SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ યુનાઈટેડ સ્ટેટ્સમાં મારણપ્રયાગના વધેલા પ્રચાર ૫ શું તમને એમ લાગે છે કે, સામથ્યવિના આ સ્ત્રી ચાળીસ લાખ જેવડી ગંજાવર રકમ સપાદન કરવામાં વિજયી થઈ હતી ? ન્યુયાર્કના લેાકા શું એવા અમુચક છે કે, પેાતાના રાગ મટયા વિનાજ અને લાભ થયા વિનાજ, પેાતાનાં ખરા પરસેવાનાં રળેલાં વહાલાં નાણાં તેના ખેાળામાં જઇ જઇને નાખી આવ્યા હતા ? ના, એવું કશુજ નથી. તમે ત્યાં જાએ, અને ગમે તેટલા ઢાંગધતુરા કરેા, પરંતુ એક પાઇ પણ તમને કાઇ નહિ પરખાવે. આ સ્ત્રીના વ્યાધિ નિવારવાના અસાધારણુ સામર્થ્યથીજ લેાકેા તેમની ત્રીજોરીએ તેના ખેાળામાં ઠાલવતા. એક મનુષ્ય, ડૉકટરેએ અસાધ્ય ગણેલા અને ઘેાડા દિવસમાં અવશ્ય મરણુ લાવનાર જણાવેલા પેાતાના હઠીલા રેગને મટાડવાને માટે તેને ૬૨૫૦૦૦-ગણી જુએ, છ લાખ પચીસહજાર રૂપિયા; હ્રદય કહ્યું કરે છે ?–રૂપિયા આપ્યા હતા. એક ખીજા મનુષ્યે પેાતાની સ્રીના આશાતીત વ્યાધિ મટાડવાને માટે તેને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. વિચારનાં આંદોલનેાથી રોગ મટાડવાની કળા, એ જો એક પ્રકારની લેાકેાને ધૂતવાનીજ વિદ્યા હેાય તે વિચાર કરેા કે, પચીસ વર્ષ સુધી એક સ્ત્રીના આ પ્રકારના ઢાંગધતુરા, ન્યુયાર્ક જેવા શહેરમાં, ડાકટરેાના સામેા પુષ્કળ પાકાર છતાં ચાલ્યા કરે? આવી અસાધારણ શક્તિવાળી મિસિસ સ્ટેટસનને મેકક્સિલેને તેના પદ ઉપરથી દૂર કરવા પ્રયત્ન આરંભ્યા. જે દેવળ પેાતાનાજ શ્રમથી તેણે ખાંધ્યું હતું, અને જે ખંધાતું હતું ત્યારે તેની પાલખ ઉપર ઉભી રહીને મજુરે! સાથે તેણે કામ કર્યું હતું, તે દેવળમાંથી તેને તેણે પેાતાની સત્તાથી દૂર કરવા પ્રયત્ન આરંભ્યા. આ અન્યાય તે શી રીતે સહન કરે? ઉત્તમ સાધ્વીતરીકે કેટલાક સમયસુધી તેા તેણે તે સહન કર્યું, પણ પછી તેનામાં રાક્ષસસ્વભાવ પ્રકટયેા. તેણે મેક્સિલેનને મારી નાખવા નિશ્ચય કર્યાં, જગત જેવાં શસ્ત્રો વાપરે છે તેવાં શસ્ત્રોથી નહિ, પણ વિચારરૂપી સૂક્ષ્મ શસ્ત્રથી-વિચારરૂપી વિજળીથી પોતાના ઘરમાં બેઠાં બેઠાં તેણે તેના પ્રાણ લેવા પ્રયત્ન આરંભ્યા; કારણ કે વિજળી જેમ હજારેય ગાઉ દૂર એક ક્ષણમાં જાય છે, તેમ વિચારરૂપી વિજળી પણ હજારે! ગાઉ દૂર એક ક્ષણમાં જાય છે અને પેાતાને સાધવાનું સાધે છે. વિચારને અવકાશ કશા લેખામાં નથી. કા પણ હવે આ સંબંધમાં ન્યુયૅા મેલ' નામનું વર્તમાનપત્ર શું કહે છે, તે વાંચે. મેકક્વિલેનના પ્રાણુ લેવાને સ્ટેટ્સને કેવી રીતે મારણપ્રયાગ કર્યાં, તે સંબધમાં એ પત્ર લખે છે કેઃ“ દરરાજ અને કદાચ તેમ ન ખનતું તેા થાડા થયા દિવસને અંતરે મિસિસ સ્ટેટ્સન પેાતાના ખીજા અનુયાયીઓસાથે, કેટલાક કલાક બેસતી અને વિચારનાં આંદોલનને મેસ્ટનમાં મેકક્સિલેનપ્રતિ પ્રેરીને, ધીરે ધીરે પણ અચૂકપણે તેને નાશ કરવાનેા પ્રયત્ન કરતી. “ પેાતાના જીવ લેવાતા આ પ્રકારે પ્રયત્ન થાય છે, એ વાતની મેકક્સિલેનને ખબર પડી ન ગઇ હેાત । તેના પ્રતિ પ્રેરવામાં આવેલાં આ સામથ્યાઁની સામે તે ટક્કર ઝીલી શક્યા ન હેાત, પરંતુ તે કાવત્રાની તેને ખબર પડી ગઈ અને મિસિસ સ્ટેટસન ઉપર વિચારરૂપી વિજળીવડે પેાતાના પ્રાણૢ લેવાને આરેાપ મૂકીને તેણે તેને તથા તેના અનુયાયીઓને ગુપ્ત મળવાને સંકેત તેડી પાડયા, અને આ પ્રમાણે પેાતાના જીવ બચાવ્યેા. (6 ' વિચારનાં આંદોલનને આકાશમાં પ્રેરીતે સ્ટેટસનને, પેાતાના શત્રુના પ્રાણ લેવાને પ્રયેાગ કંઇક આ પ્રકારના હતા. તે અને તેના સાથીએ નેત્ર બંધ કરીને એક અધારી ઓરડીમાં બેસતાં. પછી તેમાંના એક ખેલતા કે, ‘ તમે સ` મેકલેિનને ઓળખેા છે. તમે સ જાણા છે! કે, અંધકારવાળી પૃથ્વી જેમાંથી તે ઉત્પન્ન થયા છે, તેજ તેનુ' રહેવાનું સ્થાન છે. આમ જમીનની નીચે છ ફીટ ઉંડે જો તેનુ રહેવાનું સ્થાન છે, તેા પછી તે સ્થળમાંજ તેણે રહેવુ જોઇએ.’ “ આ પછી મેકક્સિલેન જમીનની નીચે છ પીટ ઉડે. દટાએ’ એ વિચાર ઉપર તે ઓરડીમાં હાજર રહેલાં સ` પેાતાની વૃત્તિને એકાગ્ર કરતાં. આ પ્રયાગ દિવસોના દિવસેા નિત્ય ચલાવવામાં આવ્યેા હતેા. ” " વિચારના ખળને ન જાણનાર અનેક મનુષ્યે! આ પ્રયાગથી સામાના પ્રાણ લેવાવા અશક્ય છે એમ કહેશે, પરંતુ વસ્તુતઃ તેમ નથી. ઘેાડાં વર્ષોં ઉપર ડા. આના કિંગ્ઝ‹ાઅે યૂરેપના એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy