SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ રાયજીવન ગ્રામ્યજીવન (લેખક:-ધૂમકેતુ: સૌરાષ્ટ્ર તા. ૨૦-૨-૨૬). પ્રજા ઉપર એકજ ઘરેડમાં રહેવાનો દોષ આવે ત્યારે એ પ્રજા મૃત્યુ પામે છે, એમ કહી શકાય; પરંતુ એક જ ઘરેડમાં રહેવાનો અર્થ એમ નથી કે યોગ્ય હોય અથવા ન હોય, છતાં ફેરકારની ખાતર ફેરફાર સ્વીકારો. ફેરફારની ખાતર ફેરફાર સ્વીકારનાર પ્રજા કરતાં, જૂના ચીલામાંથી ખસવાની ના કહેનાર પ્રજામાં શ્રદ્ધાનું બળ વધારે છે. રાજદ્વારી પરિસ્થિતિને અંગે કેટલાક અનિવાર્ય યોગ્ય ફેરફારો કરવા એ પ્રજાકીય જીવનમાં રહેલી પ્રસંગોને સમજી લેવાની વિવેકબુદ્ધિ છે; પરંતુ વિવેકબુદ્ધિ જ્યારે ખુશામતનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે કેરફારો આંધળા અનુકરણ જેવા બની જાય છે. આપણે ગ્રામ્ય જીવનમાં ફેરફાર કરવાની વિવેકબુદ્ધિ ન દર્શાવતાં, યુરોપીય શહેરી જીવનનું આબાદ અંધ અનુકરણ કરવાની ખુશામત કરી છે. પરિણામ એ આવ્યું છે કે જીવનમાં કોઈ દિવસ ઉભા ન થયેલા અનેક વિકટ પ્રશ્નો પોતાનો જવાબ મેળવવા અધીરા બની રહ્યા છે. કાં તો આપણે એમાં હોમાઈ હમેશને માટે પ્રજાકીય વિશેષતા ગુમાવી બેસવાના; અથવા તે આપણા વિચારોના પુનર્વિધાનથી નવુંજ બળ જમાવવાના. જીવન અને મૃત્યુસિવાય ત્રીજો માર્ગ નથી, માટે વિકાસ કે વિકારસિવાય ત્રીજું પરિણામ નથી. ઘણી વખત યુરે પ- અમેરિકાના દાખલાથી એમ સમજવવાને યત્ન કરાય છે કે, માત્ર આપણેજ જૂના ચીલાના રહેવાસી પછાત પડ્યા છીએ; અને હજી પણ જો આગળ નહિ વધીએ તો વધારે પછાત રહેવાના. માત્ર આપણી રાજ્યકારી જ નહિ પરંતુ સામાજિક પ્રગતિને માટે ગ્રામ્ય વનજ, આપણે વિકાસ સાધશે, એવું ઘણા માને છે અને એ માન્યતા વિશ્વસનીય છે. પુરાતન ગામડું હિંદનું ગામડું એ આજે પાંચ હજાર વર્ષનું પુરાણું મંદિર છે. છેક વેદના સમયમાં ગામ, ગેપાળ અને ગાંદરો સામાજિક જીવનમાં આગળ તરી આવે છે. ત્યાર પછીના બધા સમયમાં ગામ' આબાદ વેદની જ ઋચાની જેમ પ્રજાજીવનમાં વણાતું આવે છે. આજે યુરોપની છેલ્લામાં છેલ્લી પ્રવૃત્તિ સમાજવાદ છે. સમાજવાદના વિચારેથી ત્ય નું વાતાવરણ ભર્યું છે, પરંતુ પ્રગતિના આ છેલ્લા પગથીઆમાં, નીચે પડી જવાનાં અનેક કારણ છે. એમાં માનવજીવનનાં કેટલાંક સુંદર તોના વિનાશનું ઝેર ભર્યું છે, પરંતુ એજ પ્રશ્ન જે જે યંત્રવાદના જન્મની સાથે જન્મ પા એ છે, તેનું નિરાકરણ હિંદનાં ગામડાંમાં છેકારણકે ગ મ ાંનું જીવન સમાજવાદના ધાર્મિક અંગ જેવું છે. સમાજવાદના વિનાશક સિદ્ધાંતો સ્વીકાર્યા વિના ગ્રામ્યજીવન ધાર્મિક સમાજવાદ સ્થાપે છે. ઈ. સ. પૂર્વે ૩૨૭ માં મહાન સિંકદર આવ્યો. પૃથ્વીને નંદકુલવિહીન કરનાર સમ્રાટ ચંદ્રગુતના સમયમાં મેગાસ્થિનીસ એલચીરૂપે રહ્યો છે તે લખે છે કે, સિત્તેરથી એંશી ટકા લોક ગામડામાં રહે છે, રાજદ્વારી અને સામાજિક સર્વ જીવનનું મૂળ ગ્રામ્યજીવનમાં ન રોપાય ત્યાં સુધી હિંદુસ્થાન માટે કોઈ જીવન શક્ય નથી. ગ્રામ્યજીવનના પુનરુદ્ધારમાં સ્વાયત્ત શાસન આવી જાય છે. રોગનો ઉપાય કરવો એ તંદુરસ્તી નથી. રોગ હોય તે તંદુરસ્તી છે. રણ લાગુ પડ્યા પછી કામચલાઉ થીગડાં લગાવવામાં અને પ્રગતિ કહેનાર સત્તા કાં સ્વાથી અથવા દંભી હોય. આજના શાસનમાં ને સમાજમાં પ્રગતિમય તો હોવાનો દાવો કરવામાં આવે છે, તે વસ્તુત: આ દેશના મૂળ પાયારૂપ ગ્રામ્ય જીવનના વિનાશથી થયેલી અપૂર્વ ગેરવ્યવસ્થાને પહોંચી વળવા તૈયાર કરી રાખેલાં થીંગડાં છે ! વિનાશનાં બીજ જે રીતે આ શાસનપદ્ધતિ નિયમિત પિલીસ રાખે છે તેમ પોલીસ નહિ હોય અને શક્ય છે કે જે રીતે આજની કેળવણી અપાય છે તેમ કેળવણી પણ નહિ હોય; પરંતુ પ્રજાની સ્વાધીનતા પર આ કેટલો અનિવાર્ય બજે છે ? પ્રજાને ફેંસી નાખવાનેજ આ પ્રયોગ નથી ? અત્યારે પ્રજાકીય જીવનમાં રસાયન કયાં છે અને કયાંથી હોય ? પ્રાચીન હિંદુસ્થાનનાં ગામડાંમાં દરેકે દરેક ફળીમાં સ્વાયત્ત શાસનના સિદ્ધાંત હતા. સ્વાધીનતા, સાદાઈ ને સરળતા આ ત્રણ ધર્મની પુજા બનેલી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy