SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ “લહરાતી હૈ ખેતી દયાનંદ કી ૩૮૫ પડેલો મહાપ્રશ્ન ! આ પ્રશ્નને હાથમાં લઈ કેવળ પંપાળી હાથ ફેરવી પાછો મૂકી દેવાય એવો નિમાલ્ય હવે નથી રહ્યો. એ પ્રશ્ન આજ છેવટનો હિંદુધર્મનો ફેંસલો કરી નાખવા તૈયાર થયો છે. તે કહે છે કે, મારું-અસ્પૃશ્યતાનું નિવારણ કરી હિંદુજાતિ અમર થાઓ અથવા આ સંસારમાંથી તેનું નામનિશાન નાબુદ થાઓ. કાં તો તેના નિવારણથી ફરી આર્ય સંસ્કૃતિ અને હિન્દવી સ્વરાજ્યને હાંસલ કરે અગર ઋષિમુનિઓના નાનાવિધ તપસંચિત અમર વારસાને દફનાવી વિંધમીએના પગતળે છુંદાઈ અદશ્ય થઈ જાઓ. આ મહાપ્રશ્ન હવે સમાધાનનીતિ-બાંધછોડની નીતિ નથી ચાહતો. તે એક ઘાએ ચોખા બે કટકા કરવા માગે છે. તે તો આજ ૨ સ્વરે ગગન ગજાવતે કહે છે કે, કાં તે છે અને જીવાડો અથવા મરો અને નાબુદ થાઓ. હા કે ના એકજ સ્પષ્ટ ઉત્તર. ચેખો અને ચટ ફેંસલો તે પ્રશ્ન માગે છે અને તે પણ તુર્તજ. તે અમુક મુદતને હવે ઓળખવા ના પાડે છે. તે પ્રશ્ન આજ સ્વરૂપ ધારણ કરી ભયંકર વિકાળતા ધારણ કરી છે. તેના ઉકેલમાંજ આર્યજાતિ-હિંદુજાતિનું જીવન છે, તેના નકારમાં જ તેનું મૃત્યુ ઉભું છે. તેના નિવારણથી આવતા નવજીવનને ખાળવા ઇસાઇત કે મુસલમાનીયત જરાય શક્તિમાન નથી અને તેના નકારથી હિંદુજાતિના આવતા મહામૃત્યુને પણ ખાળવા કેઈ ધવંતરી સમર્થ નથી. એવો અનુભૂત અને અશ્રુત મહાપ્રશ્ન આજ ભારતના સામાજિક, ધાર્મિક, રાજનૈતિક પ્રત્યેક ગગનમાં ગાજે છે અને દરેક ક્ષેત્રને પિતાના સૂરથી તે તરફજ ટકટકી લગાવતું આ કર્ષિત કરી રહ્યો છે. સંસારના ઈતિહાસમાં આ મહાપ્રશ્નની મહત્તાની જેડીનો બીજો પ્રશ્ન નહિજ હોય. જે અને જીવન અને મૃત્યુની દાંડી કેવળ હા કે ના ઉપર ધરી હોય તેવો પ્રત સમગ્ર સંસાર આજ પહેલ વહેલો ભારતમાં અનુભવે છે. આ સ્થિતિ છે માટે જ અસ્પૃશ્યતાનિવારણનો પ્રશ્ન એટલે ભારતના જીવન-મરણનો મહાન. અમે નિર્ભય થઈ એ પણ કહી શકીશું કે, આ પ્ર નની મહત્તા પાસે સ્વરાજ્ય અને ચરખાના પ્રશ્નો સૂર્ય આગળ પતંગિયાસમાન તુચ્છ છે. જેને નિકાલ સૌથી પહેલા કરવાનો છે તે આજ, અને આ એકજ મહાપ્ર”ન છે. અસ્તુ. આ પ્રશ્નની ગ ભીરતા આજથી પચાસ વર્ષો પૂર્વે તે અદભુત દ્રષ્ટા મહી દયાનંદ પારખેલ, જેને આજે અમે હજી પણ તેટલી ગંભીરતાથી અનુભવી શકતા નથી. તેમણે તર્કથી અને દલિલોથી, શાસ્ત્રાથી અને વેદોથી, મનુષ્યતાના નામથી અને દયાના નામથી,પાપના પ્રાયશ્ચિત્તના પ્રકારથી અને ઉજજવળ ભાવિ થવાના સદભપ્રાયથી એનો નિકાલ કર્યો કે, અસ્પૃશ્યતા–એક ભાઈ જેવા ભાઈને-એકજ પરમ પિતાના અમૃતસંતાનને અડકવા ના પાડવી, અડકતાં અભડાઈ જવાની વૃત્તિ રાખવી, તે પ્રભુ પિતાનું ભયંકર અપમાન કરવા બરાબર છે. કોઈ વેદ, કઈ ધર્મગ્રંથ મનુબાંધવને બહિષ્કાર કરવા ના પાડે છે અને જે તેમ કરવા કહ્યું છે તે શાબ્રજ નથી. તે ધૃત-અપ ચ છે.માયાવી રાક્ષસની દાનવી-લીલા છે.અઘોર નરકાસુરનું ઘર નર્ક-તાંડવ છે ! કોઈ જન્મમાત્રથી જ અસ્પૃશ્ય નથી, તેમ કોઈ જન્મમાત્રથી જ સ્પૃશ્ય નથી. સત્ય, ન્યાય, સમભાવ, પ્રેમ, પવિત્રતા, સદાચાર, એ જેમાં જેમાં હોય, ગમે તે દેશની ગમે તે જાતિમાં-તે તે સ્પૃશ્ય છે; અને તવિપરીત-અનાચારયુક્ત જાતિ કોઈ પણ દેશની ઘમંડખોર કાં ન હોય-તે તે અસ્પૃશ્ય છે. જન્મ અમુક જાતિમાં થવો એનો કંઈ હિસાબ નથી. ગુણ, કર્મ અને સ્વભાવ એજ પ્રધાન વિચારણીય છે. ટુંકમાં ધર્મ એ સ્પૃશ્ય અને અધર્મ એ અસ્પૃશ્ય છે. ધર્મ કોઈ એકજ દેશની એકજ જાતિની બાપુની મિલકત નથી. જે ધારણ કરે તે ધાર્મિક અને જે ધાર્મિક તેજ સ્પૃશ્ય. આ તે આદશ દ્રષ્ટાની આજના મહાપ્ર”નપર ૫૦ વર્ષ પૂર્વેની મીમાંસા હતી, જે આજ પણ જેવી ને તેવીજ ઉભી છે. બલકે આજ તે મીમાંસા વધુ સ્પષ્ટ સ્વરૂપમાં નજરે તરવરવા લાગી છે. અર્ધી સદી પૂર્વે દયાનંદની આ મીમાંસા તે સમયના જનસમાજને કડવી લાગી, પણ આજે તે મહષધિ સમાન તેને નવજીવન દઈ રહી છે. એને માટે જ અમે આજના અમારા લેખનું મથાળું એ રાખ્યું છે. અસ્તુ. આ મહાપ્રને આજે કેવું ગંભીર રૂપ લીધું છે અને તેના નિરાકરણમાંજ અમારું જીવન તથા મુરિ છે, તે બતાવવા અને તે સાથે દયાનંદના ઉપદેશને વિજય સુ વવા હું નીચલું ખ્યાન (સ્થલાભાવ ધ્યાનમાં હોવા છતાંયે) રજુ કરીશ. ૨. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy