SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રસાગરસૂરિ ગાદીવારસ થવાની યેગ્યતાવાળા શિષ્યની શેધમાં જ હતા, અને આમ અનાયાસે એવા પ્રતિભાસંપન્ન શિષ્યને ભેટે થઈ ગયે. જબ સંઘની સમ્મતિપૂર્વક તેમણે જેસિંઘકુમારને પિતાના શિષ્ય તરીકે સ્વીકારી લીધા. કલ્યાણજીભાઈ કૃતકૃત્યતા અનુભવતા સ્વસ્થાને પાછા ફર્યા. વિ સં. ૧૯૩૬માં આ પ્રસંગ બન્યા. જેસિઘકુમાર શ્રી પૂજ્યજીને વહરાવી દેવામાં આવ્યો છે એમ જ્યારે બાળકના માતા લા છબાઈ અને મામા ખીમરાજભાઈએ જાણ્યું ત્યારે તેઓ બહુ જ નારાજ થયાં. ઘરમાં રકઝક ચાલી. કડવાશ જમી. ગુસ્સામાં ભાઈ–બહેને કચ્છમહારાઓશ્રી પાસે ધા નાખવા ભૂજને રસ્તો લીધે. વાતાવરણ ક્ષુબ્ધ બને એમ હતું. કિન્તુ ભૂજના નગરશેઠે સમયસૂચકતા દર્શાવીને પરિસ્થિતિને થાળે પાડી. ભાઈ-બહેનને નગરશેઠે વિસ્તારથી ચર્ચા-વિચારણા કરીને સમજાવ્યું કે આ કાર્ય નારાજ થવા જેવું નથી, પણ ખુશી થવા જેવું છે. ભાઈબહેનને તેમની રજૂઆતે પ્રભાવિત કર્યા અને મહારાઓશ્રી પાસે ધા નાખવાનું એમણે માંડી વાળ્યું. ભૂજથી પાછા વળતાં તેઓ જખૌ ગયાં. ત્યાં બાળકને મળ્યાં. જેસિંઘકુમારે અહીં રહેવામાં પોતાને આનંદ છે એમ કહ્યું. વિવેકસાગરસૂરિ તથા સંઘની સમજાવટથી માતા લાબાઈ તથા મામા ખીમરાજભાઈ આ વાત પરથી ઉતરી ગયાં અને જેસિઘકુમારને આશિષ આપી પોતાને ઘેર પાછા આવ્યાં જૂદી જ માન્યતા સાથે! કલ્યાણજીભાઈને એમના વિચારોમાં આવેલું પરિવર્તન ગમ્યું. બાળકને વહોરાવી દીધા પછી ઘરમાં રકઝક ચાલેલી ત્યારે તેમણે બહુધા મૌન જ સેવેલું. ઘીના ઠામમાં ઘી પડી જશે. થયું પણ એવું. આથી તેઓ હર્ષિત થયા. આ પ્રકરણનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy