SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી દામોદર લેખક વિદ્યાર્થી રાણકી વાવ દામોદર કુ, ન જુએ એ જીવતો મૂ. – એ પ્રસિદ્ધ લકિત આજે તે પ્રજાની સ્મૃતિમાંથી ધીમેધીમે ભૂંસાઈ રહી છે. પણ એ ઉક્તિને પિતાને સ્વતંત્ર ને જીવન્ત ઇતિહાસ છે. ગુર્જર સામ્રાજ્યના પાટનગરને શોભાવતાં બે ભવ્ય જલમંદિરોરાણીવાવ, દામોદર કુવો–ની અપૂર્વ મેહકતા એ એકજ પંક્તિમાં વણાયેલી છે. આજે તે એ પાટણની ભાગોળે મૃત અવશેષરૂપે ઊભાં છે. તેમની કળા આથમી ગઈ છે, તેમનું સ્વર્ગીય સૈન્દર્ય કરમાઈ ગયું છે, તેમની સજીવ પ્રભા પર કુદરતની કારમી પીંછી ફરી વળી છે. પણ એક સમયે એ ગુર્જર પ્રજાને મન યાત્રાનાં સ્થાન હતાં. રસિક નયને એને નીરખી મુગ્ધ સતેષ અનુભવતાં; કલાકારે ત્યાં પ્રેરણું ઝીલતા. ને કંકણ નાચવતા સહામણું કરે પાટણની કેડીલી અપ્સરાઓ ત્યાં જ્યારે નીર સિંચતી ત્યારે તે જલમંદિરની સાથેજ જીવનમંદિર પણ બનતાં. તેમાંના એકની સાથે ગુર્જરનરેશ બાણાવળી ભીમદેવની રાણી ઉદયામતીની મનહર સ્મૃતિ જળવાઈ છે; બીજાની સાથે એ જ નરેશના મંત્રી દામોદરનું નામ સંકળાયું છે. ઉદયામતી ગુર્જરપતિની પ્રિયતમા હતી, તેને માટે એવાં જલમંદિર સર્જવવાં સહજ હતાં. પણ દાદર-એક ગરીબ બ્રાહ્મણને પુત્ર છતાં જે ગુર્જરસામ્રાજ્યના મન્ત્રીપદે પહોં; રાણાવાવની લગોલગ વાવ કરતાંય વધારે ભવ્ય રૂ બનાવરાવી જે ગુર્જરમહારાણુની સમાંતર ગણ તે વીરની બુદ્ધિ પ્રભા જાણવા જેવી છે. પાટણના એક સામાન્ય બ્રાહ્મણ કુટુંબમાં, અગ્યારમી સદીના પૂર્વાર્ધમાં તેને જન્મ થયેલ. તેને પિતા સિધહસ્ત તિષી ગણતે. જન્મ સમયે બાળકનું સન્દર્ય અરુચિ ઉપજાવે એવું હતું પણ પિતાને પુત્રની ભાગ્યરેખા બળવાન લાગી, તેની બુદ્ધિમાં તેને અલૌકિક તો જણાયાં. પુત્રને તેણે ગ્ય શિક્ષણ આપ્યું; તેની બુદ્ધિને ખીલવાનું સ્થાન મળી શકે એ રીતે રાજરંજનકલા, કૂટનીતિ વગેરે શીખવ્યાં. સમય જતાં એને ગુર્જરપતિ ભીમદેવના સમાગમમાં મૂકવામાં આવ્યો. ગુર્જરપતિએ એની બુદ્ધિથી અંજાઈ એને પર' રાજ્યખાતાના એલચીવિભાગમાં સામાન્ય દરજજો આપો. તેને વર્ણ રાધાના પ્રિયતમને મળતા હોઈ તેને દામોદરનું નામ મળેલું. કોઈ તેને લાડ કે તિરસ્કારમાં વધારે સૂચક “ડામર' ના નામે પણ ઓળખતા. ભીમદેવ રત્નપારખુ હતું. તે ગુણની કિંમત આંકો; ને તેમ કરતાં તે વય, રૂપ, જાતિ કે કૌટુમ્બિક દરજજા પર ખૂબ ઓછું ધ્યાન આપતો. પિતાના મુખ્ય મંત્રી અને દંડનાયક વિમલને તેણે એક સામાન્ય વણિક-કુટુંબમાંથી જ ખોળી કાઢયે હતું. દામોદરમ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy