અનેક નૃપતિઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીવ એના અનુયાયીઓની પંક્તિમાં ઉમેરાતા ગયા. ત્યાગીઓને પરિવાર પણ વૃદ્ધિગત થતું ચાલ્યું. પટ્ટાવલી અનુસાર આર્ય રક્ષિતસૂરિને ત્યાગી-પરિવાર આ પ્રમાણે હતેઃ ૧૨ આચાર્ય, ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૨૧૦૦ સાધુ, ૧૦૩ મહત્તરા સાધ્વી, ૮૨ પ્રવત્તિની સાધ્વી, અને ૧૧૩૦ સાધ્વીજીઓ. જયસિંહ સૂરિના આધ્યાત્મિક શાસનમાં તે આ શિષ્ય-પરિવાર અને શ્રાવક સમુદાય દ્વિગુણ થયેલ. ઉત્તરોત્તર અંચલગચ્છની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy