SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ કારકજ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મનને સંતોષદાયક છે, કારણ કે નવીનમાં નવીન શોધખેલનું પરિણામ શ્રીઅતના સિદ્ધાન્તની સાથે ઘણે ભાગે અદૂભુત રીતે મળે છે, જે જ્ઞાન આપણું વિદ્વાનોએ હમણાંજ નિયમિત અને સુવિહિત experiments અને સૂક્ષ્મ નવીન instruments વડે કરીને પ્રાપ્ત કર્યું છે તે મહાવીર સ્વામીએ અઢી હજાર વરસ પહેલાં જાહેર કર્યું હતું. ઉચે રહેલા થરોમાં ચઢતાં ચઢતાં માલૂમ પડે છે કે હવા વધારે અને વધારે પાતળી અને ઠંડી હોય છે. પાણી અસંખ્યાત સૂક્ષ્મ જીવોથી ભરેલું છે કે જે ઉકાળવાથી યા સાકર વિગેરે નાખવાથી નિર્જીવ બને છે. વનસ્પતિ અને ધાતુ, પત્થર વિગેરે પૃથિવીકાય સજીવચૈતન્ય શક્તિ યુક્ત છે. આ પૂર્વોક્ત બાબતનાં ઉદાહરણો છે. બાકી જેવી રીતે આધુનિક વિજ્ઞાન વેત્તાઓ molecular combinations, molecules, atoms, ele. trons–આ પુદ્ગલના ભાગો માને છે, તેવી જ રીતે જૈન સિદ્ધાન્ત પ્રમાણે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ આ પુગલના વિભાગો છે. અને જેવી રીતે આજકાલના પ્રકૃતિ વિદ્યાશાસ્ત્રીઓ સ્થિતિ કારણ ભૂત “gravitation” અને રોશની વિગેરેની ગતિ સમજવા માટે aether આ બે રહયયુક્ત, અસ્પૃશ્ય, અતલ્ય અદ્રશ્ય, સર્વવ્યાપી ચીજોની કલ્પના કરે છે, તેવી જ રીતે જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com
SR No.034728
Book TitleAdhunik Vigyan ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorCharlotte Krause
PublisherSharlote Croze
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy