SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦ ) ત્યાં કિલ્લાના પશ્ચિમ અને ઉત્તર દ્વાર પર પેાતાનાં કીર્તિમંગલના પાઠ કરનારી બે પ્રશસ્તિયા સ્થાપન કરી હતી. તેણે સ્વાદુ પાણીથી શેાલતી સ્વયંવર મહાવાપી કરાવીને પૃથ્વીને નવીન અમૃતના આસ્વાદવાળી કરી હતી. વૈદ્યનાથ મંદિરના ઉત્તરદ્વાર આગળ ( સફેદ ) પાષાણાવડે ઉંચું તારણ રચાવ્યું હતું. અહિં રાજગૃહની સામે આ મંત્રીના બંધુએ (વસ્તુપાલે) એ માળવાળી સાનાના કળશથી શેાલતી ધર્મ માંડવી કરાવી હતી. તથા આ મંત્રીએ પેાતાના રાજાના કાલક્ષેત્રમાં રેવાના મેાટા સંગમ પર( ચાણેાદમાં), તેના નામવડે વીરેશ્વરનું દેવળ કરાવ્યું હતું. કુંભેશ્વર નામના તીર્થાંમાં તપસ્વીઓના પાંચ મઠા સર્વ પ્રકારની ધર્મ-સામગ્રીથી યુક્ત કરાવ્યા હતા. ' એમ દર્શાવતીની પ્રશસ્તિમાં જણાવ્યુ છે. ત્યારપછીશ્રેષ્ઠ નરેશ્વરા દ્વારા, ફૂલમાળથી પૂજાતા મંત્રીશ્વર તેજપાલ, અનેક સિદ્ધો, ગંધર્વો અને કિંનરાવર્ડ સેવાયેલા, તળાવેા, નદીઓ, પાવાગઢમાં સ્મારક કુડા અને વૃક્ષેાવડે શાલતા, સદા ફુલ–વિલાસવાળાં સારાં સારાં વૃક્ષેાવડે પ્રાર્થના વિના પણ સર્વ અતિથિયાનુ ગારવ કરનારા, પાવક નામના ગિરીશ્વર ( પાવાગઢ ) પર ચડયો. અરાવણુની જેમ સત્પાદ—સ્થિતિથી શાભતા તે પર્વતના શિખ૨પર ચડેલા તે પ્રાઢ મત્રી ઇંદ્ર જેવા શેાભતા હતા. પ્રશસ્ત મનવાળા કવિઓવડે જેના ગુણ્ણા ગવાતા હતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy