________________
પાતશાહ બાધરશાહના રાજ્યમાં ઉપર્યુક્ત મહિમુદ વેગડ પછી થયેલા મુજફરના
પુત્રમાં શકંદરરાજાને નાનો ભાઈ બાધર બાધરશાહે હતો. જે પ્રતાપી અને સાહસી હતો. ચાંપાનેરમાં પૂર્વે થયેલા રાજપુત્રનાં ચરિત્રને કર્મશાહનું સાંભળનાર તે(શાહજાદો) પૃથ્વીનું કરેલું
નિરીક્ષણ કરવાના વ્યસનથી કેટલાક સન્માન પરિચારક અને સાથે મહેલથી નીકળે
હતે. વિક્રમરૂપી ધનવાળે એ, પુર, નગર અને પત્તનોનું આક્રમણ કરતે અનુક્રમે ચિત્રકૂટદુર્ગ ( ચિત્તોડ ) ગયો હતો. ત્યાંના રાજાએ તેને બહુમાન આપ્યું હતું. ઓસવાળ વંશના તલાશાહના પુત્ર કરમા શાહ, ત્યાંના રાજા રત્નસિંહના રાજ્ય–વ્યાપારભાર–ધૌરેય (પ્રધાન) હતા. તેની સાથે એને અત્યંત મિત્રતા થઈ હતી. કરમાશાહ પણ પ્રિયવચન, ભજન, વસ્ત્ર દ્વારા એનું બહુમાન કરતા હતા. જ્યારે એ શાહજાદો ત્યાંથી જવા માટે તત્પર થયે, ત્યારે રસ્તામાં માતા માટે કરમાશાહે લાખ ટકે આખ્યા હતા. એથી બાધરશાહે પિતાને જીવિત પર્યન્ત ત્રણ સૂચવ્યું હતું. કરમાશાહે પોતાની લઘુતા અને નમ્રતા દર્શાવી, રાજ્ય પ્રાપ્ત થતાં, શત્રુંજય પર પ્રતિષ્ઠા કરવારૂપ પોતાનું એક વચન કરવા સૂચવ્યું હતું, જે તેણે જલ્દી સ્વીકાર્યું હતું. ગૂર્જર મંડલના એ અધિપે કરમાશાહની રજા લઈ પ્રસ્થાન કર્યું.
મુજફર પાતશાહે અંતમાં શકંદરને રાજ્ય-ધર કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com