________________
જીવન ઝરણ.
प्रभा
મહારાણી વિકટેરિયાને પુત્ર અવતયો પછી પ્રજાજોગ એક નિવેદન બહાર પાડવાનું હતું. મહારાણી પાસે એ નિવેદનની નકલ રજુ કરવામાં આવી. તેમાં લખેલું હતું, “મહારાણી અને પ્રીન્સ બંને સંપૂર્ણ સુખશાંતિમાં છે.”
મહારાણી એ નકલ લઈ પોતાના પતિ પ્રીન્સ આબર્ટ પાસે પહોંચ્યાં. ને તેમની સોડમાં ભરાતાં હસીને કહ્યું, “પ્રિયતમ, લેખકે તદ્દન મૂર્ખ હેય છે.”
“કેમ?” પ્રીન્સ આલ્બર્ટ ચમકીને પૂછ્યું.
“જુઓને” મહારાણીએ નિવેદનની નકલ બતાવતાં કહ્યું, “આમાં લખ્યું છે કે, મહારાણ ને પ્રીન્સ બંને સુખશાંતિમાં છે. શું આ ઉપરથી લેકે એમ ન ધારી બેસે કે મારી સાથે આપને પણ સુવાવડ આવેલી હશે.”
પ્રીન્સ આલ્બર્ટે હસીને નિવેદનમાં પ્રીન્સની આગળ ઈન્ફન્ટ (બાળક) શબ્દ ઉમેર્યો.
કયા મગધની નામાંકિત ગણિકા હતી. તેનું લાવણ્ય દેવોને પણ લલચાવે એવું હતું, પણ પોતાના પ્રિયતમ સ્થૂલિભદ્રના સંસારત્યાગ પછી તે સન્માર્ગે વળી હતી. છતાં પગધપતિ નિકે, તેના એ પરિવર્તનને ન ગણકારતાં, પોતાના એક વહાલા કલાકારને એની પાસે મોજ માણવા મેકલ્યો.
કલાકારે જોયું કે કેશ્યામાં ઉલ્લાસને અભાવ છે. તેને રીઝવવા તેણે રત્નજડિત પલંગમાં પડવાં પડ્યાં, ઝરૂખામાંથી એક બાણ ફેંકી, દૂર બગીચામાં આંબા પર ઝૂલતી કેરીની એક લૅબ વીંધી નાંખી. ને એ લૂંબ જમીન પર પડે એ પહેલાં જ, અર્ધચન્દ્રાકાર ગતિમાં બીજાં બાણ ફેંકી, તેની મદદથી, એ મધમધતી લુંબને ખેંચી લાવી તે પાસે બેઠેલી કેશ્યાના હાથમાં મૂકી.
કાસ્યા કલાકારને આશય પારખી ગઈ. તેનાં નયનમાં વિજળીની ચમક ઊભરાણું. તેણે તરત જ દર્પણખંડમાં સરસવને ઢગ બનાવ્યું, તે ઢગ પર એક ઝીણી સેય ભેરવી, એ સેય પર એક શિરીષપુષ્પ ગોઠવ્યું. તે પછી તેને અલંકાર સછ છે, તે પુષ્પ પર નાચવા લાગી. ન સરસવ ડગ્યા, ન સંય ચસકી, ન કુસુમ છૂંદાયું.
કલાકાર તે મેંમાં આંગળાં જ નાંખી ગયે.
“ભાઈ” કેશ્યાએ કહ્યું, “ચક્તિ કાં બને? પરમ કલા પાસે તે આ કલા કશી જ વિસાતમાં નથી.”
“એ પરમ કલા કઈ?” કલાકારે ઊર્મિછલતી જિજ્ઞાસા દર્શાવી. “સંયમ” સ્મિત ફરકતા મુખે કેશ્યાએ ઉત્તર દીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com