SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક વૈદ્યકીય પ્રયોગો ૩ છોકરાંની માતાએ એ શાક ઉપરજ બે ટંક કાઢવી. તેમ કરવાથી ધાવણ બાળકનો વિષમ જવર જાય છે. (૨) પીપળાની વડવાઈ, સહદેવી, લીંડીપીપર, એ સમભાગે લઈ ચણા જેવડી ગોળીઓ કરવી. સવારે ને સાંજે પાણી અથવા દૂધ સાથે તે આપવાથી વિષમ જવર જાય છે. બાળક હુંગરે, શ્વાસ રોકાઈ કાઇને આવે, ગર્દન તથા માથું પકે અને દાહજ્વર હોય, બેચેની હોય અને ધાવે નહિ તેનો ઉપાય:-લાલચંદન ( રતાંદળી), સહસ્ત્રા, કાકડશીંગી, સુરાખાની ખીલ, એ બધી ચીજો વાટી તેમાં ચાંદીથી છમકારેલું પાણી ભેળવવું અને તે. ઔષધવાળું પાણી થોડું થોડું પાવું. કાચી ધાતુ ખવાઈ હોય તેનું વારણ:--ઝીણા પાનની દુલીને રસ પાંચ તોલા પીવરાવી તેની ઉપર કાચા કેળાનું શાક ઘીમાં વઘારીને પેટ ભરીને ખવડાવવું. બીલકુલ અજ આપવું નહિ. ત્રણ દિવસ પછી માત્ર ઘી, સાકર અને રોટલી ૬ દિવસ સુધી ખવડાવવી. સ્ત્રીના સ્તન પાકે તેના ઉપર-નાગરમોથ અને મેથી બન્ને ભેગાં કરી વાટીને બકરીના દૂધમાં પકવીને સ્તન ઉપર બાંધવાથી આરામ થાય છે. છોકરાને આમણની દવા: રસવંતી અને કાળે ઘરને પાવાથી તથા ગુદા ઉપર ચોપડવાથી ગુદાના સર્વ રોગ નાશ પામે છે. મોડું આવ્યું હોય તેની દવા:–બરડીના મૂળની છાલ, બાવળની અંતરછાલ, કટગુંદીની અંતરછાલ, જાંબુની અંતરછાલ, ચંબલીનાં પાન, માયું, દામની છાલ; એને ઉકાળી હશેકા પાણીના ડે છે. ત્યારબાદ ઉનની અંદર મેરથુથુ ફુલાવીને મોરથુથાથી ચેથા. ભાગનું સોનાગેરૂ તેમાં મેળવી દાંત ઘસવાથી દાંત પણ મજબૂત થશે. ખરજવું, પાડું વગેરે ઉપર-ઘઉને રોટલો ત્રણ પડ કર. તે રોટલાને વચલે ગાભે લઈ તેની ઉપર મોરસ ખાંડ ભભરાવીને તે રોટલો ખરજવા ઉપર બાંધી દે. ખરજવાને હવા. લાગે નહિ તે મજબૂત પાટો બે દિવસ સુધી બાંધી રાખી ત્રીજે દિવસે છોડી નાખ. એમ ત્રણ વખત કરવું. પગ કહેવાયા જેવો દેખાય પણ ફીકર કરવી નહિ. બધાય કીડા પેટલામાં આવી જશે અને તે પછી સૂકાઈ જશે; છતાં મહીને બે મહીને અસર જણાય તે ફરીથી તે પ્રમાણે કરવું. આથી તે પૂરેપૂરૂં મટી જાય છે. નાક સળે, છોડાં બાઝે, ખરાબ વાસ આવે, જીવડા પડે, અંદર નાક બેસતું જતું હોય તેના ઉપર દવા --- તલના ત્રણ તલા તાજા તેલમાં બેઠી ભોરિંગણીનાં પાંચ સોલા લીલાં. કૂલ નાખી તળવાં. ફૂલ બળી ગયા પછી કાઢી નાખી તેલ શીશીમાં ભરી લેવું. તે તેલને વાંસની સુંવાળી સળી ઉપર રૂનું પુમડું કરી તેના વડે રાત્રે સૂતી વખતે સાત દિવસ સુધી ચેમડવાથી મટી જાય છે. * સાધારણ સોજાની દવા:-સુંઠ, સરસવ, સાટોડીનાં મૂળ, સરગવાની છાલ, દેવદારનું લાકડું, એ સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી સહેજ ખદખદાવીને. ચોપડવાથી ફાયદો થશે. પગમાં ગોઠણ નીચે કાળો ઝામર થાય તેના ઉપર તથા અસાથ ગુમડાં તથા હાડગંભીર નાળાં (અંદર હાડમાંથી પરૂ નીકળતું હોય)ની દવા:–સૂકી કડવી તુંબડીને બાળી તેના અંગારાને વાસણ ઢાંકીને બુઝાવી દેવો (પાણીથી નહિ.) તે કોલસાની ભૂકી કરવી. દર્દીવાળા ભાગને દઈ પૂરેપૂરે વરછ કરી હાથે બનાવેલું પહેલી ધારનું રવચ્છ દીવેલ ચોપડી તેના. ઉપર તે ભૂકી ભભરાવવી. આ પ્રમાણે ચાર દિવસ સારી રીતે દેવું અને દવાની ભૂકી ભભરાવવી. પાટો બાંધવો નહિ, ૫ણું ખુલ્લું રાખવું અને પરૂ નીકળે તે લૂછી નાખવું. જ્યારે લાલ ચામડી આવી જાય, ત્યાર બાદ કોઈ પણ બીજો મલમ ચેપડવો. સીને મરેલું બાળક અવતરતું હોય કે પાછળથી મરી જતું હોય તેની દવા:– જમ્યા પછી ચાર પાંચ મહીને છોકરાને માથામાં ગડગુમડ થઇને બાળક મરી જાય તે જાણવું કે, એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy