SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫ પણ પરસંસ્કારની અસરથી જ્યારે વિંશવિશુદ્ધિની પરમ વાંછના કંઈક નિર્બળ બની, પવિત્રતાએ સ્વૈચ્છિક સ્વરૂપ છેડયું, પુરુષો દેશની સ્વતંત્રતા જાળવી રાખવામાં નિષ્ફળ ગયા - સ્ત્રીને માટે પણ સામાન્ય છૂટછાટ મૂકવામાં આવી. છતાં સંસ્કાર, રક્તવિશુદ્ધિ, સ્વચ્છતા, સુખ, સૌન્દર્ય, કલા, રાષ્ટ્રિય સમૃદ્ધિ, સંતતિ અને નૈસર્ગિક ધોરણે આર્થિક વહેંચણી વગેરે અંગે સાચવવાને સ્ત્રીને માટે ગૃહરાજ્ઞીપદ કાયમ રખાયું. સમરભૂમિ પર પિઢતા લાખો વીરોથી વધી પડતી સ્ત્રીસંખ્યાની સાંસ્કારિક વ્યવસ્થા જાળવવાને તેજ, સમૃદ્ધિ, સત્તા ને શક્તિસંપન્ન પુરુષો પર એક કરતાં વધુ સ્ત્રીઓને પત્ની તરીકે અપનાવવાની જવાબદારી નાંખવામાં આવી; છતાં જેમ જેમ પુરુષે વીરતા ત્યાગી નિર્બળતા સ્વીકારી, સ્વાતંત્રય તજી પર ધૂસરી ભરાવી – એ જવાબદારી ધીમેધીમે ઓછી કરી નાંખવામાં આવી. પવિત્ર અને જવાબદાર ધંધાની વ્યવસ્થા પિસાના પ્રમાણ પર નહિ પણ સ્વૈચ્છિક ગરિબાઈના ધોરણે થવી ઘટે, રાષ્ટ્ર અને પ્રજા-રક્ષણની જવાબદારી ધર્મરૂપ અને પ્રતિપળ સજીવ હોવી જોઈએ; બહારનાં શિક્ષણ કરતાં કૌટુમ્બિક શિક્ષણ વધારે સાચાં, સુઘટિત, વ્યવહારમય અને રાષ્ટ્રને ઓછા ભારરૂપ બની શકે; લેહીને વારસે માનવજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે-એ સર્વના વૈજ્ઞાનિક અભ્યાસ ને નિર્મળ પૃથક્કરણમાંથી વર્ણન વ્યવસ્થા જન્મી. વધી પડતા ઉત્પાદનથી આર્થિક મુશ્કેલીઓ ન આવી પડે તે માટે તેને મર્યાદિત અને યોગ્ય વહેંચણીના ધેરણ પર રખાયું. અને એ નિયમ અને સંહારમર્યાદા જાળવી રાખવાને યુદ્ધ, વાહન કે ઉત્પાદનના કોઈ પણ ક્ષેત્રમાં અગ્નિમાં ગાળેલી ધાતુઓના યાંત્રિક ઉપયોગો પર પ્રતિબંધ મુકાયે. દેશની વસતીનું સુપ્રમાણ જાળવી રાખવાને સામાજિક વ્યવસ્થામાંજ પુત્રની જરૂરિયાત સ્વીકારાઈ, ને માયકાંગલા સ્વરૂપે પ્રજા વધી ન પડે માટે અનેક નિયમોની ગૂંથણી કરવામાં આવી. પ્રજામાં નિર્દોષ આનંદ અને ઉત્સાહન પૂર જાળવી રાખવાને પર્વોની અને ઉત્સની સ્થાપના થઈ. ન્યાયની વિશુદ્ધિ જાળવી રાખવાને પ્રાણીમાત્રને સમાન ગણી નિર્દોષોને અભયદાન અપાયું. - દેશદેશ વચ્ચેના સંબંધો આદિયુગમાં મોકળા હતા. પણ માનવી જેમજેમ લેભી બનતો ગયો તેના લેભની લીલાભૂમિ તરીકે સરહદ બાંધવાને વધુ પડતા દેશાટન પર પ્રતિબંધ મુકાયો. આમ પ્રજા ધીમેધીમે ઘસાતી છતાં તેની સાંસ્કૃતિક રચનામાં અપૂર્વતા અને દીર્ધદષ્ટિ હતાં. આજના પરતંત્ર યુગનાં રંગીન ચમેને જ્યાં જ્યાં દોષો દેખતાં કેળવવામાં આવ્યાં છે ત્યાં ત્યાં-સર્વની પાછળ પણ ઊંડા ઉદ્દેશ હતા. આવી સાંસ્કૃતિક વ્યવસ્થા કેવળ હિંદમાં જ જન્મેલી ને જળવાયેલી છતાં પરધર્મી કે પરભૂમિઓએ પણ સમુદ્રપર્યટન, વિજ્ઞાન કે યુદ્ધનાં નિયમને જેવી કેટલીક મર્યાદાઓ તો સ્વીકારી હતી. પણ ઊગતાને ને અંધ સાહસિકને પૂજતી ને ગર્વમાં ઘેલી બનેલી નવનવા યુગની પ્રજાઓ એનાં તાત્પર્ય વીસરી ગઈ. સિકંદરે રાષ્ટ્રિય સીમા ઓળંગવાના પ્રતિબંધ તેડી જગતની ત્રીજા ભાગની પ્રજાનું સત્યાનાશ વાળ્યું અને પૂજક પ્રજાએ તેને નરવીર તરીકે વધાવ્યો; મુસ્લીમ શાસકેએ એ નિયમ તોડી હિદની ગુલામીનાં મૂળ નાંખ્યાં. યુરોપના દેશોએ ચૌદમી સદી સુધી તે સમુદ્ર પર્યટનનાં નિયમન સામાન્ય અંશે જાળવ્યાં પણ પછી સ્પેન અને પિર્ટુગાલે છૂટછાટ મૂકી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy