SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદર્શન -- ૨૦૫ માનવનબળાઇઓને નિબંધ બનતી અટકાવવાને કૃષ્ણયુગે રસનાં, અને વિજયનાં, પ્રભાવનાં અને શક્તિનાં, સ્વાર્થશુદ્ધતાનાં ને આનંદનાં જે મંદિર સ્થાપ્યાં હતાં એ મંદિશમાં પ્રવેશેલી વિકૃતિ એ યુગમાં કંઈક અંશે આછી બની. પણ જીવનની લેાલતા સ્વભાવવિહારીને બદલે અનુગામી બની. પરિણામે મર્યાદામાં પ્રાણુ જઇ કૃત્રિમતા પ્રવેશી; રસ જઇ અનુકરણ પ્રવેશ્યું. તે પછી ચાણકયે મુદ્ધિના નૃત્યથી સામ્રાજ્ય સ્થાપ્યું. પણ એ નૃત્ય આખા ભારતવર્ષ પર ફરી વળ્યું. વીસરાયેલી શસ્ત્રદાનવતા ફરી ન જન્મી પણ બુદ્ધિનો દાનવતા પ્રગટી નીકળી. રાજ્ય રાજ્ય વચ્ચેની સંધિએ સજીવ ધર્મબંધને મટી શબ્દની રમત બની. પ્રેમભાવ આથમી તકભાવ જન્મ્યા. તે પરદેશી આક્રમણકારાને બારણેથી જ વિદાય દેવામાં સ્વર્ગીય ભારત નિષ્ફળ ગયું. છતાં ભારતનાં ભાગ્ય સમૂળગાં આથમ્યાં નહાતાં. નરપતિ વિક્રમ, સેનાપતિ સમુદ્રગુપ્ત, નરવીર કાલિકાચાર્ય, રસાવતાર કાલિદાસ કે જીવનરક્ષક ચરક જેવા પ્રતાપી પુરુષવરાએ એને પ્રભાવ જાળવી રાખ્યા. તેમણે નવા સુવર્ણયુગ સ્થાપ્યા. છતાં ગયેલા સ્વતંત્ર પ્રાણ ને નિર્દોષ છતાં તેજસ્વી જીવનની પુનઃસ્થાપના તા તેઓ નજ કરી શકયા. તે યુગ પછી તા ભારતે સ્વતંત્ર પ્રાણુ કે જગઆત્મભાવ ઘણાં એછાં અનુભવ્યાં છે. ભાજનું અવંતી, હર્ષનું કનેાજ, કર્ણનું કાશી, સેાલંકીયુગનું ગુજરાત, સેનવંશનું બંગાળ- કે પૃથ્વીરાજનું દિલ્હી—સિવાય જીવનની પ્રફુલ્લતા પણુ એને ખૂબ ઓછી માત્રા મળી છે. પ્રાચીન યુગમહત્તાને તેણે તરછોડી નહિ છતાં એ મહાયુગની પ્રાણભવ્યતા ઝીલવામાં કે તેને સર્વાંશે સમજવામાં પછીના યુગની પ્રજાએ નિષ્ફળ ગઈ. રસમંદિરને એણે વિલાસમંદિર અનાવ્યાં, જીવનલીલાને એણે રાસલીલા બનાવી. દેવાના મુગટમણુ સમા શ્રી કૃષ્ણ કેવળ પ્રેમમંદિરની મૂર્તિ બન્યા. માનવામાં શ્રેષ્ઠ શ્રી મહાવીરની તેજભવ્યતાને પણ કયાંક કચાંક નિર્બળતાની ઢાલ બનાવાઈ. આમ ક્રમિક ધસારા છતાં એ યુગે સ્વતંત્ર હતા. એમને વરેલી ઉપેામાં નિસર્ગે પણ મહત્વને ભાગ ભજવેલા—કેમકે શક્તિમાં, તેજમાં, નિર્દોષતામાં, નિર્ભયતામાં માનવી સ્વાભાવિક રીતે પણ ધીમેધીમે અલ્પ બનતાં હતાં. પરિણામે તે તે યુગના નરપુંગવાને પ્રજાની અલ્પતા કે તેનું સ્થાન વિચારી સ્વતંત્ર સંસ્કૃતિએ ધડવી પડી. એ સંસ્કૃતિઓમાં આદિયુગની મહત્તા નહાતી છતાં તેમાં દીર્ઘદૃષ્ટિ હતી, સ્વયંભાવના હતી, પ્રજાના સતેજ જીવનને લંબાવવાની તમન્ના હતી. તે યુગાની પ્રજા આદિયુગના પ્રાણ ન ઝીલી શકી છતાં તેની પૂજા તે તેણે ન જ વીસારી. પાછલા પરતંત્ર યુગને શીખવવામાં આવ્યું છે એમ એ સંસ્કૃતિએ નિષ્પ્રાણુ નહાતી, સ્વાર્થમય નહેાતી. નરપુંગવાના ઊંડા મંથન અને નિર્મળ ત્યાગનું તે પરિણામ હતું. જીવનનાં પ્રત્યેક અંગાને અને કાળની ગતિને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારી તેમણે તેની રચના કરેલીતેમણે સ્ત્રી અને પુરુષની નૈસર્ગિક શક્તિ અને તેમનાં સ્વરૂપ વિચાર્યાં. સ્રી તેમને સંસ્કાર, લજ્જા ને સૈાન્દર્યની દેવી લાગી; પુરુષ શક્તિને પ્રિયતમ જણાયે. પરિણામે દેશના સંસ્કારરક્ષણની જવાબદારી સ્ત્રીને સાંપવામાં આવી, સ્વાતંત્ર્યની જવાબદારી પુરુષને સાંપાણી. સ્વતંત્રતાનો રક્ષામાં જેમ લાખા પુરુષાનાં શિરની કિંમત ન ગણાય એમ સંસ્કાર કે પવિત્રતાના રક્ષણમાં સ્ત્રીનાં જીવનની કિંમત ન અંકાવી બઢે. એ ભાવનામાંથી સતીત્વની પ્રથા જન્મી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy