SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ સામે બડાઈ મારી છે કે ? ન મારી હોય તે મારા બોલવા તરફ ધ્યાન આપે. મને અમૃતમાર્ગ દેખાય છે. એ માર્ગે જવાથી તમને જલદીથી જ મોક્ષ મળશે, એવી હું ખાત્રી આપું છું.” આમ કહીને ધીમે ધીમે બુદ્દે તેમના મનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરીને ઉપદેશ આપવાનો આરંભ કર્યો. આ ઉપદેશને “ધર્મચક્રપ્રવર્તન' એવું નામ સંચસંયુકતના બીજા વગમાં, વિનય-ગ્રંથન મહાવર્ગમાં તેમજ લલિતવિસ્તરના છવીસમા અધ્યાયમાં આપ્યું છે. બુદ્ધને ધર્મોપદેશ:-ઋષિપત્તનમાં મૃગવનની અંદરના નિવાસ વખતે બધે ઉપદેશ આપ્યા તે આવે છે -એ ભિક્ષુઓ ! કાપાગ અને દેહદંડ આ બન્ને અતિરેક છોડી દેવા જોઈએ. ઉપશમ, પ્રેમ ને સંબધ આપનાર, જ્ઞાનચક્ષ ઉઘાડનારો એ મધ્યમ માર્ગ તથાગતે (બુદ્ધ) શોધી કાઢયો છે. તે માર્ગ કે ? સમ્યફસંકલ્પ, સમ્યવાચા, સમ્યક્રમં, સમ્યક્ આજીવ, સમ્યવ્યાયામ, સમ્પમૃતિ, સમ્યક્રસમાધિ આજ તે આર્ય અષ્ટાંગિક માર્ગ છે. સંસાર દુ:ખમય છે ને તેનો નિરોધ કરવો જોઈએ, એ આર્યસત્ય છે એવું સમજાયા પછી જ મને નવીન દૃષ્ટિ આવી ને મને નો પ્રકાશ દેખાવા લાગે.” બુદ્ધધર્મનો આધારભૂત ઉપદેશ તે આજ. સચ્ચસંયુતમાં આ વિષય ઉપર ૧૩૧ સુ છે. અહિંસા, સત્ય, અસ્તેય, અવ્યભિચાર અને અપેય આ તો બુદ્ધકાળનીચે અગાઉથી પ્રચારમાં હતાં. નિગ્રંથોના અર્થાત નોના જે પંચયામ તેના આધારે આ ઉપર જણાવેલાં તો અસ્તિત્વમાં આવ્યાં છે. પણ જે આર્ય અષ્ટાંગિક માગે છે, તે માત્ર બધે પોતે આત્માનુભવવડે પ્રતિપાદન કરેલો નવો માર્ગ છે. બુદ્ધનું વૈશિષ્ટય આ આયં અષ્ટાંગિક માર્ગમાં જ હતું. બેટી દયાના નામ નીચે અપરંપાર નિષ્ક્રિયતા વધી હતી, તપશ્ચર્યાને નામે અનેક પ્રકારના દેહદંડનના માર્ગ ખૂબજ વધી પડયા હતા, પણ પાણીસિવાય તરફડનારાં માછલાંની જેમ વિલ થયેલા એવા સંસારી લો સારૂ અદ્યાપિ કોઈએ જ વિચાર કર્યો નહોતો. દયાભાવનાને વ્યાવહારિક ને ક્રિયાત્મક સ્વરૂપ આપવું એજ બુદ્ધનું મુખ્ય ધ્યેય હતું. સાર્વત્રિક શાંતિનો પ્રસાર થવાને બુદ્ધમાગંજ એ વખતે અત્યંત સકાલિક હતા, એમ કહેવાનો હરકત નથી. આર્ય અષ્ટાંગિક માર્ગ આ માર્ગ એ શું છે અને હવે આપણે વિચાર કરીએ. (૧) સમદષ્ટિ એટલે જગ એ દુઃખમય છે, દુઃખનું નિરસન કરીને જગતમાં શાનિતની સ્થાપના કરવી હોય તો લોકોએ એકબીજાની સાથે સત્યથી ને પ્રેમથી સ્વાર્થ છેડીને વર્તવું જોઈએ એવું જ્ઞાન થવું તે (૨) પિતાનું જ સારું ને પિતાનું જ કલ્યાણ થાય એવા સંકલ્પને ત્યાગ કરીને દુનિયામાં સુખશાનિતનું સામ્રાજ્ય સ્થપાય ને વિશ્વ પ્રેમમય બને એવો સંકલ્પ કરે, એજ સમ્યકુસંકલ્પ. (૩) અમંગળ ને બીજાને દુઃખ દેનારા શબદ ન ઉચ્ચારતાં સદા સુંદર, મધુર અને પ્રેમમય વાણીનો ઉપયોગ કરવો એજ સમ્યવાચા. (૪) હિંસા, ચોરી, વ્યભિચારાદિને ત્યાગી દઈ લેકહિતના કામમાં હંમેશાં નિરત રહેવું એજ સમ્યકર્મ, (૫) લોકોને ફસાવીને ઠગબાજીવડે કિંવા હિંસાથી પેટ ભરવાનું છેડી દઈ શુદ્ધ સાત્વિક ને પ્રામાણિક માર્ગે પિતાને ઉદરનિર્વાહ કરવો, એજ સમઆજીવિકા. (૬) હું દુર્બળ છું, નિર્બળ છું વગેરે નિરૂત્સાહીને કાર્યાધાતક કલ્પનાઓને ન સેવતાં અત્યંત શુદ્ધસાત્વિક એવા ઉત્સાહથી સત્કાર્ય કરવાને પ્રવૃત્ત થવું, એજ સમ્યવ્યાયામ. (૭) મનમાં અકુશળ વિચારોને સ્થાન ન દેતાં કુશળ વિચારોને જ એકસરખે પરિપષ કરતાં રહેવું એજ સમ્પત્તિ . (૮) મનની ચંચળતા દૂર કરીને સ્થિર એવી શાંતિમાં મનની સ્થાપના કરવી એજ સમ્યફસમાધિ. આ આ આર્ય અષ્ટાંગિક માર્ગ નિવૃત્તિ તથા પ્રવૃત્તિ એ ઉભયથી યુક્ત એવો છે. અકુશળનો પરિત્યાગ, કુશળને પરિષ ને નિષ્કામતા, એ ત્રણે આ માર્ગનાં મુખ્ય લક્ષણ છે. કેટલાક આક્ષેપકીને ઉત્તર-બૌદ્ધધર્મને લીધે નિષ્ક્રિયતા વધી, અહિંસા તત્ત્વથી અનર્થ થયો વગેરે આક્ષેપ કેટલાક પાશ્ચાત્ય પંડિતો તરફથી અને તેમનું અનુકરણ કરવામાં ભૂષણ માનનારા કેટલાક વિદ્યાવિભૂષિત વિદ્વાનો તરફથી કરવામાં આવે છે; પણ એ આક્ષેપ બિલકુલ ખોટા છે. જે ધર્મની સ્મૃતિવડે લાખો ભિક્ષુઓએ ઘરબાર છોડીને ધર્મપ્રચારને માટે વિચરી અનેક સંકટો સહન કરીને દક્ષિણનાં સિંહલદ્વીપથી તે ઉત્તરે બેહરિંગની સામુદ્રધુનીપર્યંત ને પૂર્વ પીળાસમુદ્રથી તે પશ્ચિમે ઈજીપ્ત દેશપર્યત પિતાની ધર્મધ્વજ ફરકાવી, એ ધર્મને નિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy