SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જગર ભનું દીનાકંદન - - - અંગ પ્રત્યંગ શિથિલ થઈ ગયું છે. મોત દોડતું ચાલ્યું આવે છે; એટલે જ્યાં સુધી તેના આકમણને અવાજ મારે કાને અથડાયો નથી. ત્યાં સુધીમાંજ મારા રોગને કંઈ પણ ઈલાજ થાય તેમ છે. આપને ચરણે પડેલા મારા જેવા પરતંત્ર અને આકુળ-વ્યાકુળ થઈ ગયેલાને તેના આગમન પહેલાં જ બચાવી લ્યો. દોડો. વાર ના લગાડશો. आसीद्यावदखर्वगर्वकरणग्रामाभिरामाकृति स्तावनमोहतमोहतेन न मया श्वभ्रं पुरःप्रेक्षितम्। अद्याकस्मिकपातकातरमतिःकंप्रार्थये कंश्रये किं शक्नोमि करोमि किं कुरु कृपामात्मद्रुहं पाहि माम् . મારી ઈદ્રિયોની શક્તિ ક્ષીણ નહોતી થઈ, ત્યાં સુધી તેઓ તેની સ્વાભાવિક સ્થિતિમાં હતી, ત્યાં સુધી મારા ગર્વનું ઠેકાણું નહોતું. હું મારી જાતને ખુબ જ પ્રેમમૂર્તિ-ખુબજ રૂપવાન સમજતા હતા. તે કાળે અજ્ઞાનરૂપી અંધકારમાં પડવાથી હું આંધળો થઈ ગયો હતો અને આંધળાને તે સામેની ચીજ પણ દેખાતી નથી. આથી મને મારી દૃષ્ટિ સામેનોજ ખાડો ન દેખાય. પરિણામ એ આવ્યું કે હું તેમાં અકસ્માત પડી ગયું અને હવે અત્યારે અત્યંત ભયભીત થઈને રૂદન કરું છું. હાય ! હવે આ વખતે હું કોને પોકારૂં ? કે આશરો શોધું ? કોની પ્રાર્થના કરું ? મને કંઈ પણ સુઝતું નથી. ભગવાન, હવે તો આપજ મારો ઉદ્ધાર કરો તે થાય. કૃપા કરીને મારો ઉદ્ધાર કરે. મને–આત્મશત્રુ-આત્મહીને બચાવી લ્ય जात्यन्धः पथि संकट प्रविचरन्हस्तावलंबं बिना। यातश्वेदवटे निपत्य विपदं तत्रापराधोऽस्य कः ।। धिग्धिक् मां सति शास्त्रचक्षुषि सति प्रज्ञाप्रदीपे सति । स्निग्धे स्वामिनि मार्गदर्शिनि शठः श्वभ्रे पतत्व यः ॥ કલ્પના કરજે કે કોઈ જન્માંધ મનુષ્યને કોઈ ભારે જરૂરી કામ માટે એક મહા ઘનઘેર રસ્તે જવું થયું. દુર્ભાગ્યવશ તેને કોઈ હાથને સથવારે આપી તે રસ્તેથી દૂર લઈ જનાર પણ ના મળ્યું. માર્ગદર્શક સિવાયજ તેને તે રસ્તે જવું પડયું. ચાલતાં ચાલતાં રસ્તામાં એક ઉંડો ખાડો આવ્યો. તેમાં પડીને તે મરી ગયો. તે સ્થિતિમાં તે બિચારાનો છે અપરાધ ? શું કોઈ તેને દેષ કાઢી શકે? પરંતુ મને શઠને તે જુઓ. હું આંધળો નથી. બે સ્વાભાવિક આંખો સિવાય ત્રીજી શાસ્ત્રરૂપી આંખ પણ મને પ્રાપ્ત થયેલી છે. બુદ્ધિ-વિવેકરૂપી દી પણ મારા હાથમાં છે. આપ જેવા દયામય સ્વામી મારા માર્ગદર્શક પણ મેજુદ છે, તેય પણ હું દેડીને ઉંડા ખાડામાં જઈ પડે છું, તેથી મારા જેવા મહા મૂઢમતિને ધિકકાર હો ! અનેકવાર ધિક્કાર છે ! त्राता यत्र न कश्चिदस्ति विषमे तत्र प्रहर्तु पाथि। द्रोग्धारो यदि जाग्रति प्रतिविधिः कस्तत्र शक्यक्रियः ।। यत्र त्वं करुणार्णवत्रिभुवनत्राणप्रवीण: प्रभु-। स्तत्रापि प्रहरन्ति चेत्परिभवः कस्यैष गर्दावहः ॥ માની લ્યો કે કોઈને એવા કોઈ વિષમ માર્ગથી જવાનું છે કે, જ્યાં વધ કરનારાઓ, ચોરો રાએને ખૂબ ભય છે અને રક્ષણને કઈ પણ ઉપાય નથી. આ દશામાં જે મુસાફર લૂંટાઈ જાય અથવા જાનથી હાથ ધોઈ બેસે તો કાઈ શું કરે છે કેમકે આવી મુશ્કેલીઓનો કંઈપણ ઉપાયજ નથી, પરંતુ કરૂણાના મહાસાગર અને એકનાજ નહિ પણ ત્રણે ભુવનેનું રક્ષણ કરવામાં પરમ પ્રવીણ આપ જેવા જે માર્ગના રક્ષક છે, તેજ માર્ગેથી જનારો કોઈ મુસાફર લૂંટાય કે જાનથી જાય તેમાં લઘુતા કોની છે ? તેમાં નિંદા કોની છે ? તે મુસાફરની નહિ. પરાજયને જવાબદાર તે કદાપિ નથી. જવાબદાર તો રક્ષકજ ગણાશે; અને એ પરાજય પણ તેને જ ગણાશે. किं शक्तेन न यस्य पूर्णकरुणापीयूषसिक्तं मनः । किं वा तेन कृपावता परहितं कर्त समर्थो न यः ॥ शक्तिश्चास्ति कृपा च ते यमभवादभीतोऽपि दीनो जनः। વાતો નિઃશ: પુર: રમત: સ્વામી સ્વયં જ્ઞાાતિ | જે પુરુષનું મન પૂર્ણ-કરૂણારૂપ અમૃતથી ભિંજાયેલું નથી, તેનું શક્તિમાન હવું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy