________________
બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન ૨૧૫ પિતામહ અને પત્રની પુણ્ય પ્રેમ-ગાથા જગતના સ્વાર્થત્યાગી પિતાપુત્રોની તુલનામાં ગૌરવભર્યું સ્થાન લે એવી છે. આ પિતામહ અને પત્રની સાહસિક પ્રવાસ-કથા કોલમ્બસ, ડાયસ, વાસ્કેડીગામા, ડ્રેક, કૂક કે કેબેટનાં પ્રવાસ-સાહસોને પણ ઝાંખા પાડી દે એવી છે. પ્રેમની દષ્ટિએ એ કથા કવિસમ્રાટ શેકસપિયરના પ્રસિદ્ધ નાટક “The comedy of errors”નાં પાત્ર ઈજિયન અને એન્ટીફેલસ-પિતાપુત્રની પ્રેમ-કથાને કેટલેક અંશે મળતી આવે છે.
જ્યારે યુરોપીય પ્રજા પોતાના દેશને આંગણે બેસી, પોતાના પ્રશ્નોમાં પરોવાયેલી હતી; જ્યારે પોર્ટુગીઝ નાવિકને હિંદી મહાસાગરનું જ્ઞાન પણ ન હતું, જ્યારે ડચ વહાણવટીઓનો પ્રપિતામહ ટાસ્માન જ પણ ન હતું ત્યારે પોલિનેશિયન નાવિકે તુષાર-ભીના આ પ્રદેશને વસાવવા ભીષ્મપ્રતિજ્ઞા સાથે નીકળેલા, તેને ચોતરફ ફરી વળેલા અને તેને ભાગેભાગ જોઈ ચૂકેલા.
૮૦૦ વર્ષ પહેલાંના ઝાંખા ભૂતકાળના યુગમાં હવાછકી કે ટીટીના પીકે પીકાઈહીટીનાં છીછરાં નીરમાં ભારે નાવ-સમારંભ થયેલું. પહેલાં સામાન્ય નાવડાની શરત ચાલી. પછી સાગર-સફરી વહાણ નૌકા-કીર્તિ પ્રાપ્ત કરવા માટે પેસિફિક મહાસાગરના વિશાળ હૃદયમાં સંચર્યો. આ સમયે અણધાર્યું વાવાઝોડું થયું. શરત-જળપટે પડેલાં વહાણે વિખૂટાં પડી ગયાં, જમીનથી દૂર દૂર ઘસડાઈ ગયાં. આ અકસ્માત ન્યુઝીલાંડના વસવાટના શ્રી ગણેશ રૂપ નીવડ.
એક નાવનું નામ ટેવેઓ હતું. તેમાં હવાઈકીના એક “ચીફ' ટાઈ-8-રેક ને પત્ર હેા હતો. હેન્ગાનું વહાણ પાછું ન કર્યું ત્યારે વૃદ્ધ પિતામહ ટોઈ–કેરેકૌએ પત્ર મૃત્યુ પામેલ હશે એમ ધારી કલ્પાંત ન કર્યું. તેમણે તો તેને લૂંટી કાઢવા માટે ભીષ્મ પ્રતિજ્ઞા કરી. સાહસિક નાવિકે એકઠા કરી, વહાણ સજજ કરી, પિતામહ ઊપડયા; ટાપુએ ટાપુએ ભટક્યા. પ્યારા પત્રને પત્તો ન લાગે, પણ નિરાશા શબ્દ આ વૃદ્ધ દાદાના શબ્દકોશમાં ન હતા. તે સમોઆ ગયે. હેટોન્ગા ત્યાં પણ ન મળે. તે કુક ટાપુઓમાં આવેલ રેટોન્મા પહેઓ. અહીં તે “ચીફ” રંગીટીહીને મળ્યો અને સંદેશો પાઠવ્યાઃ “અહીંથી હું પેએ શેાધેલ તુષાર-ભીનો દેશ ઢઢવા જાઉં છું. મારી તપાસ કરતું કેઈ આવે તે કહેજે કે હું દૂરના ખુલ્લા જળપટમાં આવેલ ભૂમિ માટે ઊપ છું. કાં તે હું ત્યાં પહોંચીશ, અથવા તે સાગરના પેટાળમાં સમાઈ જઈશ.”
હવે દાદા ઈ-કે-કૌ કીવા (પેસિફિક) મહાસાગર, ઔટીરૌઆ (ન્યુઝીલાંડ) અને પિતાના પત્ર વહેગાની શોધમાં મેદાને પડયા. આ પ્રયાસમાં મૃત્યુની ચિંતા તેને જરાયે ન હતી. તેણે પોતાના પ્રભુમાં, નાવિક તરીકેની શક્તિમાં અને પિતાના કાર્યની અડગતામાં વિશ્વાસ મૂક્યો. ઘણા દિવસના પરિશ્રમ બાદ પિતાના થાકેલા નાવિકો સાથે તે ચેટહામ ટાપુઓને તીરે ઊતર્યો. હજુ પંથ દૂર હતા. તે ગભરાય નહિ, પણ થોડો સમય આરામ લઇ, મુખ્ય ભૂ-પ્રદેશ શોધવા નીકળે. પ્રદેશ જશે અને તે હેટાન્યાને ટૂંઢવા લાગ્યો. ન્યુઝીલાંડના . ઉત્તરના ટાપુએ, ઉત્તર ટેરેનાકી ખાતે તેણે જુદી જાતના કેટલાક દેશીઓને જોયા. પણ આ દેશીઓ પાસેથી દાદાને પિતાના દીકરાના દીકરાના કશા સમાચાર ન મળ્યા. પછી દાદાજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com