SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) સાક્ષર–સમાજને શરમાવ્યેા છે. કલા અને રસિકતાના મનમાન્યા પાષણને નામે સાચા ઇતિહાસને છૂપાવી વિપરીત વિધાન કરતાં ભીંત નહિ પણ પાયેા જ ભૂલેલા એ સાક્ષરાનેનવલકથાકારાને ઇતિહાસનું કેવું જ્ઞાન છે ? અથવા સાચા ઇતિહાસ પ્રત્યે કેટલે પ્રેમ છે? યા ગુજરાત પ્રત્યે કેટલું માન છે ? સાચી ગુણગ્રાહકતા અને કૃતજ્ઞતા કેટલા અંશમાં છે ? અથવા ગુણેામાં ઢાષા આવિષ્કરણ કરવારૂપ અસૂયા—અસહિષ્ણુતા કેટલી હદે પહાંચી છે ?તે જન–સમાજ આગળ પ્રકટ કર્યું છે. એથી પણ સતાષ ન થતાં વિદ્યાર્થિ– સમાજમાં—ગુજરાતની ઉછરતી યુવકપ્રજામાં એ કુસંસ્કારરૂપી વિષ પ્રસરાવવા થયેલા પ્રયત્ન પણ જાણીતા છે. ‘ ઋતિ કે જમત ' જેવાં કલ્પિત પ્રકરણાદ્વારા અને કલ્પિત પાત્ર– સમધાદ્વારા વિલક્ષણ પ્રકારે જૈન ધર્મને અને સમાજને નિન્દ, તિરસ્કારપાત્ર, ધિક્કારવા ચેાગ્ય ધૃણિતરૂપમાં દર્શાવતાં તેમના સ્વૈરવિહારી મુત્સદ્દી મગજને શાંતિ નથી વળી. સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય તરફ ચાપલ કરવાથી, કે ગુજરાતની રાજમાતા પવિત્ર સતી મયણલ્લાને તરંગી કલ્પનાઓથી વિચિત્ર અયેાગ્ય પ્રેમ સંબંધવાળી દર્શાવવાથી જ સંતાષ નથી થયા. મહામાત્ય ગુંજાલ, મંત્રીશ્વર ઉડ્ડયન, વાગ્ભટ, આમ્રભટ અને સાંત, સજ્જન જેવા માનનીય, ઇતિહાસપ્રસિદ્ધ ગુજરાતના યશ:શેષ વિદેહી વિશિષ્ટ અધિકારીઓને,શ્રાવક વણિક જૈન સમાજને નીચ દર્શાવવા, કરી શકાય તેટલા વચનમાણુ–પ્રયાગ કરી તુચ્છકારતાં કે અધમ સૂચવતાં ભાગ્યે જ સકાચ થયા જણાય છે. ઘનશ્યામ અથવા રા. ક. મા. મુનશીની નવલકથાઓ (પાટણની પ્રભુતા, ગુજરાતના નાથ, રાજાધિરાજ વિ. )વાંચનારાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy