SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયકીર્તિસૂરિ [ ૭ આબૂમાં દીક્ષા અંગીકાર કરી. વિ. સં. ૧૪૯૪ માં ગુરુએ તેમને ચાંપાનેરના રાજા ગંગદાસના વચનથી આચાર્ય પદે વિભૂષિત કર્યા. ગંગદાસનો કુંવર જયસિંહદેવ પતાઈ રાવળના નામથી પ્રસિદ્ધ હતો. પ્રાચીન ગ્રન્થકારોએ જયકેસરી સૂરિને પતાઈ રાવળ માન્ય” કહ્યા છે તે ઘણું સૂચક છે. ચાંપાગઢના મંત્રી જગરાજે તથા મંત્રીવર્ય હાથીએ અને એમના કુટું. બીઓએ જયકેસરીસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠા કરાવી હતી એ દ્વારા પણ ત્યાંના રાજવીઓ સાથે એમને સંપર્ક સૂ ચત થાય છે. જયેકેસરીસૂરિનો પાટોત્સવ પણ પાવાગઢમાં થયેલે. ચાંપાનેરના સંઘપતિ કાલાગરે એ પ્રસંગે પાવાગઢના શ્રી વીરજિનાલયમાં મેટો ઉત્સવ કર્યો હતે. આ સુપ્રસિદ્ધ જિનાલયમાં દર્શનદ્વારા પાવન થઈને અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિએ અંચલગચ્છનો સૂત્રપાત કરે એ ઘટના સુવિદિત છે. ત્યારથી અંચલગચ્છાધિપતિઓ સાથે પાવાગઢને સંપર્ક વિશેષ સુદઢ થતો ગયે. અમદાવાદના સુલતાનને જયકેસરીસૂરિએ ચમત્કાર દાખવેલે એ સંબંધમાં પટ્ટાવલીમાં એક પ્રસંગ વર્ણવ્યું છે. સુલતાન છ મહિનાથી તાવમાં પીડાતા હતા. અનેક ઉપાયે ક્ય છતાં તાવ મટયો નહિ. એ તાવને મંત્રપ્રભાવથી સૂરિએ દૂર કર્યો. આ ચમત્કારથી પ્રભાવિત થઈને સુલતાને અમદાવાદમાં ઝવેરીવાડમાં અંચલગચ્છીય શ્રમણ માટે ઉપાશ્રય બંધાવી આપે ઉક્ત સુલતાન તે મહિમંદ શાહ. અન્ય પટ્ટાવલીકારે છે એવું નંધ્યું કે ગુજરાતને સુલતાન અહમ્મદ સૂરિને શિષ્યપણે ભળે ! અન્ય પટ્ટાવલીમાં એ ઉલ્લેખ છે કે જયકેસરીસૂરિના વધતા જતા પ્રભાવથી અમદાવાદની મુલાને ઈર્ષ્યા જાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy