SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદર્શન •• ૨૦૭ અને ત્યારથી જ આજની આંતર-રાષ્ટ્રિય મુશ્કેલીઓનાં મૂળ નંખાયાં. સ્વાર્થલેલુપ મુસાફર-ટોળાંએ જ્યાં ત્યાં બખેડા જગાવ્યા, પ્રજાઓને નિર્બળ કરી, કલહ કરાવ્યા ને પરિણામમાં જગતની પિણા ભાગની પ્રજા પા ભાગની પ્રજાના વિલાસ પિષવાને ગુલામ બની. યુરેપની પ્રજાએ સમુદ્રપર્યટનની સાથે જ યુદ્ધનાં નિયમનની, બુદ્ધિના સ્વૈરવિહારની હદ પણ ઓળંગવા માંડી. તેણે તાકિક વિજ્ઞાનનાં મૂળ નાંખી જગતમાંથી શ્રદ્ધા, સંતોષ ને નિર્દોષ સુખને દેશવટો આપ્યો; વિલાસ ને વિજયનાં સાધને વધાર્યા, મૂડીવાદને વધારે વ્યાપક બનાવ્યો. નેપોલિયન યુદ્ધના સ્વીકૃત નિયમોનો ભંગ કરી ક્ષણિક વિજયો વર્યો, ઈગ્લાંડે પવિત્ર સધિઓને કાગળનાં ચીંથરાં બનાવી સામ્રાજ્ય વધારવા માંડયું પૂજક પ્રજાઓએ આ વિજયોને કુસુમમાળથી વધાવ્યા. જગત ગોરી પ્રજાને બારણે ગુલામ બન્યું. એ સ્થિતિથી આજની ગોરી પ્રજા ભલે પિતાને સુખી માનતી હેય.- પણ એ સુખ નથી; વિનાશનાં મૂળરૂપ સ્વછંદ છે. પાંચસાત ગેારા દેશેએ પતે અખંડ વહાણરૂપ રહી જગતનાં અનેક વહાણોને કાણાં કરી આજે પોતાની સાથે બાંધી રાખ્યાં છે; પણ અર્વાચીન યુગની સ્વછંદ-લીલા જે થોડોક સમય આમ ને આમ ચાલુ રહી તે કાણાં વહાણે તે ડૂબશે, સાથે જોડનારને પણ ડુબાડશે. વિજ્ઞાન કે બુદ્ધિના સ્વૈરવિહારને પિતાની ઊજળી બાજુ હશે, પણ માનવઅલ્પતા અને યુગનિર્બળતાએ એને ગેરલાભજ ઉઠાવ્યો છે. હિંદી નરપુંગવો એ પહેલેથી જ સમજી ચૂકેલા. ને પરિણામે તેમણે સમાજ, રાજનીતિ, આર્થિક વ્યવસ્થા, ધર્મ, પ્રજાવિશુદ્ધિ, મર્યાદા વગેરેનાં ચેસ નિયમને ઘડયાં. હિંદી પ્રજા જ્યાં સુધી સ્વતંત્ર હતી, પરસંસ્કાર ને પરશિક્ષણે એને લલચાવી નહોતી ત્યાં સુધી તે ધીમે ધીમે નિપ્રાણ બનવા છતાં તે એ નિયમોને વધતે અંશે પણ વળગી રહી. પણ મુરલીમ ને માંગોલિયન વિજેતાઓએ એના આંતરિક ને બાહ્ય સ્વાતંત્ર્ય પર ઝાટકા માર્યા, ખ્રિસ્તી ને ગોરા વિજેતાઓએ તેના બાહ્ય સ્વાતંત્ર્યના કપટથી કૂર્ચા ઉડાવી એના આંતરિક ને સંસ્કારસ્વાતંત્ર્યને મીઠાં ઝેર પાવા માંડયાં. જે નિર્બળતા સ્વાભાવિક રીતે કેળવાતી હતી તેમાં યુક્તિનાં બીજ રોપાયાં; ને પ્રજા ઝડપથી પટકાવા માંડી. પણ એ પછડાટથી એની આંખ ખૂલી ન જાય માટે એને શિક્ષણનું એવું ઘેન પાવામાં આવ્યું કે અર્ધગતિને પણ એ ઉર્ધ્વગતિરૂપે જુએ. ને વસ્તુસ્થિતિ પણ કંઈક એવી જ છે. પૂર્વની મહાન સ્વતંત્ર હિંદી પ્રજા કે તેના નરપુંગવોની તે કેવળ પૂજાજ વીસરી નથી ગઈ, તેમના પ્રત્યે તે કેવળ ઉપેક્ષા જ નથી દર્શાવતી–તે તેમની ઠેકડી ઉડાવે છે, તેમની સાંસ્કૃતિક રચનામાં એને અંધશ્રદ્ધા ને હળાહળ સ્વાર્થ જણાય છે. તેણે એ સૂત્ર ગોખી રાખ્યું છે કે, “યુગેયુગે નિયમન કે સંસ્કૃતિઓ આવશ્યક પરિવર્તન માગે છે; પણ એ એ નથી સમજતી કે એવું પરિવર્તન સ્વયંસર્જિત હોવું ધો. ત્યારે પ્રજાને નિઃસત્વ બનાવી ગુલામી માનસ કેળવવા માગતા પરશિક્ષણને એ પરિણામ હોય છે, વિજેતાઓની ગૂઢ દોરવણી નીચે એ વિકાસ પામે છે ત્યારે પ્રજા પ્રગતિના નામેજ વિનાશના પંજામાં જઈ પડે છે. પણ નવસંસ્કૃતિની પૂજામાં એને એ જોવાની દરકાર નથી. એ વિચારતી પણ નથી કે જે સંસ્કૃતિ આજે ઊગી રહી છે એના પ્રમાણમાં આથમતીનું ઉગમસ્વરૂપ કેવું હતું, આજે ઊગતી સંસ્કૃતિ વિકૃત બનીને આથમશે . ત્યારે એની દશા શો હશે? કેમકે ઊગતાની પૂજા એ પ્રજાઓને સ્વભાવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy