SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૫જામકેસરી લાલા લજપતરાય ૨૩૧ એટલે અભ્યાસ દરમિયાનજ એણે મહર્ષિ દયાનંદના ગુંડા નીચે દેશના સૈનિકતરીકે પેાતાની ભરતી કરી દીધી. ૧૮૫૭ના ગદરના પ્રથમ સ્વાતંત્ર્યયુદ્ધમાં આકરા પરાજય મળ્યા પછી હિંદી પ્રજા નિરાશ ને ભમહૃદય બની હતી; અંગ્રેજી કારભારીઓની અસર નીચે હિંદુસ્તાનના મનુષ્યત્વના ધીમે ધીમે પણ સ્થિરગતિએ નાશ થઈ રહ્યો હતા; ખડિયામાં ખાપણ લઇને ભમનાર શૂરા યાદ્દાએની અને સ્વાધીનતાના પ્રેમમાં દુનિયામાં કાઇથી ઉતરે નહિ એવા બહાદૂર સ્વાતંત્ર્યપ્રેમીએની કામ કારકુના અને મહેતાએની કેામ બની રહી હતી. એ જે જેમ દયાનંદ ઉકળી ઉડ્ડો ને એ વિનાશક્રિયાને અટકાવવા કમર કસી; તેમ તેના અનુયાયી લજપત પણ ઉકળી ઉઠો, તે જો જીંદગીની કુરબાનીથી આ ક્રિયા અટકી પડતી હૈાય તે તે રીતે પણ તે અટકાવવા કટિબદ્ધ થયા. લજપતરાયના એ જુવાનીના દિવસે માં જાખમાં આસમાજનું પરિબળ હતું. લડાયક જીસ્સાથી ઉભરાતા આ સમાજીએ દયાનંદના મેધ મુજબ ભારતીય પ્રજાના નવવિધાનના કાર્યાંમાં એકાગ્ર બન્યા હતા. એ કાર્યની ત્રણ પંજાબી જીવાતાએ સરદારી લીધી, લાલા હંસરાજ, ગુરુદત્ત વિદ્યાર્થી અને લાલા લજપતરાય, આર્યસમાજના આ ત્રણે સરદારેા, જેમને પૂરાં વીસ વર્ષ પણ નહેાતાં થયાં, જેમના હૈાં ઉપર મૂછના દ્વારા પણ નહેાતા છુટયે એવા ભાવનાભિખ્ખુ જીવાને હતા. જુવાન ! જગતનું પુનઃવિધાન કરવાની જુમ્મેદારી તારે શિરે છે; નૂતન જગતનું સન તારે હાથે થવુ જોઇએ ' એ યુગાદેશને લજપત, હંસરાજ અને ગુરુદત્તની ત્રિપુટિએ બરાબર ઝીલ્યા અને પંજાબમાં પ્રથમ સામાજિક અને ધાર્મિક સુધારણાનું કામ હાથ લીધુ. " નવયુગના સંદેશવાહક સરખા એ ત્રણે જીવાનાએ, મુદ્દાઓમાં પ્રાણ પૂરતી, સ્વાધીનતાને માટે શાણિત માગતી એ અજબ પ્રેરણાવત વાણીના બળે પંજાખીને ખડેા કરી દીધેા. ત્રણે જીવાને અભ્યાસ કરતા, વિદ્યાલયમાં મેખરે રહેતા, ભાષણા કરવા ભટકતા, વેદાના વાદવિવાદ કરતા અને આજે લાહેર તે! કાલે હીસાર એમ સત્ર ભટકીને આગામી જંગને માટે જનસમુદાયને ઢઢાળતા. હુંસરાજ યાજનાએ યેાજતા, ગુરુદત્ત પ્રેરણા અર્પતા અને લજપતરાય ક`વીરના વેગથી એ યાજનાઓને સ્થૂલાકાર આપતા. આમ સ્વામી દયાનંદ પછી આ સમાજની સસ્થા અને પ્રવૃત્તિને આ ત્રણે જણે એટલી ચેતનવંત ને પ્રખળ બનાવી મૂકી કે એ સંસ્થાના સર્જનહારતરીકે મહર્ષિ દયાનંદ પછી કાઇનું નામ મૂકી શકાય તેા એ ત્રિપુટીનુ જ. પેાતાની ભાવનાના ર્ગ, અંતરનું જોમ, અંગનું ચેતન અને કમાણીનું સઘળું ધન એ પ્રવૃત્તિ પાછળ રેડી રેડીને એ ત્રણે જીવાનાએ પજાબમાં સામાજિક, ધાર્મિક અને કેળવણીનાં નવસર્જન માંડવ્યાં, એમના અદમ્ય ઉત્સાહ ને અથાક પરિશ્રમે ૧૮૮૬ના જીનની પહેલી તારીખે લાહારમાં યાન ગ્લે વૈદિક કૅાલેજ'નેા પાયા નંખાયે. હિંદી ભાષાના પ્રચાર કરવા, સંસ્કૃત અને અંગ્રેજી જ્ઞાન ફેલાવવુ તથા ઔદ્યોગિક જ્ઞાનપ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવા-એવા ઉદ્દેશથી પંચનદોના મુલકમાં મંડાયેલી આ કાલેજ તે કાળે તેા પંજાબમાં એક અને અદ્વિતીય હતી અને આજે પણ વિદ્યાર્થી સંખ્યા અને શિક્ષણુની ઉત્તમતામાં તે સૌથી પહેલી ઉભી છે. લજપત, હંસરાજ તે ગુરુદત્તની ત્રિપુટએ તે આ કૉલેજ સરકારી શિક્ષણુખાતાથી સ્વતંત્ર રહીને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવતા રાષ્ટ્રીય શિક્ષણના પ્રયેાગ કરવા કાઢેલી; પણ આ ભાવના પૂર્ણપણે પાર ન ઉતરી. આજે એ કાલેજ પંજાબ યુનિવ સિટિ સાથે જોડાયેલી છે; પણ એ છતાં, ત્રણ જુવાનિયાએ એક કૉલેજ સ્થાપે અને તેના પાયા આવા સુદૃઢ નાખે, એ વસ્તુ તો દુનિયાના ઇતિહાસમાં પણ વિરલ છે. લજપતનું ધડતર એવાં જબ્બર કામે આરંભી શકે અને પાર ઉતારી શકે એવી અસામાન્ય ધાતુતું હતું. દરમિયાન પ ંજાબ યુનિવર્સિટિની કાયદાની પદવી લઇને લજપતરાયે હીસારમાં વકીલાત માંડી દીધી હતી. કુનેહભરી વેધકબુદ્ધિ અને તેજસ્વી વક્તૃત્વશક્તિને પ્રભાવે તેણે પેાતાના ધંધામાં સારી પ્રતિષ્ઠા જમાવી અને હીસારના વકીલેામાં અગ્રણીપદ મેળવ્યું; પણ ધંધા કરતાં તેને ખીજી ઉચ્ચતર વસ્તુની પરવા-લગની વધુ હતી, એટલે સમૃદ્ધિની છેાળા ઉડાડતી વકીલાતના ધંધાની મહત્ત્વાકાંક્ષા ત્યજીને તેણે પ્રાંતના સમુદ્ધારના કામાંજ જીવનશક્તિ ઠાલવવા માંડી. અહીં પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy