SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨ જી ] યુગદર્શન સુવા ત R अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः વિ. સ. ૧૯૯૫ : ભાષ . ઉષાનાં ગુલાબી ચીરને કામળ અંગુલિથી દૂર કરી ખાલવિ જ્યારે આછાં સેતેરી કિરણા વર્ષાવતા મુખે દર્શન દે છે—માનવી તેને પૂજવા દોડે છે; પંખીએ કિલકિલાટ કરે છે; પ્રકૃતિમાં સાયં ઉભરાય છે; પવન સુમંદ અને છે; જીવનમાં તાજગી પ્રગટે છે; પદાર્થમાત્રમાં ચેતનના ફુવારા ઊડવા માંડે છે. પણ એ જ રવિ જ્યારે જગતને ઉન્નળી, દિવસના શ્રમથી થાકી, આરામ માટે સંધ્યાની સાડમાં ભરાઈ સમુદ્રને ખેાળે જઈ પાઢે છે—નથી કાઈ એને અર્ધ્ય આપવા દે।ડતું, નથી કાઈ ‘એને પ્રભાવ સ્મરતું, નથી પ્રકૃતિમાં હાસ્યનાં મેનું ઊછળતાં. યુગ-સંસ્કૃતિ-મહામાનવતાની પણ એ જ સ્થિતિ છે. ઊગતાં એને સૈા કાઈ પૂજે છે; આથમતાં નથી કાઈ અંજલ આપતું, નથી એની મીષ્ટ સ્મૃતિ જીવન્ત રાખવાની કાઈ ભાવના દર્શાવતું. એની સંપૂર્ણ ઉપેક્ષા જે અસંભવિત ડ્રાય તા એને ઊગતાના અંચળે! એઢાડવામાં આવે છે અને એના નામ નીચે પણ પૂજા તેા ઊગતાની જ થાય છે. પણ સૂર્ય જેમ પ્રતિદિવસે પૃથ્વીની વધુ ને વધુ નજદીક આવી એના વિનાશને વધારે તે વધારે સમીપ આણે છે એમ પ્રતિયુગે પ્રગટતી નવી સંસ્કૃતિ કે નવી મહામાનવતા, નવયુગના એ પ્રાણવાયુ તે પ્રકાશ છતાં, માનવીની પાશવી વૃત્તિઓને ખેલવાનાં ક્ષેત્રને વધુ ને વધુ વિશાળ બનાવી તેના વિનાશને તે વધારે સહજ બનાવે છે. આથમતા સૂર્યને અટકાવવાની માનવીની શક્તિ નથી. પણ આથમતી સંસ્કૃતિનાં શુભ તત્ત્વાને ગાળી લેવાની, નિર્મળ નજરે એની મહત્તા નીરખી એનાં પૂજનથી પવિત્ર બનવાની, ઊગતાં કિરણાને આથમેલનાં ઊગમ–કિરણા સાથે સરખાવી એની કિંમત આંકવાની તેનામાં તાકાત છે. પણ ઊગતાને પૂજવાની ધૂનમાં એને તેને ખ્યાલ પણ નથી રહેતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy