SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ખુનીની નોંધપોથી છે. તેમાંના કેટલાક મરી પણ ગયા. શું તેઓને એવું જ દુઃખ થયું હશે કે જેવું મારે એક દિવસ ભોગવવાનું છે? શું તેઓ હિંદુ છે એટલોજ તેમને અપરાધ છે? મારે ખુશી થવું કે દિલગીર ? ... પરંતુ આ પ્રમાણે કાર્યવાહી ચાલુ જ રહેશે તે લોકોમાં વહેમ પેસી જશે કે આની પાછળ કોઈ કાવત્રાં જરૂર રચાયેલાં છે. હિંદુઓ તો કહે છે કે, કોઈ આદમી કંઈ પણ કામ કરવા ઈચ્છે છે, તો તે પહેલાં અનેક દિવસ વિચાર કરે છે, નેહી-મિત્રાની સલાહ મેળવે છે. મદદ માગે છે અને આ તો એક ખૂનનું કામ છે! મારનારો જ્યાં સુધી પોતે મરવા તૈયાર ન થાય ત્યાં સુધી તે કામ કરી શકતા નથી. બે-ચાર દિવસ માટેજ બહારગામ જવું હોય તે પણ માણસ પોતાનાં બાલબચ્ચાંની ફીર કરે છે, તે હમેશને માટે તેઓને છેડી જવા તૈયાર થયેલો માણસ તેઓ માટે કેમ બેદરકાર રહી શકે ? આવું ગંભીર પગલું ખૂબ ઉશ્કેરણીવિના-ખૂબ લાલચમાં પડી વિના અને અનેક પ્રેરણાઓવિના કદી પણ બની શકે જ નહિ–અર્થાત મેં ભરેલાં આ પગલાં પાછળ કેટલું અને કેવું લાંબું પૂછડું હશે તે સમજી ન શકનાર કેટલા બેવકુફ ગણાય છે ? આ સરસાઈ એટલી સ્પષ્ટ છે કે જેટલો સૂર્યપ્રકાશ. પરંતુ આ પ્રકાશ કાઈ ઘુવડે જેવાજ ઈરછતા ન હોય એ જુદી વાત છે ! મને તે પ્રથમથી જ શક હતું કે, આ વાત જરૂર પ્રકાશમાં આવી જશે પકડાઈ જશે, પણ કોણ જાણે શા કારણથી હિંદૂઓનો આટલો શોરબકોર થઈ રહ્યો છે છતાં પોલીસ તે તરફ બિલકુલ ધ્યાનજ આપતી નથી ! પરંતુ આ વાતની મારે શા માટે ફિકર કરવી જોઈએ ? એક ખુની તે મારા માથા ઉપર છે જ, તેમાં વળી બીજાને બોજ શા માટે ઉપાડવો? જેવું જેણે કર્યું હશે તે આગળ આવશેજ. ખુદા સર્વાથી મહાન છે, તે સૌને ક્ષમા કરે. થવાનું હોય છે તે મિથ્યા થતું નથી, જે કાચા તાંતણે મારી જીંદગી લટકી રહી હતી તે આજે તૂટી ગઈ; પ્રીવી કાઉન્સીલમાં મારી અપીલની મંજુરી થઈ. આ સમાચાર સાંભળી મેં મારું માથે કટયું અને દાઢીના વાળ પીંખી નાખ્યા. મને ફાંસી જરૂર મળશે એ તો હું પ્રથમજ જાણતો હતો, પરંતુ આજે મોતના ભયથી હું કંપી રહ્યો છું, મારી ઓરડી મને નરક જેવી દેખાય છે, મને જીવતા અગ્નિમાં ફેંકી દેવામાં આવ્યો હોય એવું લાગે છે. મારા શરીર પર છાલાં પડી ગયાં છે, હું ઘણા સમયથી બળી રહું છું, પણ મરતો નથી. જેમ જેમ ચામડી બળતી જાય છે, તેમ તેમ અંદરથી નવી નવી આવતી જાય છે. હું રસ્તાઓને હાથ જોડીને કરગર્યો કે આપની ભૂલ ય છે. મેં તે એક મોટા કાફરને મારીને બહિસ્તને અધિકાર મેળવ્યો છે. મને અહીં શામાટે લાવ્યા છો? મારું નામ અબ્દુલ રશીદ છે, મોટા મોટા મુલ્લાં મોલવીઓની સલાહ પ્રમાણે મેં શ્રદ્ધાનંદનો પ્રાણ લીધે છે. ભારતના મોટા મેટા મુસલમાનેએ તેથી મને કાજી અને ગાજીની પદવી પણ આપી દીધી છે. મરિજદમાં હજારે મોમિને એ મારા માટે દુવાઓ માંગી છે. મેં કુરાનની આજ્ઞા પ્રમાણે બહિસ્ત મળવા યોગ્ય કાર્ય કર્યું છે. શું ખુદાના ઘરમાં જ ખુદાના કાયદા વિરુદ્ધ આચરણ કરવું એ વ્યાજબી છે ?” ફરસ્તાઓએ કહ્યું-“ચૂપ કમજાત કુતરા ! ખુદાનું પાક નામ તારી ગંદી જબાન ઉપર લે નહિ. તેના એક પરમ ભક્તને મારીને તે માટે અપરાધ કર્યો છે.” આ સાંભળી હું ચોંકી ઉઠયો. મેં કહ્યું-“શું ગેર ઇસ્લામીઓ પણ ખુદાના ભક્ત હોઈ શકે છે ? મેં તે અત્યાર સુધી એવું વાંચ્યું છે કે “ખુદા એક છે, મહમદ તેના રસુલ છે. તે ઉપર ઇમાન ન લાવનારા માણસ કાફિર છે, તે ખુદાને કદી ભક્ત થઈ શકતું નથી. શું આ સઘળું જૂઠું છે” ફારસ્તાઓએ કહ્યું “અરે ફૂવાના દેડકા ! એવું કશું કહે છે કે ખુદા અનેક છે ? પરંતુ પેિગંબર તે જુદા જુદા સ્થળે અને જૂદા જલ સમય ઉપર બદલાતાજ રહે છે. પાણી એકજ સમકનું હોવા છતાં, કોઈ સ્થળે નદીમાંથી તો કોઈ સ્થળે કુવામાંથી અને કોઈ સ્થળે તળાવમાંથી તે કોઈ સ્થળે ઝરણાંમાંથી મળે છે. બુદ્ધ, ઈસા, મહમદ, દયાનંદ વગેરે સધળા એકજ ખુદાને પેગામ લાવવાવાળા છે. જે તને વિશ્વાસ ન હોય તો એક વાર આંખ બંધ રાખીને અંતરમાં જે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy