SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નામાં છે જેમાં સાકરણ વિશેનાલ મળી ર ૧૪] અનેક નૃપતિ પ્રતિબંધક અગાધ હતું તેની સાક્ષીરૂપે પણ એમના કેટલાક ગ્રન્થ છે. જેન તત્વદર્શનના તો તેઓ પારગામી હતા. શ્રમણના આચારસંબંધમાં પણ તેમણે લઘુ-શતપદીમાં લખ્યું છે. માત્ર કવિ, સાહિત્યકાર કે પંડિત તરીકે જ નહિ કિન્તુ વૈયાકરણી તરીકે પણ મેતુંગસૂરિનું નામ ઉલ્લેખનીય છે. એમના નામ ઉપ થી મેસતું વ્યાકરણ” નામક ગ્રન્થ પ્રાપ્ત થાય છે. જે દ્વારા તેમની વ્યાકરણકાર તરીકેની પ્રતિભાને ખ્યાલ મળી રહે છે. એમની ગ્રન્થસૂચિમાં વ્યાકરણ વિશેના ગ્રન્થની સંખ્યા સારા પ્રમાણમાં છે, જેમાં એમની કાતંત્ર બાલાવબોધ વૃત્તિ ખાસ નોંધનીય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ચરિત્રનાયકના સમય સુધી આ વ્યાકરણ લોકગ્ય રહ્યું હતું. મેરતુંગસૂરિને શિષ્ય-પરિવાર ઘણે વિશાળ હતો. એટલું જ નહિ, એમના સમુદાયના આચાર્યોએ પણ પોતાનાં સુકૃત્યાંથી નામના કાઢી અને ગચ્છનું તેમ જ શાસનનું નામ દીપાવ્યું છે એમના શિષ્ય પરિવારના કેટલાક આચાર્યોનાં નામે આ પ્રમાણે છેઃ જયકીર્તિસૂરિ, રત્નશેખરસૂરિ, માણિજ્યસુંદરસૂરિ, માણિક્યશેખરસૂરિ, મહીતિસૂરિ, મેરુનંદસૂરિ, ગુણ સમુદ્રસૂરિ, ભુવનતુંગસૂરિ, જયતિલકસૂરિ, કીર્તિસાગરસૂરિ, જયસાગરસૂરિ ઈત્યાદિ. પ્રમાણુ-ગ્રન્થોમાં ઉલ્લેખ છે કે મે તુંગસૂરિએ અણહિલપુર પાટણ, ખંભાત, જંબુ વગેરે સ્થાનમાં ૫૦૦ ભવ્ય જીવોને નવ દીક્ષિત કર્યા. તથા અનેકને આચાર્ય, ઉપાધ્યાય, વાચનાચાર્ય, પન્યાસ, મહત્તરા, પ્રવર્તિની પ્રસૃતિ પદ-સ્થાપિત કર્યા હતાં. ચરિત્રનાયકને સ્વહસ્તે પદસ્થાયિ થયેલાઓની સંખ્યા પંદરની પણ મળે છે. વિદ્યમાન પદધારકે તે જુદા જ. એમના આજ્ઞાવતિ વિશાળ ત્યાગી-સમુદાય વિશે રાસકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy