SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેતુંગસૂરિ વિધર્મીઓનાં ઝનની આકમણએ ભારતવર્ષમાં કેવી કઢંગી પરિસ્થિતિ સજેલી તેનું દર્શન પણ આવા પ્રસંગે દ્વારા થઈ શકશે. તેઓ ભારતના રાજ્ય-તંત્રને છિન્નભિન્ન કરવામાં સફળ થઈ શક્યા; કિન્તુ તેને સાંસ્કૃતિક-ધ્વજ તેમ જ ધર્મ–દવજને નમાવી ન શકયા. મેરૂતુંગસૂરિ સમેત વિવિધ ધર્મો અને સંપ્રદાયના અનેક પ્રણેતાઓના સામુહિક પ્રયત્નોને લીધે ભારતને આધ્યાત્મિક વારસો જાળવી શકાય છે, જેનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે. ટૂંકમાં આવા નાના–મોટા પ્રસંગે એ વાતનું સૂચન કરે છે કે ભારત રાજકીય રીતે પરાધીન થયું, કિન્તુ આધ્યાત્મિક દૃષ્ટિએ તે અજેય જ રહ્યું, જેનું શ્રેય તત્કાલીન આધ્યાત્મિક ધુરંધરેને ફાળે જાય છે. બાહડમેર સંબંધમાં બીજે પણ એક પ્રસંગ બન્યું. ત્યાં લઘુ પિશાળનાં દ્વાર પર એક સાત હાથ લાંબે સર્ષ આવીને ફત્કાર કરવા લાગ્યું. એ વિકરાળ સપને જોઈને સાધ્વીઓ નાસભાગ કરવા લાગ્યાં. તેમણે મેરૂતુંગસૂરિને આ અંગે સૂચન કર્યું. કહેવાય છે કે આચાર્યના મંત્ર-પ્રભાવથી એ સાપ સ્થભિત થઈ ગયે. એક વખતે આચાયે વિ. સં. ૧૪૬૪ માં સાચોર નગરમાં ચાતુર્માસ કર્યું. એ વખતે કઈ બાદશાહ વિશાળ સૈન્ય સહિત નગર ઉપર ચડાઈ કરવા આવી રહ્યો હતો. શહેરીઓ એના ભયથી પાસ નાસભાગ કરવા લાગ્યા. નગરને રાજા પણ ભયભીત થયો. મેરૂતુંગસૂરિના ધ્યાન–બળના પ્રભાવે યવનસેના સાચારને માર્ગ મૂકીને અન્યત્ર ચાલી ગઈ એક વખતે શ્રી શત્રુંજય તીર્થમાં જિનાલયના દીવાથી ઉપરને ચંદરવા સળગી ઉઠ્યો. ખંભાતમાં બિરાજતા આચાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy