SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તરહિમ ૧૨ ] મહારાવ ગોડજી પ્રતિબંધક અનુરાગી હતા. તેમણે હરિપુરામાં ભવાનીના વડની પાસે જમીન લઈને ત્યાં અંચલગચ્છને ઉપાશ્રય બંધાવ્યું હતું. સુરતના એ અગ્રેસરેનું વર્ચસ્વ ભરૂચ અને આસપાસના ગામે ઉપર પણ ઘણું હતું. એ સમયના તપાગચ્છના આચાર્યો અને યશોવિજયજી ઉપાધ્યાય જેવા પ્રભાવક સાધુઓનાં ચેમામાં સુરત કરતાં રાંદેરમાં વધારે થયાં છે તેનું કારણ પણ અંચલગચ્છના પ્રચાર અને તેના વિસ્તારને આભારી હોવાનું ઉક્ત જૈનેતર વિદ્વાન સ્વીકારે છે. વિદ્યાસાગરસૂરિએ અંચલગચ્છનું સંગઠન ગુજરાતમાં વિશેષ સુદઢ કર્યું. દક્ષિણમાં પણ તેમણે ધર્મની પતાકા બધે લહેરાવી અને ત્યાંના શ્રાવકોને અંચલગચ્છની સામાચારી તરફ આકૃષ્ટ કર્યા એવી રીતે કચ્છમાં પણ તેમણે અંચલગચ્છનો મહિમા બધે વિસ્તાર્યો. એમના આધ્યાત્મિક નેતૃત્વને પરિણામે કચ્છમાં અનેક મુખ્ય ગામમાં અંચલગચ્છના શ્રમણોએ સ્થાપેલી પિશાળે અસ્તિત્વમાં આવી. મોટાં સ્થાનોમાં તો એકી સાથે જુદી જુદી શાખાઓના શ્રમની એકથી વધુ પિશાળે પણ પ્રસ્થાપિત થઈ. આ પિશાળામાં ચંદ્ર, શેખર, મેરુ, રત્ન, લાભ, સાગર ઈત્યાદિ શાખાઓએ ધર્મપ્રવૃત્તિ ઉપરાંત વિદ્યાપ્રવૃત્તિને પણ ઘણું ઉત્તેજન આપ્યું હેઈને તેમનું પ્રદાન સુવર્ણાક્ષરે લખાય એવું છે. આ પિશા એ કચ્છમાં વિદ્યાધામની ગરજ સારી. જ્યોતિષ, વૈદક, ભૂસ્તર, ગણિત, વ્યાકરણ, સ્થાપત્ય આદિ વિવિધ વિષયોનું તેમાં વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ અપાતું. અંધાર ખંડ જેવા તે વખતના કચ્છમાં ધર્મના નેજા હેઠળ જ્ઞાન-પ્રદીપ પ્રજજવલિત રાખવાનું શ્રેય અંચલગચ્છને જ સવિશેષ જાય છે, એમ તે સહુએ સ્વીકારવું જ પડશે. અર્વાચીન યુગમાં એ કાળની પોશાળે અને તેમની જ્ઞાન પ્રવૃત્તિની કલ્પના કરવી પણ જરા દુષ્કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com અને અસ્તિત્વમ શ્રમ
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy