SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શુભસંગ્રહ–ભાગ ચાથા યાના દરદ વખતે જ્યારે મારી તબિયત વધારે બગડતી ચાલી તે વખતે મતે વિજળીના ચમકારા પેઠે વિચાર આવ્યો કે, હું જે ખેારાક લઉં છું તેથી આ દરદને પેાષણ મળે છે અને દરદ ચાલુજ રહે છે. જો હું ખાવાનું છેાડી દઉં' તે શરીરમાં જે સંરક્ષકશક્તિ રહેલી છે તેને કામ કરવાની તક મળી તે દરદી હાંકી કાઢશે. તરતજ તે દિવસથી મેં ખાવાનું અધ કર્યું. એટલે એક-બે દિવસમાં દરદનું જોર નરમ પડયુ. ત્રીજે દિવસે તેા ધણે! આરામ જણાયે અને ચેાથે દિવસે ન્યુમેનિયા દૂર થયા. મંદવાડદરમિયાન ખેચેની લાગતી ત્યારે થાડી ઘેાડી કસરત પણ કરતા હતા. તે પછી આજ સુધીના અનુભવથી મારી એવી ચાક્કસ માન્યતા છે કે, દરદ માત્ર એકજ છે અને તે અસ્વચ્છ થયેલુ લેાહી. ઉપવાસ કરવાથી બગડેલું લેાહી સ્વચ્છ થાય છે. આપણે ખેારાકતરીકે નક્કર પદાર્થોંજ ખાઇએ છીએ, તેની સાથે હવા અને પાણીની પણ તેટલીજ જરૂરી છે. આપણે તેને ખારાકતરીકે ગણતા નથી. જો ખારાકતરીકે ગણીએ તે ખરૂ' જોતાં અપવાસ જેવું કાંઈ રહેતું નથી. હવા અને પાણીને પચાવવા પાચનક્રિયાના અઘ્યાને કાંઇ મહેનત કરવી પડતી નથી. આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ, ત્યારે નક્કર ખારાક ન ખાવાથી શરીરસ રક્ષક શક્તિને એક એવી તક આપીએ છીએ, કે જે આપણા શરીરરૂપી ધરમાં એકઠા થયેલેા કચરા કાઢી નાખે અને આ બધા કચરા કાઢી નાખવાની ક્રિયા એનું નામજ દરદતા નાશ. મી. મેફેડન સત્તર વર્ષની વય સુધી દરદોથી ઘેરાયેલા અને તવાઇ ગયેલા શરીરવાળે હતા. તે પછી તેણે શરીરની ખીલવણી કરવાના અને આરેાગ્ય રહેવાના કુદરતી ઉપાયો શોધવા માંડયા. એ વિષયમાં તેણે એટલું બધું ધ્યાન આપ્યું કે આજે તેની બરાબરી કરી શકે એવી શરીરસંપત્તિવાળા માણસા દુનિયાપર ઘેાડાજ હશે. પેાતે મજબૂત અને તંદુરસ્ત શરીરવાળા થઇને તે બેસી રહ્યો નથી. આરાગ્યસબંધી જ્ઞાનના અભાવે દુઃખમાં સડતી જનતાને તે મેળવેલા અનુભવના લાભ આપવા સારૂ ત્રીસ વર્ષથી તેણે ફીઝીકલ કલ્ચર ખાતાની સ્થાપના ન્યુયાર્ક શહેરમાં કરેલી છે. આજે તેને એટલી બધી પ્રસિદ્ધિ મળેલી છે કે, ચૂપ-અમેરિકામાં મિ. મેકફેડન “ફાધર આફ્ ફીઝીકટાપથી ” એટલે દાવિના દરદે મટાડવાની વિદ્યાના શોધકતરીકે અકાય છે. k મી. મેકફેડન માને છે કે, તંદુરસ્તીની બાબતમાં સૌથી વધારે ખરાબ અસર ખેાટી લેાકલાજથી થઇ છે. સામાન્ય રીતે લેાકેાનાં શરીર ઘાટદાર આદરૂપ થઈ તે તંદુરસ્તીનું ખરૂં સુખ ભાગવતા થાય એ માટે સમાજમાં નીતિની છાયા નીચે ધર કરી રહેલી ખરાબ બદીઓ સામે તેણે જોસભેર લખવા માંડયું. વળી એ વિષે જાહેર ભાષણે। આપવાં શરૂ કર્યો, દવાઓના વધી પડેલા ઉપયેગ સામે તેને પાકાર ચાલુજ હતા. આ સર્વ કારણેાથી કેટલાક સ્વાર્થીપરાયણ લેાકેા પેાતાના ધંધાને અંગે તેનાથી નારાજ હતા. દિનપ્રતિદિન ઘણા લેાકેાની ધૃતરાજી તેના ઉપર થતી ગઈ. દુશ્મનેાએ તેના લખવાના અને અન કરી તેની સામે કાર્ટીમાં કામ ચલાવ્યુ. જજે તેને બચાવ સુદ્ધાં સાંભળવાની ના પાડી. તેના ઉપર મૂકાયલા તહેામત લેાકેાને તે આડે માગે અને અનીતિના રસ્તે દોરે છે ” બદલ તેને એ વરસની કેદ અને ૨૦૦૦ ડાલર દંડની શિક્ષા ફરમાવી. હાઇકામાં અપીલ કરી તેમાં પણ તેને દાદ મળી નહિ, એટલે તેને કેદખાનામાં જવુ પડયું. કેદની સજા થવાથી તેના વખાણનારાઓમાં ભારે ખળભળાટ થયા. તેમણે મી. મેકફેનને છેાડી મૂકાવવામાં અમેરિકન સરકાર સામે જોસભેર ચળવળ ચલાવી. પરિણામે અમેરિકાના મહાન પ્રેસીડેન્ટને એ બાબત પેાતાના હાથમાં લેવી પડી. મેકફેડનની ખાખતમાં તેણે જાતે તપાસ ચલાવી તેને નિર્દોષ ઠરાવી છેવટે છેાડી મૂકયો; પણ તે દરમિયાન તેને દોઢ વર્ષી કેદમાં રહેવુ પડયુ. કેદખાનામાં લાખા દિલાસાપત્ર એના પ્રશંસકા તરફથી મળ્યા હતા. આ બનાવ પછી ફ્રીઝીકલ કલ્ચર મેગેનિ’ધણું પ્રસિદ્ધિમાં આવ્યું અને એના સિદ્ધાંતા તરફ બધા અમેરિકતાનું ધ્યાન ખેચાયું. મી. મેકફેડનને ઇગ્લેંડની સરકારે પાર્લોમેટના સભાસદો સમક્ષ પ્રીઝીકલ કલ્ચરની બાબતમાં ભાષણા આપવા આમ`ત્રણ આપી તેને ધણું માન આપ્યું હતું. આ વખતે ઈંગ્લેંડથી પાછા ફરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy