SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩ ) પુરુષોને ધર્મથી જ જય પ્રાપ્ત થાય છે, અને ધર્મ, દેવ-ગુરુના સ્મરણથી થાય છે” એમ સ્વયં ચિત્તમાં વિચાર કરીને સચિવેશ્વરે(તેજપાલે) તે વખતે, દુમનના સમૂહ પર યેલકમીને વશીકરણ કરવામાં કામણ જેવાં, ગુરુએ કથન કરેલાં, ભક્તામર મહાસ્તોત્રનાં બે વૃત્તોનું ઘોડા પર રહ્યા છતાં જ મનમાં ક્ષણવાર સ્મરણ કર્યું; કેમકે, પૂજ્યની સ્તુતિ અને પૂજ્યાનું સંસ્મરણ, એ મનુષ્યને આપત્તિના સમયમાં આલંબનરૂપ થાય છે. ત્યાર પછી ધ્યાનના માહા મ્યથી આકર્ષાયેલા, તેજના પંજવડે સૂર્યમંડલના તેજને ઝાંખું પડિનારા, સંતુષ્ટ મનવાળા, મહાયક્ષ પદી અને દેવેની સ્વામિની અંબિકા, તે બંનેને તે વખતે પોતાના બંને ખભા પર રહેલાં પ્રત્યક્ષરૂપે જેવાથી એ મંત્રી પિતાના વિજયને નિશ્ચય કરીને, પ્રમોદ પામ્યા. યુદ્ધમાં જેમને ઉત્સાહ વધાર્યો હતે, તે રાજપૂત સાથે, સુભટના અગ્રણી તેજપાલે રાષતેજપાળ અને વાળા થઈને જાતે જ ઘૂઘુલ રાજા સાથે વીર ઘૂઘુલ. ભયંકર સંગ્રામ કર્યો. શત્રુના સૈન્યરૂપી મહાસાગરમાં પસરતાં મંત્રીશ્વરે વડવાનલની જેમ પ્રેષિ-મંડલને સારી રીતે સૂકવી નાખ્યું. મહેદ્યમી આ મંત્રી, પ્રચંડ તેજવડે દીપતા, વીર–શિરોમણિ એવા ગોધાના રાજાને પ્રાપ્ત કરી હર્ષિત થયા. પૃથ્વીને આધાર આપવામાં સમર્થ અને વજથી પણ ભેદી ન શકાય એવી રાજાની આકૃતિને જોતાં વિસ્મિત થયેલા આ (તેજપાલ) વિચારવા લાગ્યા કે – અહે! ગધ્રાના રાજાની કાંતિ, રૂપ, ભુજ–સૌષ્ઠવ અને સત્ત્વશાલિતા અત્યારે કેટલી બધી આશ્ચર્યકારક જોવામાં આવે છે !! તેજવડે અંધકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy