SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ તંદુરસ્તી વિષે કિમતી સૂચનાઓ નંબરે પૂરવણીના ખોરાક વગર રાખવામાં આવેલાં બાળકો આવ્યાં હતાં. આ ઉપરથી માલૂમ પડે છે કે, બાળકોના ઉધરભાવ માટે નારંગી અને તે પછી દૂધ અગત્યને ખેરાક થઈ પડે છે. - બિમારી એટલે શું? કોઈ પણ જાતની બિમારી કે દુઃખદર્દમાં કુદરતને હાથ હોતું નથી, પણ આપણે પિતાને દોષ છે. જેવું વાવવું તેવું ચાખવું, એ કુદરતનો નિયમ છે. આપણે બિમારી કે દુ:ખ-દર્દીનું કષ્ટ ચાખીએ છીએ, તે આપણે વાવેલાં કરણીનાં ફળમાત્ર છે. સરકારનો કાયદો તોડવાથી જેમ ગુહે. ગારને દંડ કે કેદની વત્તી-ઓછી સજા થાય છે, તેમ કુદરતને કાયદો તેડનારાઓને બિમારી અને દરની વસ્તી-ઓછી મુદતની સજા ભોગવવી પડે છે. અગર તમારી જીંદગીની તબેહ એવી હોય છે, કે જેથી તમારું શરીર મલિનતા અને નજીઆતથી ભરાઈ જાય છે, ત્યારે રે એ તો આવવાને કે જ્યારે શારીરિક ઘર સાફ થવાની ઘણી જરૂર છે. તમારું શરીર બહારનાં તોને ચોક્કસ હદસુધી સમાવી શકે છે અને તે છતાં તે પિતાનું કૌવત ટકાવી શકીને પોતાની સાધારણ ફરજને સાચું રહે છે. - જ્યારે તમને સુસ્તી અને થાક જેવું લાગે, ત્યારે જાણવું કે, શારીરિક ઝેરની પ્રાથમિક અસરના તમે ભાગ થઈ પડયા છે. એ વખતે તમારે સમજી લેવું કે, તમારું લોહી તમને ઉત્સાહી, સચેતન અને તેજ બનાવવા માટેનાં તા ધરાવતું નથી. આ વખતે તમે મોટે ભાગે તમારી ભૂખ ખાઈ દો છો. આ વખતે જેઓ સમજણવાળા હોય છે, તેઓ તરત સમજી જાય છે. જ્યાં સુધી પોતાની ભૂખ પાછો દેખાવ દેતી નથી, ત્યાંસુધી તેઓ ખોરાકથી પરહેજ રહે છે. લેકેનો ભેટો ભાગ ભૂખ નહિ લાગવાને ભયની નિશાની સમજી કટર પાસે દોડે છે અને ભૂખ લાગવાની દવા માગે છે. પણ જ્યારે તેને લગતા કાયદાઓને તમે અમલ ન કરો, ત્યારેજ ઓછી ભૂખ ભયની નિશાની થઈ પડે છે. અગર જે ભૂખ લાગ્યા સિવાય તમે હાજરી ઉપર બોજો નાખે તો જાણવું કે, તમે આગમાં તેલ નાખી આગના ભડકાને વધારી છે. બીજા શબ્દોમાં કહું તે તમારા શરીરમાં પેવસ થયલા નજીઆતના બેજમાં વગરભૂખે હાજરીમાં ખોરાક ભરી સામે વધારો કરે છે. એનો સબબ એ કે, તમે તમારી હાજરીની શક્તિ ઉપરાંત તેની પર ખોરાકનો બે નાખે છો; અથવા તમે એવો ખોરાક લો છે, કે જેમાં તમારા શરીરનું પોષણ કરનારાં તો એાછાં હોય છે. તમારે હમેશનો ખોરાક ઘણે નરમ હોવાના કારણે તમે તે ચાવી ચાવીને ખાવામાં નિષ્ફળ નિવડે છે. અને શાહમૃગ યા મરઘીનાં બચ્ચાંની પેઠે તમારા ખોરાક એકદમ ગળી જવામાં ભૂલ કરો છો. - કુદરતે આપણને ખોરાક દળવાને માટે દાંત આપ્યા છે, પણ દળવાના સાંચાઓ અને બીજી રીતિઓની મેહોકાણે જાણે આપણા દાંત ઉપયોગ વગરના થઈ પડયા છે. આ કારણના સબબે દાંતની બિમારી આજકાલ જ્યાં ત્યાં વધી પડી છે. દાંતના ર્ડોકટરોનું કામ થકબંધ વધતું જ ચાલ્યું છે. તમને તેઓની ગરજ એટલાજ માટે પડે છે કે તમે નરમ નરમ ખોરાક ખાવાને ભારે શોખ ધરાવો છો. બીજું કારણ એ છે કે, તમે એવા ખોરાકનો ઉપયોગ કરો છો. કે જે ખોરાકમાં દાંતને મજબૂત કરનાર તત્વ મળતું નથી; અને હોય છે તો ઓછું હોય છે. દાંતની મજબૂતી અને સલામતી માટે તેને ખોરાક ચાવવાની કસરતની ધણી મટી જરૂર છે. દાંતને કસરત આપ્યા વગર મજબૂત કે સલામત રાખી શકાતા નથી. ખરબચડે બરાક કે જે તેની કુદરતી સ્થિતિમાં મળી આવે છે, તે ખોરાક ચાવવાથી દાંતને જેટલી જોઈએ તેટલી કસરત મળી શકે છે; એટલું જ નહિ પણ એથી દાંત સ્વચ્છ બને છે અને મોઢાંમાં “એન્ટી સેપ્ટિક' (કહોવાટ અટકાવનારો ) રસ ઉત્પન્ન થાય છે. એમ થવાથી દાંત પણ સ્વચ્છ અને તંદુરસ્ત રહે છે. તમારે સાચા સલાહકાર-હાજરી જરા આગળ ચાલો; બિછાનું છોડતાં તમને લાગે છે, તમને ભૂખ લાગી નથી, તે નાસ્તો લઈ તમારી હાજરી ઉપર કદી પણ ખોરાકનો વધુ નુકસાનકારક ભાર કરતા નહિ. તમારી હાજરી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy