SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૩૦—મહાન દેશભક્ત જાન હેનરિચ પેસ્ટૉલાજી પેસ્ટાલાજી એક એવા માણસ હતા કે જે પેાતાના સમસ્ત જીવનપર્યંત અસફળતાએ સાથે યુદ્ધ કરતા કરતા આખર સુધી દૃઢ રહ્યો હતેા. તેની ખાત્રી હતી કે, તેના વિચારા માનવજાતિને માટે ઘણાજ હિતકારી છે. પેાતાના વિચારાને તેણે કેટલીયે વાર શબ્દાદ્વારા તેમજ કા દ્વારા. વ્યાવહારિક રૂપમાં પણ પ્રકટ કર્યાં હતા. તેની જગાએ બીજે કાર્ય હેત તે તેણે અસફળતાએને તામે થઇ ક્યારનાયે પેાતાના વિચારા છેડી દીધા હાત. તેનું જીવન એ એક ગરીમાને જીવંત ઇતિહાસ છે. જીવ્યા ત્યાંસુધી તે તેને વિજય પ્રાપ્ત થયે। નહિ; પરંતુ તેના દેહાન્ત પછી આજે છેક સેા વર્ષે આ દિવાની દુનિયા જોઇ શકી છે કે, તેના વિચારા કેટલા ગંભીર હતા. તેના અધુરા અનુભવેા પણ આજે પ્રમાણભૂત દૃષ્ટાંતતરીકે ગણાય છે; અને જ્યાં શિક્ષણની: જરા પણ ચર્ચા થાય છે, ત્યાં તેનું નામ આદરપૂર્વક સંભારવામાં આવે છે. પેસ્ટલેજીને જન્મ સને ૧૭૪૬ ની ૧૨ મી જાન્યુઆરીને દિવસે જ્યુરિચમાં થયા હતા. તેના પિતા જેએ એક વૈદ્ય હતા તેએ તેને પાંચ વર્ષના મૂકી મૃત્યુ પામ્યા. પિતાના મૃત્યુ પછી તેની માતાએ પેાતાનાં ત્રણ સતાનેાનું (પેસ્ટાત્રાના એક ભાઈ તથા બહેન) પાલનપોષણ એક નાકરની મદદથી બહુ ઉત્તમ રીતે કર્યું. કૌટુબિક જીવનના અનુભવેાથી પેસ્ટલેાજીને ચાર બાબતેામાં દૃઢ વિશ્વાસ બંધાયા હતા કે, શિક્ષકામાં માતાનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે; શિક્ષકે શિષ્યપ્રત્યે પિતૃભાવથી વર્તવું જોઇએ; કૌટુ ંબિક સુખજ સર્વોચ્ચ સસારી સુખ છે અને વિશ્વપ્રેમજ શિક્ષણની પૂર્ણાંતાને દર્શાવી આપનાર છે. પોતાના ધર્મપ્રચારક પિતામહના વિચારેા ધ્યાનમાં રાખીને પેસ્ટાલેજીએ પણ પ્રચારક ચવાના નિશ્ચય કર્યાં હતેા; તેથી જૂરિય યુનિવર્સિટીમાં દાખલ થતાંજ તેણે અધ્યાત્મવિદ્યા શીખવાનું શરૂ કર્યું.... જે વિભાગમાં પેસ્ટાલેાજી રહેલે હતા તે વિભાગના લગભગ બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ વિચારાના હતા. તેમણે પોતાનાજ પ્રશ્નધથી એક માસિકપત્ર કાઢવુ શરૂ કર્યુ અને તેનું મુખ્ય તંત્રીપદ પેસ્ટાલેાજીને આપવામાં આવ્યું. વીસમી સદીના વિચારે। સાથે સરખાવીએ તે તે તે એક સાધારણ કામ ગણાય. પત્રમાં રાજનીતિને સ્થાન મળતું ન હતું; પણ તે સમયે સ્વતંત્ર વિચાર પ્રકટ કરવા તે પણ ભયંકર અપરાધ ગણાતા. એટલે આ પત્ર ઉપર પણ સરકારની નજર ચેાંટી અને બળવાખેાર ચળવળનું પૂરૂપ ગણીને તેને તરતજ જપ્ત કરવામાં આવ્યુ` તથા તેના યુવક સંપાદક પેસ્ટાલેજીને માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે તેના કેટલાક સહાધ્યાયીએ કે જેએ તે પત્રમાં લેખે લખતા હતા તેમની સાથે કેદ કર્યો. જેલમાંથી છૂટયા પછી તેણે રાજપ્રકરણમાં ઝુકાવ્યુ અને ખેડુતેનુ' અત્યાચારાથી રક્ષણ કરવાનું કાર્ય હાથમાં લીધું. તેજ વખતમાં રૂસાનું શુદ્ધ સ્વાભાવિક જીવનની પ્રશ'સાએ” નામનુ પુસ્તક વાંચીને તેને સામાજિક જીવનને અનુભવ પ્રાપ્ત કરવા માટે ખેડુતનું જીવન ગાળવાનું મન થયું. એક બાજુ એક ઉચ્ચ કુટુંબની કન્યા સાથે તેના વિવાહની ચર્ચા પણ થવા લાગી. એક વ સુધી ખેતીનુ કામ શીખીને તેણે ઘેાડી જમીન ખરીદી અને ખેતી શરૂ કરી દીધી. જે સ્ત્રી સાથે તેનાં લગ્ન થયાં તેની ઉપર લગ્ન પહેલાં લખેલા પત્ર વાંચતાં તે! એક વાર આશ્ચર્યચકિત થઈ જવાય છે. પેાતે કેવા વિચારને માણસ છે તે તેને સ્પષ્ટ કહી દેવાનું તે પેાતાનું કર્તવ્ય સમજતા હતા; તેથી તેણે લખ્યું હતું કે, હું નમ્ર સાથે ધણેાજ નમ્ર થઇ શકે, પણ એની સાથે મારામાં ‘શિષ્ટાચાર’ના પણ અભાવ છે અને હું દેશપ્રત્યેનાં કર્તવ્યે! પ્રથમ બજાવીશ અને તે પછીજ શ્રીપ્રત્યેનાં કબ્યા બજાવી શકીશ. તેની સ્ત્રીએ આ શરતા સ્વીકારી તે પછીજ તેણે તેની સાથે લગ્ન કર્યાં તથા તે એવી તે ઉત્તમ પતિભક્ત નીવડી કે તેના જેવી સ્ત્રીએ સંસારમાં બહુ ઓછી જોવામાં આવે છે. જો કે તે સ્ત્રી તેને સદાયે પૈસાની મદદ આપ્યા કરતી, છતાંયે તે ખેતીમાં નિષ્ફળ નીવડયેા. એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy