SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કાળજાવિષે કેટલીક જાણવાજોગ હકીક્ત 11e લોકો ગમે તેમ ધારે, પણ જો તમે તમારું શ્રેય ઈચ્છતાં તો છાજી લેવાનું, લશ્કરી ઘાટે ફૂટવાનું બધું મૂકી દો અને પ્રભુસ્મરણ સાથે દિલાસો આપવાની રીત દાખલ કરે. એમાંજ તમારું કલ્યાણ સમાયેલું છે !” આમ વાત ચાલતી હતી તેવામાં રામજી કાકા આવતાં આ વાત બંધ પડી. ભેગાં થયેલાં બૈરાંને વાત તો ગળે ઉતરી કે રમણે જે કહ્યું, તે ઘણું જરૂરી અને હિતકારક છે; પણ તેને અમલ કણ કરે? (“પ્રચારક”ના એક અંકમાં લેખક શ્રી. આનંદપ્રિય આત્મારામ પંડિત) ६५-काळजाविषे केटलीक जाणवाजोग हकीकतो “મારૂં કાળજું સુસ્ત બની ગયું છે એટલે શું? સુસ્ત કાળજું જેને અંગ્રેજીમાં “સ્લગીશ લીવર' તરીકે ઓળખવામાં આવે છે, તેથી હજારો પુરુષો અને સ્ત્રીઓ પીડાય છે. સુસ્ત કાળજું આજકાલ સાધારણ દર્દ થઇ પડયું છે. અને તે ઘણુક દર્દીનું મૂળ થઈ પડયું છે. નામાંકિત તબીબોનું કહેવું છે કે, કાળજું કદી પણ સુસ્ત બનતું નથી, પણ તે ઉપર જોઈએ તે કરતાં વધુ કામને બોજો પડતો હોવાથી દર્દીએ પિતાના કાળજાને સુસ્ત કાળજા તરીકે ઓળખે છે; પણ ખરી રીતે તે તે કદી પણ સુસ્ત પડતું નથી. આવે વખતે ખોરાકતરીકે ટમાટાં, છાશ, પટેટા અને મધ ફાયદાકારક થઈ પડે છે. આ વખતે સમૂળગા અનાજ ઉપર જીવવું લાભકારક નથી; કેમકે એકલું અનાજ ખાવાથી એસીડમાં ઘણે વધારો થવા પામે છે. વળી આવે વખતે શેરડીમાંથી બનતી ખાંડ પણ કાળજાને વધુ નુકસાન કરે છે. ખાંડની જગાએ મધ લેવું એ વધુ સલામતીભર્યું છે. ખૂબ યાદ રાખવું કે, જ્યારે કાળજાને સુસ્ત બનેલું માનવામાં આવે એટલે કે તે ઉપર જોઈએ તે કરતાં કામને વધુ બોજો પડે તે વખતે રાબેતાનો ખેરાક એકદમ બદલી નાખ. સુસ્ત કાળજાને મજબૂતી આપવા યા તેને જેશ આપવા માટે ખાસ ખોરાક જેવું કશું હોતું નથી. કલેજુ-એ શું છે અને તેની ફરજ શી છે?. જ્યારે મને “સુસ્ત કલેજ માટે ઉપર બેસવું પડયું છે, ત્યારે કલેજું શું છે અને તેની ફરજ શી છે, તે ઉપર કાંઈક લંબાણથી બેસવાનું હું આજે વાજબી ધારું છું. એક નામચીન તબીબે ઘણીજ વાજબી રીતે કહ્યું છે કે, જીંદગીને સુખી યા દુ:ખી બનાવવાનો આધાર કાળજા ઉપર રહ્યો છે. આ બેલેબોલ ખરૂં છે અને એટલા માટે પિતાને ઇનસાનતરીકે ઓળખાવનાર દરેકે કલેજાવિષે જાણવું આવશ્યક છે. કેટલીક અજબ જેવી ઇદ્રિમાં કાળજી પણ એક છે. તેને ઘડીએ ઘડીએ વિચાર ફેરવનારી ઈદ્રિય તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાંની કોઈ પણ ઈદ્રિય કરતાં કાળજું વધુ જૂદું કામ કરે છે. તે એક સાદી ઇંદ્રિય છે, જે પેટની અંદર આપણી હાર જમણા પડખામાં પાંસળીઓની પાછળ છુપાયેલું છે. ગરીબ બિચારું કાળજું ! વખતે વખત માણસની મોટી સમજ-ફેર ! અને તેઓની સજાને ભોગ બિચારા કાળજાને થઇ પડવું પડે છે. મેં ઘણુક દર્દીઓને વખતોવખત પોતાના ડેકટરને કહેતાં સાંભળ્યાં છે કે, અગર જો સારૂં કલેજું આવા શરીરમાંથી કાઢી નાખવામાં આવે તો હું જરૂર દેહથી સુખી બનું. કલેજું મોટામાં મોટું અંતરવયવ છે; કેમકે એનું વજન આશરે ચાર રતલ જેટલું છે. જમણી બાજુથી ડાબી બાજુ સુધી તેની લંબાઈ આશરે એક ફૂટ અને પહોળાઈ શુમારે ૮. ઇંચ જેટલી છે. કલેજુ ઝેરને નાશ કરનાર માંસગ્રંથિ કહેવાય છે, પણ તે બીજું ઘણુંક જાદુ જૂદું કામ બજાવે છે. તે પિત્ત બનાવે છે જે ખેરાકને પચાવે છે અને ખેરાકની ચરબીઓનું આ પ્રસંગે દારૂ કે એવી બીજી નુકસાનકારક ચીની ભલામણ કરનારા મળે તેમનાથી સાવચેત રહેવાનું છે. સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy