________________
વટપદ્ર(વડેદરા)ના ઐતિહાસિક ઉલેખે . ૨૩૩:
જણાવ્યો છે. વડોદરા–પરગણું જેવી ઘટાદાર આમ્ર-રાજિ, આનંદકારક ઉદ્યાન-ભૂમિ તથા કમલેથી વિભૂષિત સવરે અન્યત્ર તેણે જોયાં ન હતાં (પૃ. ૩૧૪), દેરા પરગણાને દરેક ભાગ પ્રાચીન સૌન્દર્ય જાળવતો હતો (પૃ. ૩૩૧). વડોદરાની આસપાસના રમણીય પ્રદેશ કરતાં અન્ય કોઈ સુંદર પ્રદેશ તેના જેવામાં આવ્યું ન હતું. આમ્ર–રાજિ અને આંબલીને વૃક્ષોની ઘટામાં રહેલ મરજીદ, મકબરા, કબ્રસ્થાને જેવાં મોગલ-વૈભવનાં સ્મૃતિચિને નગરની શોભામાં વૃદ્ધિ કરતાં જણાવ્યાં છે (પૃ. ૩૩૨, ૪૭૦). બ્રોદેરા પરગણાના ઘણે ભાગે સુપાક, સુંદર અને સમૃદ્ધ છે (પૃ. ૩૩૮). ગુજરાતમાં તાડને ઉપદ્રવ, બ્રોદરા પરગણામાં થતી રસદાર શેલડી, મોટી જુવાર, તલ, એરંડા, મહુડાં (જેમાંથી દારૂ બને છે), વિગેરે ઉત્પન્ન થતી મહત્ત્વની વસ્તુઓની જેમ્સ ફેબસે નેધ કરી છે (પૃ. ૩૩૯).
| ગુજરાતની જમીન ફળદ્રુપતમાકુ, શેલડી વિગેરેની ઉત્પત્તિ સારી થઈ શકે તેવી ભૂમિ, ગુજરાતના બગીચામાં થતા સેતુ (જેને રેશમના કીડા ખાય છે, જેનાથી જૂદી જૂદી જાતનું રેશમ ઉત્પન્ન થાય છે તે), તથા અફીણ, શણના છોડ, કપાસ, વાંસ વિગેરેની થતી ઉત્પત્તિની નોંધ કરી છે.
તે સમયમાં અનાજ તથા પશુઓ, ભક્ષ્ય અભક્ષ્ય વસ્તુઓ બહુ સોંઘી મળતી. રૂ. ૧)માં ૩૦૦ પાઉંડ વજન ચોખા અને એથી વધારે સધું જુવાર, બાજરી વિગેરે બીજું અનાજ મળી શકતું. જૂદાં જુદાં પ્રાણીનાં માંસના સાંધા ભાવો પણ તેણે જણાવ્યા છે (૨૭૩–૭૪).
પૃ. ૨૬ : વડોદરા-પરગણાનાં ગામડાં પ્રાચીન પ્રદેશો જેવાં, એક-બીજાથી બે માઈલથી વધારે અંતર પર કવચિત જ હોય છે, કે સુરક્ષિત રહેવા બધી સાથે અવિભક્ત રહે છે. તથા જલ-માર્ગે પ્રવાસ કરવા ગુજરાતમાં નદીઓ ઓળંગવા માટે માટલાઓનો ઉપયોગ કરે છે, તેની નોંધ કરી છે
પૃ. ૨૭૮ : તે જણાવે છે કે–ફતેહસિંગે પ્રાચીન હિન્દુ રાજાઓની પદ્ધતિ સારી રીતે બદલી નાખી. ફત્તેહસિંગને વિજયશંગ એવો અર્થ કર્યો છે. ગાયકવાડ (ગે-પાલ) તથા સમશિર બહાદૂર ટાઈટલની નોંધ કરી છે. મહારાજા ફતેહસિંગ ગાયકવાડે સર ચાર્સ મેલેટની મુલાકાત લીધી, ત્યારે જેમ્સ ફર્બસ હાજર હતા (પૃ. ૪૭૦). મહારાજાનું આમંત્રણ સ્વીકારી જેમ્સ ફર્બસે સાંઝે દરબારમાં તેમની મુલાકાત લીધી હતી. મહારાજાનું વય તે વખતે લગભગ ૪૦ વર્ષનું હતું. મહારાજાએ તેનું ઉચિત સ્વાગત કર્યું હતું, પરંતુ તેથી તેને બરાબર સંતોષ થયે હેય–તેમ જણાતું નથી; એથી મરાઠા સરદારના અયોગ્ય અભિમાન અને અનુદારતાની ટીકા કરી, મુસ્લીમ અને મેગલ રાજાઓની ઉદારતાની અને સભ્યતાભરી વર્તણુકની પ્રશંસા કરી છે. મહારાજા ફત્તેહસિગે તે સમયમાં થનારા પિતાની પુત્રીના લગ્નપ્રસંગે સોનેરી-રૂપેરી થેલીમાં સુશોભિત સુગંધિત આમંત્રણ પત્રિકા જેમ્સ ફર્બસને પણ મોકલાવી હતી (પૃ. ૨૮૦); પરંતુ જુદાં જુદાં કારણે વિચારી તે આમંત્રણને તેણે સ્વીકાર કર્યો ન હતો. પરસ્પર લેવડ–દેવડને વ્યવહાર કરવો પડે–એમ દૌલતરાવ સિંધિયાને ત્યાં ગયેલા બ્રિટિશ એજન્ટને દાખલ ટાંકી જણાવ્યું છે. મરાઠા દરબાર પર કૃપણતાને આક્ષેપ કરી તેણે મોગલોની ઉદારતાનું અને ૧૭૯૫માં લખનૌના નવાબ અસફઉદ્દૌલાના પાટવી યુવરાજ વછરઅલીના લગ્નપ્રસંગે થયેલ ઉદારતાભર્યા ભારે જલસાનું રસિક વર્ણન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com