SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ - સુવાસ : ભાદ્રપદ ૧૫ આદિયુગમાં માનવી સાદાં, સંયમી, રસિક ને પ્રકૃતિનાં વહાલાં સંતાન સમાં હતાં. પણ ધીમે ધીમે એનામાં સ્વાર્થસંરક્ષણભાવના જન્મી ને એ ભાવનાએ લેભ પ્રેર્યો. જગતના આદિ પુરુષવરે એ સર્વને સાંકળી સુવ્યવસ્થા જન્માવી. પણ એ જ વ્યવસ્થાના યોગે અલ્પ માનવી પ્રકૃતિનાં સંતાન મટી એનાં સ્વામી બનવા દેડયાં. આદિપ્રજાની સરળ નિર્મળતા તેઓ વિસરી ગયાં. છતાં પુરુષવરોના પ્રભાવે એ યુગની સાચી સુવર્ણકાતિ જળવાઈ રહી. - તે પછી ચક્રવર્તી ભરતે સ્નેહ ને સંતોષની હદ ઓળંગી જગવિજય આદર્યો. તેના ભાઈ અને પ્રતિસ્પર્ધી બાહુબલીએ તેને પડકાર્યો, પોતાની અપ્રતિમ શક્તિનાં તેણે એ જગવિજેતાને દર્શન કરાવ્યાં; પણ એને હરાવવામાં તેણે એ શક્તિ નહિ, આત્મબેગ વાપર્યો. ને તલપતી સંહારદેવીનાં બારણું અધખુલી રહ્યાં, માનવીમાં પ્રગટેલી દાનવી વૃત્તિ લજવાઈને છૂપાઈ ગઈ. પણ એ વૃત્તિ ફરી ઊછળી. ક્ષત્રિયોનાં ક્ષાત્રતેજે તાંડવનૃત્ય આદયાં, રાવણ જેવાની વિરલ શક્તિએ સંયમનાં બંધન ઓળંગ્યાં–ને પરશુરામ ને રઘુપતિએ શુદ્ધ શક્તિતેજથી તેમને સંહાર્યા. વિરોધીઓને આત્મભોગથી ઓગાળવાનો એ સમયે સંયોગ નહે, એમ કર્યાથી શુભ પરિણામ આવે એટલી યુગવિશુદ્ધિ પણ નહોતી. છતાં એ વિજયોથી, એક કે અન્ય પક્ષના કારણે પણ મહત્તામાં માનવજાતે એક વધુ પગથિયું તે ગુમાવ્યું જ. તે પછી શ્રી કૃષ્ણ દુષ્ટોના સંહારમાં બળ સાથે બુદ્ધિ પણ અજમાવી; ને સંહારનું શસ્ત્ર જે શુદ્ધ બળ હતું તેની સાથે બુદ્ધિ પણ ત્યારથી એ જ સ્વરૂપે ઉમેરાઈ. માનવીમાં જેટલી પ્રેમ અને સર્જનની ઉત્કટ ભાવના રહેલી છે એટલી જ એનામાં ૮ષ ને સંહારની તમન્ના તે પ્રગટી ચૂકેલી. પરિણામે ઘર્ષણ ને યુદ્ધ અનિવાર્ય બનેલાં. પણ એનાં સાધન જેમ વધુમાં વધુ મર્યાદિત ને વધારે સાદાં-સીધાં એમ સંહારલીલાની હદ વધુ ને વધુ એછી. પણ કૃષ્ણયુગ યુદ્ધદેવીના ચરણે એક જ પરથી ખેલવાની પરશુરામની એ ભાવને ઝીલવામાં નિષ્ફળ ગયો. તેનાથી વીસરાઈ ગયું કે પોતાને ન્યાયી માનતા પક્ષ જ્યારે યુદ્ધનાં સાધનો કે નિયમોની મર્યાદા ઓળંગી વિજય વરે છે ત્યારે તે ભાવિના ગર્ભમાં રહેલા એવા અનેક ન્યાયી પક્ષોની સામે અન્યાયીઓએ એ જ ઉપાય લેવાનો માર્ગ મોકળો કરે છે. તે વસ્તુ સ્થિતિમાં તે અન્યાયી પક્ષ પણ યુદ્ધ તે પિતાને ન્યાયી માનીને જ કરતા હોય છે. એટલે યુદ્ધના નિયમે ઓળંગવામાં એ પણ ન્યાયીઓના જેટલો જ ઉત્સાહ દાખવી શકે છે. મહાભારતના યુદ્ધમાં મોટેભાગે એમ જ બન્યું. બળ ને બુદ્ધિથી મત્ત બનેલા સંહારે એ યુદ્ધમાં અભૂતપૂર્વ તાંડવનૃત્ય ખેલ્યું. પણ પૃથ્વીનાં ભાગ્ય એ સમયે સતેજ હતાં. તેણે પ્રભાવશાળી તત્ત્વદષ્ટાઓ જન્માવ્યા –જેમણે સંહારલીલામાં બળ અને બુદ્ધિ બંનેને મર્યાદિત કર્યા. વીર અને પૂજક પ્રજાએ એ મર્યાદા કબૂલી. ને સંહાર કંઈક કાબૂમાં આવ્યો. ' પણ સ્વાર્થલેલુપ બુદ્ધિનું નયન ચિરંજીવ ન બન્યું. જીવનના સ્વાભાવિક વેગમાં ઊલટી પણ કંઈક અંશે કૃત્રિમતા પ્રવેશી. દાનવી શસ્ત્રો ભૂલાઈ ગયાં, પણ બુદ્ધિ પિતાનાં દાનવી સ્વરૂપે શોધવા માંડી. તેની લાલસાએ સીમા ઓળંગી. એ યુગમાં બુદ્ધ-મહાવીર પ્રગટહ્યા. તેમણે અહિંસા ઉપદેશી સંહારને મર્યાદિત કર્યો, સંયમ ઉપદેશી લાલસાને નાથી, સત્ય ઉપદેશી બુદ્ધિને નર્કમાં પડતી અટકાવી. પણ સ્વાર્થ અને વિકૃતિએ માનવહૈયામાં ધીમેધીમે એવું સ્થાન જમાવી દીધું હતું કે એ મર્યાદાઓ એના મૂળ સ્વરૂપે સર્વવ્યાપી ન બની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy