SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ-ભાગ પાંચમો भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः॥ ચિત્Eવસરતનમન્ચમદિવહેતું ચવાણુ (ય. અ૦ ૨૫ મં૦ ૨૧) હે સંગ કરવા યોગ્ય વિદ્વાન ! આપની પાસેથી અમારા કવડે અમે કલ્યાણકારી વચને સાંભળીએ. નેત્રાથી સુખકર વસ્તુ જોઈએ, દઢ મનવડે આપની સ્તુતિ કરવાવાળા થઈને અમે આ શરીરવડે વિદ્વાનોને માટે કલ્યાણકારી જે આવ્યું છે તે સારી રીતે પ્રાપ્ત કરીએ. શાયાહવા ગૃપાનો વ્યાયે નિહોતાસાતિવર્ષ | (સાપ્ર. ૧ મં૦ ૧) હે પ્રકાશ સ્વરૂપ પરમાત્મન ! કાંતિ તથા તેવિશેષ, પ્રશસિત આ દેવતાઓને માટે હવ્ય આપવાને માટે અમને પ્રાપ્ત થાઓ. સર્વ પદાર્થોનું ગ્રહણ કરવાવાળા આપ યજ્ઞાદિ શુભ કાર્યોમાં સ્મરણાદિદ્વારા અમારા હૃદયમાં સ્થિત થાઓ. ત્વમને યજ્ઞના દોરાવિષે હિરઃ | હેમમોનુપેનને એ (સા. પ્ર. 1 મં૦ ૨) હે પૂજનીય ઈશ્વર ! આપ નાના મોટા સર્વ યોના ઉપદેષ્ટા છે. વિદ્વાન લોકો વિચારશીલ પુરુષોમાં જ્ઞાનદ્વારા આપને સ્થિત કરે છે. સનવિ સૂનવેજો સૂપાયનોમવ ! સરસ્થાન વસ્તરે છે (યર અરુ ૩ મં૦ ૨૪) હે સર્વના પાલન કરવાવાળા ઈશ્વર! કોઈ વિદ્વાન મનુષ્ય ઘણુજ કૃપા કરીને પોતાના પુત્રોની રક્ષા કરીને શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ શિક્ષણ આપી વિદ્યા, ધર્મ, સારો સ્વભાવ અને સત્ય વિદ્યા આદિ ગુણવાળા કરે છે; તેની પેઠે આપ પરમપિતા પણ અમારી નિરંતર રક્ષા કરીને અમને સારા સારા વ્યવહારમાં યોજે. ऐतत्ते रुद्रावसन्तेनपरोमूजवतोतीहि अवतत ॥ થવાનાવસ તિવાણા ઈંસ જ શિવતદિ (યો અ૦ ૩ મંત્ર ૫૧) હે મનુષ્યો ! તમારે શત્રુઓથી રહિત થઇ રાજ્યને નિષ્કટક કરી, સર્વ અસ્ત્રશસ્ત્રોને સંપાદન કરીને દુરોનો નાશ અને કોની રક્ષા કરવી જોઈએ, કે જેથી દુષ્ટ શત્રુ સુખી અને સજજન લોક દુઃખી થવા પામે નહિ. પતિકુકમો થોડર્મા જશ્નોતુ વિશ્વત ન રક્ષત્રિાપુર (યઅ ૬ નં. ૩૫) મનુષ્યોને ઉચિત છે કે તેમણે સર્વની રક્ષા કરવા માટે પરમેશ્વરની પ્રાર્થના કરવી જોઈએ; તેમજ વિજ્ઞાનની પ્રાપ્તિને માટે પણ ઈશ્વરપ્રાર્થનાપૂર્વક નિત્ય પુરુષાર્થ કરવો જોઈએ, કે જેથી આપણે અવિદ્યા, અધર્મ આદિ દોષોને ત્યાગ કરીને ઉત્તમોત્તમ વિદ્યા, ધર્મ આદિ શુભ ગુણોને પ્રાપ્ત થઈને સદા સુખી થઈએ. જીવનની સાત મર્યાદા सप्तमर्यादाः कवयस्ततक्षुस्तासामिदमेकामभ्यंहुरोगात्॥ ગાયોë #માપમય નાણાં વિસધ તરસ્ય | (અથ૦ ૫–૧-૬) ભાવાર્થ–મનુષ્યના જીવનને માટે વેદમાં સાત મર્યાદાઓ નિશ્ચિત કરી છે, જેનું વર્ણન યાસ્કમુનિએ નિરૂક્તમાં કર્યું છે. જેમકે (૧) ચોરી, (૨) વ્યભિચાર, (૩) બ્રહ્મહત્ય-નાસ્તિકતા, (૪) ગર્ભહત્યા, (૫) મદ્યપાન, (૬) દુષ્ટ કમનું વારંવાર સેવન અને (૭) પાપ કર્યા પછી તેને છુપાવવા માટે અસત્ય બોલવું, એ સાત વાનાં ન કરવાં એવી સાત મર્યાદાઓ કહેલી છે. એ મર્યાદાઓનું પાલન કરવું એજ સત્કર્મ અથવા ધર્મ છે. , સંસારમાં સુખ ઇચ્છનારે ઉપરોક્ત સાત પ્રકારનું કદાપિ આચરણ કરવું નહિ. એ મર્યાદાએમાંથી એક પણ મર્યાદાનું જે ઉલંઘન કરે છે તે પાપી થાય છે. જે એ સાતે મર્યાદામાં રહે છે તે નિષ્પાપ થાય છે અને તેથી પરમાત્મામાં અને તેનામાં પરસ્પર ઉપમાનોપમેય ભાવ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy