SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ મરનાર એકફેડનનું અસાધારણ જીવન ६७ - बरनार मेकफेडननुं असाधारण जीवन ૧૨૫ “ આપણે હાલ જાણીએ છીએ તે ઉપરથી એવા નિશ્ચય ઉપર આવી શકીએ કે, આપણા દેશના હાલના સચેગેામાં આરોગ્યસંરક્ષણના બધા નિયમે પાળવામાં આવે તે આપણા લેાકની સામાન્ય આયુષ્યમર્યાદામાં ત્રીસ વર્ષને વધારે થાય. માતનું પ્રમાણ અડધાઅડધ ધટી જાય અને તેની સાથે માંદગીમાં સપડાઇ કામ કરવાને કાયમના નાલાયક થઇ પડતા લેાકાની સંખ્યામાં મરણપ્રમાણ કરતાં એવડા ઘટાડે દરવર્ષે થાય. ખીજા શબ્દોમાં કહીએ તેા આ દેશની મૃત્યુસંખ્યામાં દરવર્ષે` ૪૦ લાખના ઘટાડા થાય અને રાગીઓની સંખ્યામાં ૮૦ લાખના ધટાડા થાય, આ આંકડા હૃદયભેદક લાગે છે; પરંતુ તે પ્રમાણમાં સિદ્ધ છે અને નિવિવાદ રીતે આરોગ્યરક્ષણની બાબતમાં આપણી અજ્ઞાન હાલત દેખાડી આપે છે. ” —શ્રીમંત મહારાજા સયાજરાવ ગાયકવાડ આજે દેશમાં ચારે દિશાએ ધનવાનાના ધનનેા પ્રવાહ દરદીઓને રાગમુક્ત કરવા, દવાખાનાં કાઢવા તથા સેનેટેરિયમ બંધાવવા તરફ વહી રહેલા છે. શ્રીમતે અને મેાટા મેટા અમલદારેાના સ્મારકતરીકે દવાખાનાં કાઢવાની પ્રથા પડી ગઈ છે. દેશમાં સરકારી તેમજ ખાનગી વૈદ્ય–ડાટરેશનાં દવાખાનાંની ખેાટ નથી. ગામેગામ વૈદ્ય ડાટા ઉભરાઇ જાય છે, છતાં દેશમાં રાગપીડિતાની સંખ્યા એછી થતી નથી. ડૅાકટરા અને દવાખાનાં વધે તેમ દરદીએ અને મરણપ્રમાણની સખ્યા ઓછી થવાને બદલે વધતીજ જાય છે. જ્યાં જુએ ત્યાં લેકે માંદા તે માંદાજ. અકાળ મૃત્યુનું પ્રમાણ ઘણું મેટુ, કુદરતી મરણ જેવું તેા કેાઈ સમજતુંજ નથી. જે કારણથી લેાકેા રાગપીડિત રહેતા હેાય તે શેાધી કાઢી તે કારણા દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે તેા રાગીઓની સંખ્યા અને અકાળ મૃત્યુનું પ્રમાણ ક્રમ ઓછું ન થાય ? આપણામાં કહેવત છે કે “ ઉપાય કરતાં અટકાવ ભલેા. ’ લોકેા માંદા પડે એટલે તેમને દવા આપવામાં આવે. તેએ સાજા થયા પછી તેના તેજ કારણે ફરી માંદા પડે એટલે તેમને દવા આપવામાં આવે. આવા ક્રમ ચાલ્યા કરે તેથી તે તેમની જીવનશક્તિ હણાઇ જાય છે. દરદીઓને દવા આપવા જેટલી જરૂર તેએ સામાન્ય દરદીના ભેાગ થઇ પડતા બચે અને તંદુરસ્તી સાચવી શકે એવા પ્રકારનું જ્ઞાન આપવાની જરૂર છે. અંગ્રેજીમાં ડેંૉક્ટર શબ્દને અ‘તંદુરસ્તીનું જ્ઞાન આપનાર' એવા થાય છે. ડૅાકટરા એ અમાં કામ કરતા હેાય તે રાંગપીડિત અને મરણનું પ્રમાણ કેમ ન ઘટે? જ્ઞાન એ શક્તિ છે. જ્ઞાનવિના કદી મુક્તિ નથી. દરેક પ્રકારનાં દુ:ખ-દરદેશનું મૂળ અજ્ઞાન. જ છે. આરેાગ્ય વિષયના જ્ઞાનના અભાવે અસંખ્ય લેાકેા અનેક પ્રકારનાં દરદેાથી પીડાતા હાય. છે. એમને માટે દવાખાના જેટલીજ જરૂર તેએ પેાતાની તંદુરસ્તી સાચવી શકે એવી કસરત, સાદા ખારાક, ખુલ્લી હવા, શરીરરચના અને આરેાગ્યદાયક રહેણીકરણી વગેરે વિષયાનું જ્ઞાન આપવાની છે. સમાજમાં એ વિષયેાનું જ્ઞાન વ્યાખ્યાને, લેખા, હસ્તપત્રિકાઓ, પ્રદર્શના વગેરેદ્વારા આપવાની અર્થાત્ બહેાળા પ્રમાણમાં જ્ઞાનપ્રચાર કરવાની અનિવા` જરૂર છે. આ વિષયમાં અમેરિકામાં મિ. મેકફેડન નામના ગૃહસ્થે અથાગ પરિશ્રમ કરી લાખા લેાકેાને ખરી તંદુરસ્તી ભાગવતા કર્યાં છે. તેનેા હેવાલ જાણવા જેવા હાઇ અત્રે સંક્ષેપમાં આપું છું. મિ. મેકફેડન પોતે લખે છે કે, હું સત્તર વર્ષની યુવાન વયે પાતળા, દમીએલ અને શરદીથી પીડાતા મુડદાલ છે.કરા હતા. તે વખતે મને ન્યુમેાનિયાની સખત અસર થઇ હતી. દવાથી દરદો મટે છે એવા મારા વિશ્વાસ જતા રહ્યો હતા; કારણ કે મારી શરીરસંપત્તિમાં ડાક્ટરાની દવાથી જરાએ સુધારે થયેા ન હતા. ન્યુમેનિયાને લીધે મારી છાતીમાં સખત દુખાવે રહેતા હતા. તે સમયે વિચાર કરતાં હું એવા નિશ્ચય ઉપર આવ્યેા કે, મનુષ્યશરીરમાં પેાતાની વ્યવસ્થા સુધારી લેવાની શક્તિ ઈશ્વરે નિર્માંણ કરેલી છે તેને કામ કરવાની તક આપવી જોઇએ. આ વખતે દરેક મનુષ્ય માને છે તેમ હું પણ માનતા કે, શરીરની શક્તિ ટકાવી રાખવા ખારાક લેવાજ જોઇએ; તેથી હંમેશના રિવાજ મુજબ કાંઇ તે કાંઇ ખારાક હુ લેતા હતા. ન્યુમેનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy