SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫ ફત્તેહસિંગ ગાયકવાડના રાજ્યઅમલ વખતે અર્વાચીન હિંદુ પદ્ધતિ પ્રમાણે બંધાયેલ કાચવાળું દીવાનખાનું (આયના હાલ) જણાવ્યું છે. વડેદરાની તટબંધી કાટની નાની દીવાલોને હિંદુસ્થાનમાં ખીજા કાટા જેવી, ખુરોવાળી અને અનિયમિત અંતરે અમ્બે દરવાજા (કમાડે।) વાળી જણાવી છે. શહેરમાં બે મુખ્ય વિશાલ રસ્તાએ! માર્કેટ પ્લેસ—માંડવા કેન્દ્રમાં + મળતા જણાવ્યા છે. તે(માંડવા)ને મેગલ ઈમારત તરીકે જણાવેલ છે. તેના ઉપર તંબૂ જેવા પેન્ડિલિયન (Pavilion), તેની પ્રત્યેક બાજૂએ મેટો સુશોભિત ત્રણ ત્રણ કમાને, સપાટ છાપરૂં ખેડકા તથા તેમાં રહેલો ફૂવારા વિગેરેનું જેમ્સ ફાર્બસે વર્ણન કર્યું છે. દીવાનખાનાંનાં હલકી વાસનાઓને પેાષતાં શૃંગારી, બીભત્સ અનૈતિક ચિત્રા સંબંધમાં ટીકા કરી છે. ‘હિંદુ [રાજા]એને પ્રેમના શુદ્ધ નાજુક સ્વરૂપને ખ્યાલ હોતા નથી, તેમને પ્રેમ રસહીન હેાય છે. હિંદુ-મુરલીમ જનાનખાનાં, સ્ત્રીઓનું અજ્ઞાન, એકાંતવાસ, તેમનાં ખાલિશ ક્ષુદ્ર મનોરંજને ( બાળકા હોવાં, સારાં કપડાં અને આભૂષણોની વિપુલતા ), ધાર્મિક રીત-રિવાજો વિગેરે સંબંધમાં ટીકા કરી છે. તે સમયમાં વડાદરા રાજ્યની વાર્ષિક આવક ૬૦ લાખ રૂપિયા હતી. તે સમયે ફત્તેહસિંગ ગાયકવાડના સદગુણી દીવાન હીનંદ હતા, તેમની પત્ની સુયેાગ્ય વિશિષ્ટ સારા સ્વભાવની સ્નેહાળ હતી. પતિના કાર્યમાં તેણી સહાયક થતી. કર વિગેરે ઉધરાવવામાં દયાળુ વૃત્તિ અને ધીરજ દર્શાવતાં તેણી લોકપ્રિય થઈ હતી. પતિ બહારગામ જતાં બ્રોદરા(વડાદરા)ના રાજ-કારભાર તે ચલાવતી, હિસાબે તપાસતી, લેખન-વ્યવહાર કરતી, આપીસરાને મુલાકાતા આપતી તથા પરદેશના પ્રતિનિધિએનું કથન-શ્રવણુ કરતી હતી. નડીઆદમાં રહેલા દીવાન હીનદની ગંભીર માંદગીના સમાચાર મળતાં ત્યાં જઈ તે તેણીએ પતિને અંતકાલ પર ચિત આશ્વાસન આપ્યું હતું, અને પતિના શબ સાથે તે થ્રોદેરા આવી હતી. મહારાજા ફત્તેહસિંગે તેણીને સન્માનપૂર્વક સંરક્ષણ કરવા વચન આપ્યું હતું; પરંતુ તે દીવાન-પત્નીએ પતિ સાથે સ્વર્ગવાસિની થઈ સતી થવાનું પસંદ કર્યું હતું. બ્રોઢેરાના દરવાજા બહાર વિશ્વામિત્રી નદીના તટપર ચિતા રચવામાં આવી હતી. સતી-વેદમાં જણાવેલ વિધિ પ્રમાણે પતિના શબ સાથે જીવતાં બળી મરી, તે સતી સ્વર્ગવાસની થઈ હતી. જેમ્સ ફાર્બસ, આ સમયે આ સ્થળથી ૧૨ માઈલ દૂર હતા. સતી થવાની પ્રથા પર તેણે ટીકા કરી છે (પૃ. ૩૨૪–૨૫). વડાદરાની આસપાસમાં હિન્દુ-મુસ્લીમ શ્રીમંતાના દાનને સૂચવતી, ઘણા ખર્ચે બંધાયેલી પત્થરના થાંભલાઓવાળી અને પાણી સુધી પગથીઆંવાળી વાવડી હતી, તેમાં સૌથી માટી સાલિમાનની વાવમાં રહેલા પર્શિયન લિપિમાં લખાયેલા એક લેખમાં જણાવ્યું છે ગુજરાતના સૌથી ઉચ્ચ અધિકારી રા. રા. ઝીરખાન બીન વઝલમુલની કૃપાથી વડાદરાના મુખ્ય અધિકારી ( ગવર્નર ) સાલિમને વિશાળ સંપત્તિ મેળવી હીજરી સન ૮૦૯ ના રજબ મહિનાના પહેલા દિવસે સુંદર, મજબૂત, આશ્ચર્યજનક એ વાવ કરાવી ઉદારતાથી અર્પણ કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ચાલુ ] www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy