SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ર શુભસંગ્રહું–ભાગ ત્રીજો ૧૩૭–શાક અને ફળસબંધી ઉપચાગી હકીકત આપણા ગુજરાતમાં ખાવા ન ખાવાની બાબતમાં વહેમ અને ધી માન્યતા ઘણી છે. જે જાતના ખારાક ધણા પ્રમાણમાં લેવા જોઇએ, તે લેતાં લેાકેા ડરે છે અને જો તે ખાય છે તે તે ઘણાજ આછા પ્રમાણમાં ખાય છે; અને જે ચીજોથી ડરતા રહેવુ જોઇએ તે ચીજોને ઘણી પ્રિય ગણી તેમનું ખૂબ સેવન કરીને લેાકેા હેરાન થાય છે. વળી કેળાં, કેરી, ટેટી જેવાં ઉત્તમ ફળેા વધારે ખાઈને તેના કાયદે મેળવવાને બદલે ઉલટા લેાકેા હેરાન થાય છે. આ સ્થળે જે વસ્તુએ ખારાક અને દવા બન્નેની ગરજ સારે છે અને જે ખાવાથી શરીર નિાગી રહે છે, તેવી વસ્તુઓની હકીકત નીચે પ્રમાણે છે. જે આપણે ઈશ્વરની લીલા તરફ નજર કરીએ તે તેણે ઝાડનાં ફૂલામાં તરેહ તરેહના રંગ, વાસ અને વળી કેટલાંક ફૂલેામાં તા મીઠાશ પણ મૂકી છે. તેણે જે જે બનાવ્યું છે તે સકારણ છે. તેમના રગ, વાસ અને મીઠાશથી જીવજં તુઓ લેાભાઇને તેમની પાસે જાય, તેમનાપર બેસે અને એક ફૂલની પરાગ ખીજે લઈ જઈ ફળ-ખ ધારણ કરે એવી કુદરતની ઈચ્છા છે. તેજ પ્રમાણે માણસનું મન લલચાઈને અમુક વસ્તુઓને ખાસ ગ્રહણ કરે તેટલા સારૂ તેમનામાં તરેહ તરેહના ટ્રંગ, વાસ અને સ્વાદ મૂક્યાં છે. કેાઈ વખત જ્યારે આપણે શાક અને ફળાદિના બજારમાં જઈ ઉભા રહીએ અને જે તે બરાબર ગાવેલ હેાય તે તેને જોઈ આપણી નજર તેમનાપર કરી જાય છે; અને તેની વાસથી આપણા મેાંમાં રસ ઝરે છે. જે ચીજોને જોઈ કુદરતી રીતે આપણું મન લલચાય, તે ચીજોને વહેમ કે ખાટી માન્યતાને લીધે ત્યાગ કરવા કે તેનાથી ડરીને થાડીક ખાવી એ ઇષ્ટ નથી. જે શાકભાજી તરફ્ માણસનું મન સ્વાભાવિક રીતે લલચાય છે તેનાં નામ રિંગણુ, દુધી, મૂળા, કાખીજ, કાલી ફલાવર, બટાકા, કાંદા અને ભાજી છે. બટાકા લગભગ સઘળાને પ્રિય હાય છે. અટાકામાં વીસ ટકા ઉપરાંત પૌષ્ટિક તત્ત્વ છે અને તે ખાધે ઘણા સારા છે. તેમાં રહેલાં તત્ત્વાથી માણસને ‘સ્પર્ધા' જેવા રોગ લાગુ પડતા નથી. આ બટાકાને પાણીમાં ખાપી નાખવાથી તેમાંનાં પૌષ્ટિક તત્ત્વા આગળી જાય છે. જેમણે વગર બાફેલા અને બાફેલા બટાકા વચ્ચેના સ્વાદમાંને તફાવત અનુભવ્યેા હશે, તે ખાત્રીથી કહી શકશે કે, માયા વગરના ખટાકામાં બાફેલા બટાકા કરતાં વધારે મીઠાશ છે. આ મીઠાશ પૌષ્ટિક તત્ત્વાની છે. ટાકા સાથે કાંદાના નિકટ સબંધ છે,તે કાંદા-બટાકાનુ એકત્ર શાક ખાનારા કહી શકશે; તેથી હવે તેની વાત કરૂ છુ. કાંદા તેા ગરીબ લેાકાની કસ્તૂરી છે એમ તેને માટે લેાકવાયકા છે. તેમાં ગંધકનાં તત્ત્વા ઘણા પ્રમાણમાં છે, તે તે ખાવાથી શરીર નિાગી રહે છે. આપણા શરીરમાં ગંધકનાં તત્ત્વ છે અને તેની ખેાટ કાંદા ધણી સારી રીતે પૂરી પાડે છે. કાંદા ખાનારને દરત સાફ આવે છે. સાંજે રાંધેલા પુષ્કળ કાંદા ખાધા હોય તે સવારના જાણું રેચ લીધે! હાય એમ થાય છે. આવાંજ તત્ત્વા જૂદી જૂદી જાતની ભાજી વગેરેમાં પણ છે અને તે ખાવાની વૈદ્યો પણ સલાહ આપે છે. આ ઉપરાંત કાચા કાંદાનું કચુંબર ખાધાથી જાર મજબૂત બને છે અને તે ખેરાક વધારે સારી રીતે પચાવી શકે છે. કૈાખીજ, વેંગણ, કાલી ફ્લાવર, મૂળા, તાંદલજો, મેથીની ભાજી અને બીજી ભાજીઓમાં ૧થી ૫ ટકાસુધી પૌષ્ટિક ખારાક છે, ત્યારે બાકીનાં તત્ત્વા લેાહી શુદ્ધ કરનાર અને રેચક છે. આ શાકા ખાનારાઓને રેચ લેવાની જરૂર નથી રહેતી. ગાજર શક્તિવક છે. ગાડીમાં કરનારા ધાડાઓને ગાજર ખાસ ખવડાવવામાં આવે છે, તેનું કારણુ આજ છે; પણુ સમજુ માણસે પોતાની અક્કલના દુરુપયોગ કરી તેને નાપાક બનાવી ખેડા છે; અને તે ગ્રહણ કરવાથી પાપ થાય છે, એમ પણ કેટલાક માને છે. સેકડે એકાદ જણને તે નડતા હેાય એમ લાગે છે ખરૂં, પણ તેથી કરીને તે છેક ખરામ છે, એમ કહી શકાય નહિ. તેના ર્ગથી અને તેમાં રહેલી મીઠાશથી મન લલચાય છે, ને તે મના કરેલી ચીજ હાવા છતાં પણ્ ઘણા તે ખાય છે. જો કાઈ શાક ખાવાથી માંદા થવાય તે તે પાક થઈ ગયેલું આરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy