SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપમ સરેવર કરાવ્યું હતું, અને આબુમાં તેના તથા તેના પુત્ર લાવણ્યસિંહ(લૂણસહિ)ના પુણ્યા, નેમિનાથનું અદ્દભુત શિલ્પકલામય મનહર દેવાલય( લૂણસીહ-વસહી) રચાવ્યું હતું, ત્યાં દેવાધિદેવના પરમપાસકરૂપમાં પિતાની તથા અનુપમાની મૂર્તિ પણ કરાવી હતી. જેનું ચિત્ર(ફેટ) અહિં પ્રારંભમાં મૂકવામાં આવ્યું છે, તેના અનુકરણરૂપે, ૩૫૦ વર્ષો પછી મેગલ શહેનશાહે પિતાની પ્રિયતમાના સ્મરણાર્થે કરાવેલ આગ્રાનો તાજમહાલ દષ્ટિગોચર થાય છે એ ચિરસ્થાયી સ્મારક સ્નેહીઓનાં અપૂર્વ સંસ્મરણ નથી શું ? તેમ સામાન્ય મનુષ્ય, યથાશક્તિ કરે તે શું અગ્ય લેખાય ? આ સ્થળે દુઃખભર્યું આત્મ-નિવેદન પ્રકટ કરવાની કસણ ફરજ ઉપસ્થિત થઈ છે. નામથી અને સગુણેથી ઉપર્યુક્ત અનુપમાનું સ્મરણ કરાવતી એક વ્યક્તિ, આશાભરી યુવાનીમાં પ્રવેશ કરતાં, રર વર્ષ જેટલી વયમાં–ગત વર્ષમાં (વિ. સં. ૧૯૯૦ આષાઢ વ. ૧૨) આ પંક્તિયોના લેખક સાથે ૮ વર્ષને દાંપત્ય સંબંધ તજીને અકાળે પરલેકપ્રવાસિની થઈ છે! ભાવનગરની સ્મશાનભૂમિમાં ભસ્મીભૂત થતા એના દેહને દુઃખી હૃદયેએ અશ્રુભરી નજરે નીહાળ્યો છે !! સજજન કુશલ ડૉકટરની તથા વૈદ્યોની કિમતી સલાહોને અને દવાઓને, વિધિની પ્રતિકૂળતાએ, સફળ થવા દીધી નહિ, વડોદરાથી તલાજા, ભાવનગર તરફ કરેલાં પ્રયાણને અશુભ ગવાળાં બનાવ્યાં; જેની જીવન-જ્યોતિને ઉજજીવિત રાખવા કરેલા ઉપચારને, પ્રભુપ્રાર્થનાઓને, સંતના શુભાશીર્વાદોને પણ દુર્દેવે નિષ્ફળ કર્યા, જેનાં માત-પિતા, બહેનો અને ભાઈ વિગેરેના તથા અન્ય સ્વજનોના અનેક પ્રયત્નોને સાર્થક થવા દીધા નહિ !!! ક્ષય જેવી ભયંકર વ્યાધિએ જેના દેહને મહિનાઓ પર્યા ઘેરી અતિક્ષીણ, સંતપ્ત , એવી દુઃખમય વિષમ સ્થિતિમાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy