SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકૃષ્ણ પરમાત્મા ઉપર મડાયેલા કેસ ૨૬૩ ખલિદાનને વખાણું હ્યું, પરંતુ તમે અને ત્યાંથી શહીદ થઈને સ્વ સદનમાં આવી ગયા છે. હવે મૃત્યુલેાકમાં એવું યુ' ભક્તહૃદય રહ્યું છે? સ્વા. શ્રદ્ધાન દુજીઃ હજી દિલ્હી નગરીમાં ‘શુદ્ધિ સમાચાર' માસિકના અધિપતિ સ્વા. ચિદાનંદજી મારી જગ્યા સાચવનાર હયાત છે. વળી ડા. મુજેનું નામ સમસ્ત ભારતમાં હિંદુ ધર્માંસેવક તરીકે મશહુર છે. વળી સુરતમાં ‘હિંદુ' નામના, વિધીને જવાબ વાળી હિંદુધ જાતિની રક્ષાથે દર રવિવારે પ્રકટ થતા અઠવાડીક પત્રના તંત્રી શ્રી ચીમનલાલ રેવાશ’કર જોષી જેમને ન્યાયાધિકારીએ ૧૩ માસની સખ્ત સજા અને રૂા. ૧૦૦૦) ના દંડ કર્યો છે, જેમણે વિરજી અદાલતમાં અપીલ કરતાં સજા ૧૦ માસ તથા દંડ ૮૦૦) રૂ।. કાયમ રહ્યો છે, જે હાલ જેલમાં છે અને ધમ ખાતર-તન-મન અને ધનથી અલિદાન સમપી જેલનાં અસØ કષ્ટ હસતે મુખડે સહી રહ્યા છે. તેમને જેલમાં કેટલું કષ્ટ પડતુ હશે તેને ખ્યાલ તેમના વજનમાં ૨૨ રતલના ઘટાડા થયા, એ ઉપરથી આપ નામદારને સહેજે આવી શકશે. આવા અનેક ભકતા હિંદમાં હજી પણ વિદ્યમાન છે. શ્રીકૃષ્ણચંદ્ર–આપની હકીકત સત્ય છે, છતાં મારે સ્પષ્ટ જણાવી દેવું જોઇએ કે, અત્યારે ભારત અને હિંદુ સમાજમાં બેશક અનેક ભકતા વિદ્યમાન હશેજ; પરંતુ તે સર્વાંમાં હું જેમને ત્યાં અવતરી શકું એવુ આદર્શો આ યુગલ એક પણ બતાવશે!? ક્યાં છે. વસુદેવ અને દેવકી માતા? ક્યાં છે એ વહાલસેાયાં ન૬ અને યશાદા ? ક્યાં છે એ પ્રણયમૂર્તિ રાધા અને રુકિમણી ? ક્યાં છે એ ગાકુલ અને વૃંદાવન! અને મારી સુવણ્મયી દ્વારિકા હજીએ યાદ આવે છે. ક્યાં છે બળદેવ સમા વીર્યેાધ બંધુ, સુભદ્રાસમી યુદ્ધવિશારદ ભગનીએ? મારા એ ગેપસખા અને એ ગેપીએ હજીયે જાણે મારી સમીપજ છે. એ ભારત! અહા એ રમણીય ભારત ખરેજ અત્યંત આદશ હતું. શુ તમે એવી સૃષ્ટિ સર્જાવ્યા વિનાજ મને ભારતમાં ખેલાવી તમારા સરદાર અનાવી મારી હાંસી કરાવવા માગે છે ? જો આ ફરિયાદમાં તમારા એવાજ મનાભાવ હાય તે! મને માફ કરશે. આવા સંજોગામાં-તમારી આ અપમાનભરી પરિસ્થિતિમાં હું આપની એ માગણીના સ્વીકાર ન કરી શકું એ દેખીતી વાત છે. સ્વા॰ શ્રદ્ધાનંદજી~એશક, આપને એવી સુરમ્ય ભૂમિ, એવા સખા, એવેા પિરવાર સંપૂર્ણ પણે હિજ મળી શકે; પરંતુ તેમાંથી કાંઇક ઉણપવાળા પ્રદેશ અને પરિવાર અમે બેશક અમારી શક્તિ મુજબ ઉપજાવી આપીશું. અમે આપને ખીલકુલ અપમાનિત નહિજ થવા દઇએ. જરૂરથી અમે આપને સ રીતે મદદ કરીશું અને આપના અવતારને સફળ બનાવવામાં અમારા કાળા આપીશું જ. આપ જણાવા છે તે સુધારા તાકીદે કરવાની અમે ખાત્રી આપીએ છીએ. નીતિમાન અને ચારિત્ર્યવાન સૃષ્ટિ અમે જરૂર ઉત્પન્ન કરીશું. શ્રીકૃષ્ણચંદ્ર—ઉપર જણાવેલ સુધારા આ હિંદુ સમાજ તાકીદે કરી દે. હું અવતરી શકું તેવી નીતિમાન, ચારિત્ર્યવાન, કીર્તિવાન, તેનેપુજ અને સુદૃઢ ગાત્રવાળી દેવી તૈયાર કરી દે; મારી દ્વાપર યુગ સમી સૃષ્ટિ ભારતમાં સ`વી દે અને યેાગ્ય ક્ષેત્ર ઉપજાવી આપે તે બિલકુલ આનાકાની વગર મારી ફરજનું મને સંપૂર્ણ ભાન હેાવાથી મારી સ્વેચ્છાથી ભારતમાં હું અવતાર લઇશ. આટલી દલીલ બાદ શ્રીકૃષ્ણ, પાતાનુ સ્થાન લીધું. અન્ને પક્ષની તકરાર સાંભળ્યા બાદ થાડે! વિચાર કરી શ્રી ઇંદ્ર મહારાજે પેાતાનુ' જજમેન્ટ નીચેના શબ્દોમાં આપ્યું. જજમેન્ટ શ્રી ઇંદ્ર મહારાજની વિરષ્ઠ અદાલતમાં કેસ નં. ૧. વિક્રમ સંવત ૧૯૮૫ ફરિયાદીઃ—હિંદુ–સમાજ રહેવાસી હિંદ વિરુદ્ધ આરેાપી-શ્રીકૃષ્ણચંદ્ર વસુદેવ. રહેવાસી દ્વારિકાના-હાલ મુકામ ક્ષીરસાગર હિંદુ સમાજની ફરિયાદ મારી સમક્ષ રજુ થઇ છે, જેમાં આરેાપી આરેાપને સ્વીકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy