SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ . સાગરસૂરિ શ્રી કલ્યાણસાગરસૂરિ [ ૧૩ કલ્યાણસાગરસૂરિ રાજમહેલમાં જે પાટ ઉપર બેઠા હતા તેને ગુરુપાટ જાણી તે ઉપર અન્ય કેઈ ન બેસે એ હેતુથી તેને અંચલગચ્છના ઉપાશ્રયમાં મોકલાવી દેવામાં આવ્યું, જે હજી ત્યાં વિદ્યમાન છે. મહારાવ ભારમલજીના કુંવર ભેજરાજજી પણ સૂરિના અનન્ય ભક્ત હતા. વાચક વિનયસાગરે એમની તુષ્ટિ માટે કલ્યાણસાગરસૂરિની આજ્ઞાથી સંસ્કૃતમાં ભેજવ્યાકરણ રચ્યું. જામનગરના રાજ લાખાજી પણ કલ્યાણસાગરસૂરિના ભક્ત હતા એમ તત્કાલીન પ્રમાણે દ્વારા જાણી શકાય છે. કલ્યાણસાગરસૂરિના શ્રાવકરને વર્ધમાન–પદ્મસિંહ શાહ જામનગરના મંત્રીઓ બનેલા એ વિશે ઉલ્લેખ થઈ ગયા છે. કલ્યાણસાગરસૂરિના ત્યાગી સાધુ-સાધ્વીજીના પરિવાર સંબંધમાં પ્રચુર પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ થાય છે. એમના વિશાળ પરિવારમાં આચાર્ય અમરસાગરસૂરિ ઉપરાંત મહોપાધ્યાય રત્નસાગરજી, મહોપાધ્યાય વિનયસાગરજી, વાચક દેવસાગરજી, વાચક મેલાભ, વાચક સુખલાભ, વાચક ભાવશેખર, વાચક વિજયશેખર, વાચક વિદ્યાસાગર, વાચક દયાસાગર, વાચક નયસાગર, વાચક દયાશીલ, વાચક જસકીર્તિ, વાચક રાયમલજી, વાચક ઉદયસાગર, વાચક સૌભાગ્યસાગર, વાચક લબ્ધિસાગર, વાચક સૂરસાગર, વાચક સહજસાગર, વાચક કમલસાગર, વાચક સમયસાગર, વાચક ચંદ્રસાગર, વાચક ધનરાજ, વાચક રત્નસિંહ, વાચક વીરચંદ્ર, પંડિત ગુણચંદ્રગણિ, પંડિત વિજયમૂર્તિગણિ, પંડિત લલિતસાગર ગણિ, પંડિત ગુણશીલ, વિવેકચંદ્ર ગણિ, ઉત્તમચંદ્ર ગણિ, વિજયચંદ્ર ગણિ, કીર્તિચંદ્ર ગણિ, સુમિતહર્ષ ગણિ, વિનયરાજ ગણિ, મતિનિધાન ગણિ, પદ્મસાગર ગણિ, શ્રુતસાગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy