SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્નોત્સુક મિત્રને ઃ ૪૨૫ માનસિક તાકાત હોય તેા તમારી મેળે ભણા, ક્રમા, પરણા; આ બધાં કામમાં આવતી મુશ્કેલીઆના સામના કરો. હારેલા માણસની પેઠે બીજાને શા માટે દોષ આપા છે ? જુવાનની વિચારસરણી આવી ન હોય. તમને જીવન પરત્વેની ખાખતા'માં લગ્નજીવનની જરૂરિયાતની ખાખત સમાઈ જતી શા માટે લાગે છે ? શુ... દુનિયામાં લગ્ન વગર્-જાતીય ભૂખ સ ંતોષ્યા વગર નથી જીવી શકાતું ? જાતીય ભૂખ ન હોય, પણ જાતીય આવેગ હાય; જાતીય આવેગ એટલે કામ–વિકાર નહિં, જાતીય આવેગનું વિકૃત કરેલું સ્વરૂપ એટલે તમારી અત્યારની જાતીય ભૂખ–કામવિકાર અને તેને સ તાષવા વિનતીય વ્યકિતને ઉપભાગ. . જાતીય આવેગ દરેકે દરેક વ્યકિતમાં હોય છે. એ આવેગને લીધે દુનિયામાં મહાન કામેા થયાં છે, જાતીય આવેગનું ઉન્નતિકરણુ–ી કરણ થતાં માણુસ પેાતાના આદર્શને પહોંચવા અનેક આંધળિયાં કરે છે, અનેક જોખમા ખેડે છે, પેાતાની ભાવનાસૃષ્ટિની સિદ્ધિ માટે તેને કોઈ ગ્રામ અધરૂ' કે હલકું નથી લાગતુ. આવેા માણુસ તમને લાગી છે તેવી ભૂખ સંતોષવા ફ્રાંકાં નથી મારતે; પરંતુ દુનિયામાં મહાન કામેા કરી જવા પાછળ પોતાની શકિત વાપરે છે. • આદનું અથાણું, ' · સેવાનું શાક અને ‘ભાવનાનાં ભજિયાં' વળી બનતાં હશે એમ તમે લખા છે; પણ ભાઇ, એ અથાણું, શાક અને ભજિયાં જેમણે ચાખ્યાં છે અને હાલ ચાખી રહ્યા છે તેમને પૂછે કે સ્વાદ કેવા મધુર છે. એ સ્વાદ કાંઈ મેાઢાની અંદર જીભ અને આસપાસની સ્વાદગ્રંથિઓથી નથી લેવાતા, એ સ્વાદ માણુનાર ગ્રંથિઓનુ સ્થાન શરીરના એથીયે ઉપલા ભાગમાં—ખાપરીની અંદર છે. મગજની અંદરની એ સ્વાદગ્રંથિઓ મારફત જેમણે સ્વાદ ચાખ્યા છે તેમણે માઢાની અંદરની સ્વાદગ્રંથીઓના સ્વાદની કદી પરવા નથી કરી. આદર્શની સિદ્ધિ એ જ તેમની તમન્ના છે. એ માટે તેમણે પોતાની પત્નીને તજી છે, જેલ અને ફ્રાંસીને હસ્તે માંટે સ્વીકારેલ છે. " જાતીય આવેગનું ઊધ્વી કરણુ જ મનુષ્યને ખીજા પ્રાણીઓથી જુદી પાડતી વિશિષ્ટતા છે. બાકી તા મનુષ્યો સહિત દરેક પ્રાણીઓ મોઢેથી સ્વાદ લે છે, શરીરમાં ઊઠતા આવેગાને સતાજે પણ તો પછી માણસ અને પશુમાં ફેર શું ? તમે કહેશે કે મનુષ્ય લગ્ન કરી જાતીય ઉપભાગનું સાધન મેળવે છે. પશુઓમાં લગ્નજીવન જેવું કાંઇ હેતુ નથી. પરંતુ ધારા કે કોઇ પ્રાણીવિજ્ઞાનશાસ્ત્રી જ્યારે એમ કહે કે ચોકકસ પ્રાણીઓ–મનુષ્ય સિવાયના–પણ પરણે છે તો તમે શું જવાબ આપશે ? તમને આ બધું કદાચ બહુ આકરૂં લાગશે. કડવી દવા જેવું લાગશે. તમને એકાદ ગૂમડું થયું હોય અને દાકતરને લાગે કે તેના ઉપર નસ્તર મૂકવું પડશે. અને તમે કહેા કે મલમપટાથી સારુ કરી આપો તે કેમ ચાલે? તમને તાવ ન આવે માટે કડવી દવા આપવાની જરૂર હોય છતાં તમે દાક્તર પાસે ગળી દવા માગેા એ શા કામનું ? જેમ શારીરિ* રાગનું તેમ માસિક રાગનું, માનસિક રાગીઓ ઉપર પણ કેવાર આકરાં એપરેશનની જરૂર રહે છે. એક નવીન કેળવણીકાર કહેતા હતા કે વિદ્યાર્થીને શારીરિક સજા ન કરવી તેમ છતાં આ સિધ્ધાંત સદાને માટે આચરણીય ન પણ હાઇ શકે. કેાઇ વિદ્યાથી એવા પણુ ડ્રાય કે જેના ઉપર આપરેશનની જરૂર પડે પરંતુ તે માટે કુશળ કેળવણીકાર જોઈએ, જેવા તેવા શિક્ષકથી નસ્તર ન મૂકી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034636
Book TitleSuvas 1942 04 Pustak 04 Ank 12
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy