SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ ગચ્છ-સમદર્શક નામ ગવદ્ધનકુમાર. બાળપણથી જ તે ઘણો ગુણવાન અને કાન્તિવાન હતું. શ્રીમંત કુટુંબમાં તેનું લાલન-પાલન થયું હોવા છતાં માતા-પિતાના ધર્મસંસ્કારથી તે સવિશેષ રંગાયે. એ અરસામાં જામનગરમાં જામ તમાચીનું રાજ્યશાસન હતું. ત્યાંની પ્રજા ઘણું સુખી હતી. રાજાને તથા પ્રજાને પ્રત્યેક ધર્મો પ્રત્યે સદુભાવ હતા. તેમની ધર્મ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાથી ત્યાં ભવ્ય મંદિરની શ્રેણી રચાઈ અને જામનગર છેટી કાશી નું બિરુદ પામ્યું. ત્યાંના શ્રેષ્ઠીવર્યો અને જિના. લએ જેન સંઘના ઇતિહાસમાં આગવાં સિમાચિહ્નો ચાં. અંચલગચ્છની ધમ–પ્રવૃત્તિનું તે અગત્યનું ધામ હતું. છતાં શ્રાવકે તો શાસનના ધુરંધર આચાર્યોને સત્કારવા ખડે પગે તૈયાર રહેતા એમને મન તેઓ પ્રથમ જૈનધર્મી હતા, પછી અંચલગચ્છીય, ખરતરગચ્છીય કે તપાગચ્છીય શ્રાવકો. સૌ હળીમળીને રહેતા અને ત્યાગીઓની નિર્મળ ઉપદેશ–વાણું ઝીલતા. આવા ઉચ્ચ વાતાવરણમાં બાળક વદ્ધનને ઉછેર થયે હોઈને તેના હદયમાં સર્વગરછ-સમદશિતાનાં ઉદાત્ત બીજ રોપાય એમાં નવાઈ શું ? અંચલગચ્છાધિપતિ વિદ્યાસાગરસૂરિ, જેઓ કછી પટ્ટધરોમાં સૌ પ્રથમ હતા, તેઓ કચ્છ અને હાલારમાં સવિશેષ વિચરતા. એમના ઉપદેશને પરિણામે આ પ્રદેશમાં ધર્મ– પ્રવૃત્તિની ભરતી જાગેલી. જામનગરનું રાજ્ય આમ તો “નાનું કચ્છ” જ કહેવાતું હતું. જામરાવળે કચ્છને તિલાંજલિ આપીને નવોદિત રાજ્યને પાયો નાખેલે ત્યારે કચ્છની રાજકીય ભૂળને નવું પરિમાણ પ્રાપ્ત થયેલું. જાડેજાઓની જેમ અનેક ઓસવાળે અને શ્રીમાળી જૈનેએ પણ માદરે વતન કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલારને પિતાનું પ્યારું વતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy