________________
જીવન ઝરણ-૨૪૭
યુવાન જુગારી હત; છતાં તેણે મેંમાંથી તે સંબંધી એક શબ્દ પણ કાઢયા વિના યુવાનની, વાર્ષિક દશ હજારના પગારે, એશિયામાઇનેરના એલચી તરીકે નિમણૂક કરી. ઉમરાવ હરખાઈ ઊ; પણ એ હરખ ઊભરાઈ જાય તે પહેલાં મંત્રીએ તેના હાથમાં એક કાગળ મૂકી તે પર તેને સહી કરવા કહ્યું.
“સહી શાની?” ઉમરાવે ચમકીને પૂછ્યું.
“એ જ કે” મંત્રીએ શાંતિથી કહ્યું, “એલચીના હાથમાં જે કાંઈ નાણાં મૂકવામાં આવે તેની જોખમદારી તે એલચીની ભલામણ કરનાર પિતાને માથે સ્વીકારી લે છે. આપણું પરદેશ –કચેરીમાં આ શિરસ્તે ઘણો જ લાભદાયી નીવડે છે.”
ઉમરાવ એ કાગળને ટેબલ પર જ રહેવા દઈ અંતર્ધાન થઈ ગયો. તે પછી વગર જોખમની ભલામણ તે હંમેશને માટે ભૂલી ગયા.
'' બર્નાડ શૈ એક વખતે એક સુશોભિત કલબમાં જઈ પહોંચ્યા. બારણે છત્રી મૂકી તે અંદરના ભાગમાં પ્રવેશ્યા. પણ જયારે તે બહાર આવ્યા ત્યારે છત્રી ત્યાંથી ઊડી ગયેલી.
શએ હેહા કર્યા વગર પાસેના બોર્ડ પર એક નોટીસ લગાવી–જે અમીરે અમારી છત્રીને છૂમંતર બનાવી હોય તેમણે મહેરબાની કરીને તેને પાછી મૂકી જવી.” - એક અમીરે શેને અમીરે સામેના આવા કૂર કટાક્ષ માટે ઠપકો આપતાં શૈએ કલબના બેડ તરફ તેનું ધ્યાન ખેંચ્યું. તે પર લખેલું હતું, “ફક્ત અમીર અને સદગૃહસ્થો માટે.”
એમાં શું?” અમીરે વિસ્મયથી પૂછયું.
કેમ?” બર્નાડ શોએ તીક્ષ્ણ સ્વરે કહ્યું, “સદગૃહસ્થ હેય એ તે છત્રી રે નહિ. પછી એ ધંધે અમીરને જ માફક આવે ને ?”
મહાન શિવાજીને ભાઈ વ્યકેજી તુંડમિજાજી અને કાચા કાનને હતેપિતા તરફથી વારસામાં મળેલે કર્ણાટક પ્રાન્ત તેણે એકલાએ જ પચાવી પાડેલ. શિવાજીને મુસલમાનોને યોગ્ય નસિયત આપવાને એ પ્રાન્તના કેટલાક પ્રદેશની જરૂર હતી; પણ વ્યકેજીએ તેમાંથી એક ઇંચ પણ આપવાની ના કહી.
યુદ્ધથી શિવાજી આખો પ્રાત ઝૂંટવી લઈ શકે તેમ હતું. પણ ભાઈ સામે શિવાજીને એ માર્ગ પસંદ નહતા. તે શાંત ઉકેલની રાહ જોઈ રહ્યો. ને જ્યારે તેને સમાચાર મળ્યા કે કાજીની સુશીલ પત્નીએ ગુંચવાયેલા કકડાને સુલેહપૂર્વક ઉકેલવામાં પતિને યોગ્ય દેરવણી આપી છે, ત્યારે તે મહારાષ્ટ્રની સ્ત્રીશક્તિ પર મુગ્ધ બની ઊઠે.
ને પિતાને સુલેહથી મળતા પ્રદેશ કરતાં પણ વિશેષ-વાર્ષિક પાંચ લાખની આવકના પ્રદેશની એ સુશીલ નારીને અંગત ભેટ મોકલાવતાં તેણે લખ્યું, “સદ્દગુણી સ્ત્રીના ચરણે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com