SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ–ભાગ ત્રીજો આવાં નાણાં હરપ્રકારે અવળે પંથે પગ કરતાં અમે ઘણી વખત સાંભળ્યાં છે. ધર્મશાસ્ત્રમાં પણ ખાસ કરીને કન્યાવિક્રયને ખાધ મૂકવામાં આવ્યા છે; અને જે કાઇ કન્યાવિક્રયજ કરવાનું બધી રીતે કરે છે, તેને તે પાપી શબ્દથીજ નવાજે છે ! ૧૫૬ ધર્માંહીન વિધવા પેાતાના ગુજરાનનું સાધન પણ કન્યાવિક્રયમાંથી ગેાતે છે, કાષ્ટ ખીજી પણ ઉમેદ રાખે છે; પણ છેવટ આ પાપમય કૃત્યમાંથી કાઇ સુખને! દમ ખેંચી શકશે નિહ. કન્યાવિક્રયને નાણે વેપાર કરે તેા વેપાર તેને તાણી જાય છે, નહિ તે ચાર; નિહ તા ખીજી રીતે પણ એ સુખી તે હિજ હેાય. આવું આવું નજરે નિહાળ્યા હતાં કેટલાંક કુડાં માબાપે પેાતાને ત્યાં કન્યાપ્રાપ્તિ માટે ધન્યભાગી માને છે અને ખુશી થાય છે અને પછી શું થાય છે ? ઘરડા ડેાસાએ પેાતાની નજીકમાંજ મેાતના દરવાજા દેખે છે, છતાંય એ અક્કલન્નુઢ્ઢા ડાસા ઉપરે.ક્ત માબાપેાથી કુમળી વયની ખાળાઓને પરણાવાને નીકળે છે; અને દીકરીનાં માબાપાને તે ધરાય તેટલું ધન આપી આવી પોતાની દીકરી જેવી બાળાઓને સાટવી પરણે છે. રે ! હિં દુસમાજ ! આવી આપ-લે મનુષ્ય રાખ્યા વેચ્યા ખરેાબર ન કહેવાય ? આવા વરરાજાને જાણે મેાતજ માંડયું નથી ! એટલી બુદ્ધિ અવળી કરીને આ કામ કરે છે. આવા આધેથી માંડીને વૃદ્ધુ ડાસા જીવી જીવીને કેટલું જીવવાના હતા ? અ ંતે તે એપાંચ કે દશ વર્ષમાં આવી નાની વયની કન્યાસમાન વિધવાને અવતારે મૂકી મારીને મરે છે. પછી શું થાય છે ? આવી યુવાન વયની સ્ત્રીએ! કેટલી મુસીબતેાએ આખા જન્મારા પહેાંચી વળે? કાઇ એ દિ વહેલી તેા કાઈ એ દિ મેાડી પાપે જવાના ભય રહે છે. અને આવી બાળાઓમાં સંખ્યાબંધ અનાચારા થતા આજે હિંદુતિ નિહાળી રહી છે. ક્રાઇ મુસલમાન થઈ જાય છે. તેા કાઈ ખ્રિસ્તી બને છે અને કૈાઇ વટલી નાસી ભાગી જાય છે. આવા રિવાજ છતાંય બંધ થતા નથી, એ હિંદુસમાજની કાંઇ ઓછા અક્સાસની વાત ન કહેવાય ! એને વાંક કાને દેવા? ખરૂં પૂછે તે એ જ્ઞાતિ ધારણનીજ ખામી એક રીતે કહી શકાય. છતી આંખે જો કૂવામાં માણસા પડતા હેાય તે! આમજ ! આ પ્રશ્ન વિધવાવિવાહ આગમચ મૂકી શકાય તેમ છે ? કેટલીક બાળાઓ વૈશ્યા બને છે. ક્રાઇ નિર્વાહને અભાવે તે। કાઇ કંઇ કારણે ! અને આવી આવી વાતે જ્યારે કાઇ સાંભળે છે, ત્યારે તેનુ પથ્થર જેવું હૈયું પણ પીગળી જાય -એમાં કાંઇ નવાઈ નથી; છતાંય જાણે હિંદુસમાજ કાણુ જાણે કયા સુખે, આ બધું વિસ્મરણ કરી દે છે! એ ભયંકર વસ્તુસ્થિતિ નહિ તા ીજું શું? આથી કેટલાક પુરુષાને આમ ખૂટી જતી કન્યાને કારણે કારે મૂકતાં કાંઇ ઓછી દિલગીરી પેદા થતી નથી ? વિધુર રહેવું પડે છે. આ એક આને માટે હવે શું થવુ યેાગ્ય છે ? મજબૂતમાં મજબૂત બંધારણ થવાની ખાસ જરૂર છે; પણ એ થવાની હવે હિં'દુસમાજની હાલના ભવિષ્યમાં આશા રાખવા બહુ ભાગે નકામી જેવીજ છે; કેમકે તેના આજિનસુધીનેા દાખલા સાક્ષી પૂરે છે, ત્યારે શું કરવું ? પૈસા લેનારજ દેષિત છે એવું કશુંજ નથી. લેનાર-દેનાર એકસરખા દેષિત છે અને ખાસ કાયદા થાય તાજ આ અનાચાર અંધ પડે. રાજ્યસત્તા લગ્નને ખાસ કાયદો બાંધે તેજ ઠીક. કેાઇ પણ રીતે કહેવાતાં કઢગાં લગ્ન થવા ન દેવાને ખાસ હેતુપૂરતે એ કાયદો બસ થશે; છતાંય તેમાં અમુક કારણ અને નાણાં લેવાદેવાના સવાલ રહેશે કે કેમ ? એ સવાલ છે. હિંદુસમાજના અગ્રણીય કહેવાતા નાતના પટેલીયાની શી વાત કરવી? ગામમાં પેતે Æીમંત કે પછી તે ગામની નાતનેા પટેલ; પછી તે ભલે ગમે તેવા ધધા કરતા હોય કે પછી તેનામાં સારાસારની વિચાર કરવાની બુદ્ધિ ન હેાય, એ કાણુ જુએ છે? સાચુ પૂછે તે આમ પણ હિંદુસમાજની અધાગિત થતી જાય છે. આવા પટેલીયા લાગવગના લાભ દઇ-લઇ પાપકર્મોં કરવા ચૂકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy