SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ • સુવાસ : ચૈત્ર ૧૯૯૫ આચાર્ય હતા એટલે શાસ્રમર્યાદામાં રહીનેજ આપી હશે એ સ્વીકારવું વધુ ચાગ્ય છે, છતાં આઠ કે નવ વર્ષની દીક્ષાવય પણ બાલકવય-નાની વય ગણાય. * નાનીવયે દોક્ષા લેનાર હેમાચાર્ય જેવા થાયજ, તેમ મેાટી .વયે દીક્ષિત થનાર તેવા નજ નિવડે એવું કાંઈ એકાંતે નથી, પરન્તુ એટલું તે ખરૂં કે અભ્યાસવૃત્તિવાળા નાની વયથી અભ્યાસ માંડી અતિશય પ્રમાણમાં અને વિશેષ ઝડપથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તેમ થતાં મહા વિદ્વાન નિવડે છે. તે વિદ્વતામાં સચ્ચારિત્ર ભળે તેા સેાનું અને સુગંધ બંનેનું સુખદ અને વિરલ મિશ્રણ થાય. આ મુનિપુંગવે નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેક્યું, ૧૭ વર્ષની વયે તેા તેમની પ્રતિભાથી મુગ્ધ થઇ ગુરુ આચાર્યે તેમને ‘હેમચંદ્ર' એવું ખીજાં નામ આપી આચાર્યપદ આપ્યું. તેમણે ૮૪ વર્ષ જેટલું લાંબુ જીવન ગાળ્યું. સિદ્ધરાજ અને કુમારપાલ બંને ગૂર્જરેશ્વરના રાજકાલમાં તે જીવન્ત હતા. સમદર્શિતા—સામાન્ય રીતે સૌને પોતપોતાના ધર્મ માટે અભિમાન રહે છે. માતાના દુગ્ધપાન સાથે મેળવેલા બાળકના સંસ્કાર તેના જીવનના ઘડતરમાં અગ્રપદ લે છે; છતાં જે પરીક્ષાપ્રધાન પુરુષ પાકે છે તે પોતાની માન્યતાને બુદ્ધિ-તર્કની સરાણે ચઢાવી તેનું સાચું મૂલ્ય આંકે છે. હેમાચાર્ય પેાતાના સ્યાદ્વાદ પ્રરૂપતા દર્શન માટે કહે છે કેઃ अभ्योऽन्य पक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नया न शेत्रा न विशेत्रमिच्छन् न पक्षपातो समयस्तथा ते ॥ હે પ્રભુ! પરસ્પર સ્વપક્ષ અને પ્રતિપક્ષના ભાવથી મત્સરથી પ્રેરિત જુદા જુદા પ્રવાદે છે તેમ તારા સિદ્ધાંતમાં નથી, કારણ કે તેમાં જુદી જુદી દૃષ્ટિએથી એકજ વસ્તુને જોઈ શકાય એમ બતાવેલું હેાવાથી તેમાં પક્ષપત રહેતા નથી-એકપક્ષીપણું નથી; (દ્વાત્રિંશિકા) વગેરે વગેરે. એજ સ્યાદ્વાદની દૃષ્ટિથી અન્ય દર્દીને પ્રત્યે પોતે જુએ છે અને તે તે દર્શનના મુખ્ય દેવાને સદેવની વ્યાખ્યા પ્રમાણે સંગત હોય તે પોતે નમસ્કાર કરવામાં જરાય આનાકાની કરી નથી. भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णु र्वा हरो जिनो वा नमस्तस्मै ॥ आर्या ॥ त्रैलोक्यं सकलं त्रिकाल विषयं सालोकमालोकितं साक्षायेन यथा स्वयं करतले रेखात्रयं सांगुलि । रागद्वेषभयामयान्तकजरा लोलत्व लोभादयो नालं यत्पदलंघनाथ स महादेवो मया वंद्यते ॥ शार्दूल० ॥ विश्वं वेदवेद्यं जननजलनिधेर्भेगिनः पारदृश्वा पौर्वापर्यविरुद्धं वचनमनुपमं निष्कलंकं यदीयम् । तं वंदे साधुवंयं सकलगुणनिधि ध्वस्तदोषद्विषं तं बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ स्रग्धरा ॥ જેના ભવરૂપી ખીજના અંકુરાને ઉત્પન્ન કરનારા રાગાદિ ક્ષય થઈ ગયા છે તે બ્રહ્મા હા, વિષ્ણુ હા, હૅર (શિવ) હા, અથવા જિન હેા તેને નમસ્કાર છે. જેને અલેાક (જ્યાં જીવની ગતિ નથી એવા પ્રદેશ ) સહિતના સકલ ત્રિલેાક જેવી રીતે પોતાની મેળે આંગળી સહિતની હથેલીની ત્રણ રેખા સાક્ષાત્ દેખાય છે. તેમ * શ્રીમાન લેખકના કેવળ 'ગત અભિપ્રાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034624
Book TitleSuvas 1939 06 Pustak 01 Ank 12
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages70
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy