SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચ ૮-દિવસમાં બે-ત્રણ વખત આપણા વિચારેનું નિરીક્ષણ કરવું. આ માટે આપણા ઋષિમુનિએએ સવાર, બપોર, સાંજ તથા મધ્યરાત્રિએ સધ્યા કરવાનું કહેલું છે. તેમાંથી બને તેટલું કરવું. મુસલમાનેાની પાંચ વખતની નિમાજ પણ આજ સિદ્ધાંતે રચાયેલી છે. ભાજનને વખતે પણ ક્રોધને દૂર રાખવે. આવી રીતે ચિત્તને પ્રસન્ન રાખી શકાય છે. ક્રોધ વગેરે વિકારાને લીધે વીનાશ થવાને ઘણા સંભવ છે. સૂતી વખતે તે ખાસ શુભ વિચારા રાખવા જોઇએ અને સપૂ યેગીઓની ઉધ તે સંયમમાત્રજ હાય છે. દાખલાતરીકે સ્વામી રામકૃષ્ણને જ્યારે સવારમાં જગાડવાના હૈાય ત્યારે તેમના કાન પાસે રિ” ની જબરજસ્ત બૂમ પાડવામાં આવતી. જો કે જે મનુષ્યને સંપૂર્ણ સમાધિ સિદ્ધ થઈ હોય તે તે। પેાતાના નિશ્ચય પ્રમાણે જાગી શકે છે. સ્વામી રામકૃષ્ણદેવ આવીજ કૈાટિના મનુષ્ય હતા, પણ તેમની સમાધિમાં રહેવાની ઉગ્ર ઇચ્છાને લીધે શિષ્યાને આ પ્રમાણે કરવું પડતું. સપૂર્ણ યેગી સિવાય કાઇ પણ મનુષ્ય નૈષ્ઠિક બ્રહ્મચારી હાઇ શકતા નથી. સુતી વખતે દૃઢ સકલ્પ કરવા કે, મારામાં કાંઇપણ ખરાબ વિચાર નહિ આવે, સ્વપ્નાદિ દોષ મને સતાવશે નહિ. હું સાડાચાર વાગે ઉઠીશ અને પ્રભુનું નામસ્મરણ કરતાં કરતાં પ્રસન્નચિત્તે સૂઇ જઇશ. આ પ્રમાણેના શુભ સૌંકલ્પથી બ્રહ્મચર્યાં ધણુંજ સરસ જળવાય છે. ** ૯–કાઇપણ સ્ત્રીજાતિને જોતાં તે આપણી માતા છે એમ ભાવના કરવી; અને તેમ છતાં પણ કુદૃષ્ટિ થાય તેા મનથી તેના પગે હાથ અડાડી નમસ્કાર કરવા અને તુરતજ હિર* ’’ની ધૂન લગાવી સદરહુ દૃશ્ય મનમાંથી દૂર કરવું. આ ઉપાય અનુભવસિદ્ધ છે. ૧૦–રસ્તાપરનાં પશુપક્ષીઓનાં કુદૃશ્યા નીહાળી નીહાળીને જોવાં નહિ, તેમજ કાઇપ, સ્ત્રીના અંગને નીહાળી નીહાળીને જોવું નહિ. ૧૧-હ ંમેશાં સાદું રહેવું, કપડાં ખાદીનાં પહેરવાં, ખાવાપીવાના પદાર્થ પણ પવિત્ર, સ્વચ્છ અને ચેાખ્ખા રાખવા. ભેાગવિલાસથી દૂર રહેવું. મન, વચન અને કાયાથી પવિત્ર રહેવું. ૧૨-હમેશાં પવિત્ર માણસા, પવિત્ર પુસ્તક અને પવિત્ર ચિત્રાની તેમજ પવિત્ર મહાપુરુષોનીજ સ`ગતિ રાખવી. મહાપુરુષનાં જીવનવૃત્તાંતે। ખાસ અગત્યનાં છે. જેવાં કે-મહર્ષિ સ્વામી દયાનંદ, વિવેકાનંદ, રામતીર્થી, રામદાસ તથા ચૈતન્ય મહાપ્રભુ. આ મહાપુરુષોના જીવનચરિત્રના અભ્યાસ જરૂર કરવા. ૧૩–.’ડા પાણીનું સ્નાન-દરેક બ્રહ્મચારીએ પેાતાથી સહન થાય તેવી રીતે ઠંડા પાણીનું સ્નાન કરવું. ગુહ્ય ભાગાને ખાસ ઠંડા પાણીથી સવારમાં તથા સૂતી વખતે જરૂર સાž કરવા. જ્યાં મેલ રહે છે, ત્યાં ઉષ્ણતા વધે છે અને વીર્યપાત થવાને ઘણા સંભવ રહે છે. ભેાજનની પહેલાં ત્રણ કલાકે સ્નાન કરવુ જોઇએ. આટલેા વખત નહિ રાખવામાં આવે તે પાચનક્રિયા બગડશે. જેને સ્વપ્નદોષ હાય તેણે સૂતાં પહેલાં માથું, હાથ તથા પગ ઠંડા પાણીથી સાફ કરવા. પછી સ્વચ્છ કપડાથી તેને લૂછી નાખવા, કમર અને તેની નીચેના ગુહ્ય ભાગે ભીના કપડાથી સાફ્ કરવા. વધારેમાં ગુહ્ય ભાગેા ઉપર ઘેાડુ ઠંડુ પાણી રેડવું, પણ તેને માલીસ કરવા નહિ. પેટને પણુ સ્નાન કરતી વખતે ઠંડા પાણીથી માલીસ કરવું. ૧૪-ઉપવાસ-અઠવાડીઆમાં એક વખત એકટાણું કરવું અને પખવાડીએ એક વખત ઉપવાસ કરવેા. ઉપવાસ કરતી વખતે આખા દિવસમાં પીવાય તેટલું ખૂબ પાણી પીવું. તે દિવસે કાંઇ પણ ન ખવાય તેા વધારે સારૂં; અને ખાવુંજ હાય તે। કાઇ પણ પ્રકારનું રાંધેલું, શેકેલુ' કે આફેલું ખાવું નહિ. જે થાડાં ફળફળાદિ ખવાય, તેને ખૂબ ચાવીને ખાવાં. જેમ બને તેમ એછું એકાદ વખત ખાવું. અને થેાડુ દૂધ પીવુ; પણ જેમ બને તેમ ખૂબ ભૂખ સહન કરવી. બીજે દિવસે સવારે ઝાડા સાર્ક ન આવે તેા ખસ્તીયંત્ર(ડુસ)થી પીઠે રસ્તે પાણી ચઢાવી મળને સાફ કરવેશ. ઉપવાસથી બ્રહ્મચ ઉપર ધણી સુંદર અસર થાય છે. ઉપવાસને ખીજે દિવસે લધુ ભાજન કરવુ, ખૂબ ઠાંસીને કશુંજ ખાવુ નહિ. ખૂબ ઠાંસીને ખાવાથી ઉપવાસનું બિલકુલ કુળ મળતું નથી. આજ કારણે રાજા મહિને ખલાસ થયે ઘણા મુસલમા। ખૂબ ખાવાથી માંદા પડે છે. ૧પહમેશાં બે વખત દિશાએ જવું અને અન્ને વખતે મળમૂત્રવિસર્જન થયા બાદ ડાબા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy