SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ - સુવાસ : ચિત્ર ૧૯૯૫ આચાર્ય હેમચંદ્રના દર્શનથી તે (રાજા) પ્રમુદિત થશે. તે ભદ્રાત્મા, તે મુનિ(હેમચંદ્રાચાર્ય)ને દર્શન પછી વંદન કરવા માટે ત્વરા કરશે ( ઉત્સુકતા દર્શાવશે ), જિન-ચૈત્યમાં ધર્મ-દેશને કરતા તે સૂરિને વંદન કરવા માટે, તે રાજા શ્રાવક અમાત્ય સાથે જશે. તે રાજા(કુમારપાલ), તા(૧ દેવ, ૨ ગુર, ૩ ધર્મને ન જાણવા છતાં પણ ત્યાં દેવને નમસ્કાર કરીને, તે આચાર્ય (હેમચંદ્ર)ને ભાવ-શુદ્ધ ચિત્તવડે વંદન કરશે. તે રાજ(કુમારપાલ), તેમના (આચાર્ય હેમચંદ્રના) મુખથી વિશુદ્ધ ધર્મ-દેશના પ્રીતિપૂર્વક સાંભળીને સમ્યક્ત્વપૂર્વક અણુવ્રત શ્રાવકોનાં વ્રતો) સ્વીકારશે. બોધ પામતાં તે રાજા શ્રાવકેન આચારને પારગામી થશે. અસ્થાન(રાજ-સભા)માં રહ્યા છતાં પણ ધર્મ -ગોષ્ટી દ્વારા પોતાના આત્માને રમાડશે-વિનોદ પમાડશે. નેમિજિન-સન્મુખ શિલા પર સમાધિસ્થ થઈ ૧૩ દિવસેના અનશનથી સ્વર્ગવાસી થનાર)ને ઉલ્લેખ કરી તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ (કા. સ્થાનક ગ્રંથના કર્તા)ના પ્રશિષ્ય અને ગુણસેનસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિને પોતાના ગુરુ તરીકે પરિચય કરાવ્યો છે કે “અવનિને પવિત્ર કરનાર, અદિતીય જંગમતીર્થ સ્યાદ્વાદરૂપી ગંગાને પ્રકટાવવામાં હિમાચલ જેવા, વિશ્વને પ્રબંધ કરવામાં સૂર્ય જેવા, જેઓ સ્થાનકવૃત્તિ અને શાંતિ-ચરિત(વિ. સં. ૧૧૬૦માં ખંભાતમાં જયસિંહના રાજયમાં બારહજાર કપ્રમાણ પ્રાકૃત મહાકાવ્ય)ની રચના કરીને પરમ પ્રસિદ્ધિ પામ્યા હતા; તેઓ અત્યંત તપસ્વી અને પ્રભાવશાલી દેવચંદ્રસૂરિ થયા; તેમના ચરણ કમલને સેવતા ભ્રમર જેવા, તથા તેમના પ્રસાદથી જ્ઞાન-સંપત્તિ અને મહાદપ પ્રાપ્ત કરનાર આચાર્ય હમચંદ્ર થયા.” એવી રીતે પોતાને નમ્ર પરિચય કરાવ્યું છે" शिष्यस्तस्य च तीर्थमेकावनेः पावित्र्यकृज्जङ्गम વાદ્રા-ત્રિશાપ-નિરિવંanaોધાર્યમાં | कृत्वा स्थानकवृत्ति-शान्ति चरिते प्राप्तः प्रसिद्धि परां सूरि रितपः-प्रभाववसतिः श्रीदेवचन्द्रोऽभवत् ॥ आचार्यों हेमचन्द्रोऽभूत् तत्पा(प)दाम्बुज-षट्पदः । तत्प्रसादादधिगतज्ञानसम्पन्महोदयः ॥" તેમના યોગશાસ્ત્રમાં હિંસા-નિષેધ, તથા માંસ, મદિરા, શિકાર વિગેરેના ત્યાગ માટે અનેક ઉપદેશ તથા શ્રાવકને આચાર પણ દર્શાવેલ છે. પરમાણંત શ્રી કુમારપાલ ભૂપાલે સાંભળવા ઇચ્છયું હતું, એથી એ જ ચૌલુક્ય મહારાજની અભ્યર્થનાથી તેમણે આ યોગશાસ્ત્રની રચના કરી હતી, તથા એ અધ્યાત્મપનિષત નામના પટ્ટબંધવાળા ઉત્તમ ઉપદેશમય બાર પ્રકાશથી શોભતા સ્વપજ્ઞ યોગશાસ્ત્રની વૃત્તિ (૧૨૦૦૦-બારહજાર કપ્રમાણ) પણ એ જ મહારાજની પ્રાર્થનાથી પ્રેરાઈને તેઓએ રચી હતી–તેવો ઉલ્લેખ ત્યાં કર્યો છે– या शास्त्रात् स्व(सु)गुरोर्मुखादनुभवाच्चाज्ञायि किञ्चित् क्वचित् योगस्योपनिषद् विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनाद. आचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥ તથા વિવરણના અંતમાં-- .. " इति श्रीपरमाईतश्रीकुमारपालभूपालशुभूषिते आचार्यश्रीहेमचन्द्रविरचितेऽध्या. स्मोपनिषन्नाम्नि सजातपयन्धे श्रीयोगशास्त्रे स्वोपज्ञं द्वादशप्रकाशविवरणं समाप्तम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034624
Book TitleSuvas 1939 06 Pustak 01 Ank 12
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages70
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy