SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ-ભાગ પાંચમા ૧૬ ઝંખના કરીને પેાતાના મક્કમ આદર્શો પાર પાડયા. દેશપારીના દિવસેામાં પણ તેણે કેળવણીમાંજ પેાતાના કાળ ગાળ્યો હતેા અને જાહેર શિક્ષણ અને પ્રજાતંત્ર' એ વિષયપર પુસ્તક લખ્યું હતું. તે બાઇ સાદાં કપડાં પહેરે છે, તેને દેખાવ આકક નથી; પરંતુ ઘેાડી મિનિટેા તેની સાથે વાત કરીએ એટલામાંજ તેની બુદ્ધિના ચમકારા આપણે જોઇ શકીએ છીએ. લેનિનના અવસાન પછી ‘ કેંગ્રેસ ઑફ સેવિયેટ્સ ’ને ઉદ્દેશી તેણે નીચેના ઉદ્ગારા કાઢયા હતાઃ “ કાત્રેડસ! ખેડુત અને કામદાર નરનારીએ ! મારે તમારી પાસે એક મેાટી યાચના કરવાની છે. લેનિનના વ્યક્તિત્વને ખૂબ માન આપે નહિ, એના સ્મારકમાં પૂતળાં ખાંધા નહિ. પેાતાના જીવનમાં એણે એ કશા માટે પરવા કરી નથી. યાદ રાખેા કે, આ દેશમાં ગરીબી ને દરિદ્રતા મુખ છે. જો તમારે લેનિનના નામને માન આપવું હાય તેા ખાલમદિરા સ્થાપે; કિન્ડરગાર્ટન શાળા, પુસ્તકાલયા, ઇસ્પિતાલે વગેરે ઉભાં કરેા.” (“ હિંદુસ્થાન અને પ્રજામિત્ર”ના કૈામાંથી ) ४ - विधुरलम थाय तो पछी विधवालम केम नहि ? વિધવાઓને હિંદુસમાજ ન્યાય આપશે ? હિંદુસમાજ કુંભકર્ણેની માફક ક્યાંસુધી ધારશે? જ્યારે દેશાંતરમાં પ્રગતિ અને સુધારા માટે લડતા લડાઇ રહી છે, ત્યારે હિંદુસમાજ પેાતાની મૂળ જગ્યાએથી એક ઈં`ચ પણ આગળ વધ્યેા નથી. આજના વીસમી સદીના સૈકામાં પણ અઢારમી સદીના રીતિરવાજો અસ્તિત્વ ધરાવે છે, તે જોઇ ગમે તેવા સમજી માણસને લાગી આવે એ નિર્વિવાદ છે. એ રિવાજો એટલા કઢંગા અને અમાનુષિક છે કે તે જોઇ હ્રદય 'પી ઉઠે છે. વિધવાલગ્ન કાને માટે ? વિધવાએ પુનગ્ન કરી શકે કે નહિ, તે સવાલ પ્રથમ ચર્ચાવા જેવા છે. વિધવાએ જે પેાતાનું જીવન સાદાઇ અને સદ્ગુણુથી ગાળવા માગતી હેાય અનેનિષ્કલંક રહે તે! એના જેવુ શ્રેષ્ઠ ખીજાં કાંઇ હાઈ શકેજ નહિ. મ`મ કવિ કલાપીએ કહ્યું છે કે— છે વધળ્યે વધુ વિમળતા વ્હેન સૌભાગ્યથી કંઈ ' એ સૂત્ર ઘણુંજ સરસ અને મનનીય છે; પરંતુ કાને માટે? જે વિધવા પોતાના સ્વસ્થ પતિની યાદ દિલમાં ધરી તેનાજ નામનુ' અહેનિશ રટણ કરી સ’સારના હરકેાઇ ભેગવિલાસથી વંચિત રહેવા માગતી હેાય, તેને માટેજ છે; પણ જે વિધવા તેવું જીવન ગાળવા ના માગતી હાય, સંસારસુખની લેાલુપતા તેના હૃદય ઉપર અસર કરતી હાય અને અહેાનિશ વૈધવ્ય દશામાટે તેના દિલમાં ડ ંખ થતા હાય, તેવી વિધવાઓને પુનઃગ્ન કરવાની છૂટ મળવી જોઇએ કે નહિ? કે અઢારમી સદીથી ચાલતા આવેલા રિવાજ પ્રમાણે તેણે સમાજની બંધનરૂપી ખેડીમાં જકડાઇ રહેવુ? એ મુખ્ય સવાલ છે. હિં’દુસમાજમાં વિધવાઓની સ્થિતિ કદાચ એમ કહેવામાં આવે કે, વિધવાએ શામાટે પુનર્લગ્ન કરવુ' જોઇએ? તેા એને જવાખ એ છે કે, હિંદુસમાજમાં વિધવાઓનુ' સ્થાન ઘણું અધોગતિએ પહેાંચેલું છે. વિધવા શુભ કાર્ટીમાં ભાગ લઇ શકે નહિ, એક ગુલામડી કરતાં પણ તેની પાસે વધારે કામ લેવામાં આવે છે. જી'દગીભર આશિયાળુ' જીવન ગાળવુ' પડે છે, સવારથી સાંજસુધી તનતાડ મહેનત કરવા છતાં ગાળાજ ખાવાની, શ્વસુર પક્ષ અથવા માબાપ જાણે ખવરાવવામાં તેના ઉપર ઉપકાર કરતાં હાય એમ એને જોવાનુ, પેટપૂરતું ખાવા મળે નહિ, કાઇપણ બાબતમાં એનેા અવાજ નહિ અને કેટલાંક કુટુમેમાં તે માર પણ મારવામાં આવે છે અને એટલે! સીતમ તેના ઉપર ગુન્નરવામાં આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy