SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સાપ ઉતારવાનો ઘરગથ્થુ ઉપાય ૩૯૭ સાપ ઉતારવાના ઘરગથ્થુ ઉપાય (મોડર્ન રિવ્યુ માંથી અનુવાદક.ન્યુ. ધ. પટેલ) સ્વામી વિવેકાનંદના શિષ્યો દ્વારા ચાલતા “ પ્રબુદ્ધ ભારત” નામના માસકમાં સાપ ઉતારવાને સાદો ઉપાય નીચે પ્રમાણે આપવામાં આવ્યો છે. આશા છે કે, સુજ્ઞ માણસો તેને ઉપયોગ કરી જનસમાજને આવા ઘરગથ્થુ ઉપાયોથી પરિચિત કરશે. “ હિંદુસ્તાનમાં સાપ કરડવાથી જેટલાં મરણ થતાં હશે તેટલાં મરણ બીજે ભાગ્યેજ થતાં હશે. આજકાલ સા. વિંછી ઈ. ઉતારવાની રામબાણ દવાઓ જાહેરખબરોઠારા પ્રસિદ્ધ કરવામાં આવે છે, પણ આમાંની ઘણી દવાઓ નિરર્થક હાઈ ફક્ત પૈસા કમાવા માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. બીજી મુશ્કેલી એ પણ છે કે, સારી દવાઓની જાહેર ખબર નિરક્ષર ગરીબ ગામડાની પ્રજાને પહોંચતી નથી; જ્યારે સાપ,વિછી છેને ઉપદ્રવ ગામડાંઓમાં વધુ પ્રમાણમાં હોય છે. અમો પણ જે અહીં લખીએ છીએ તે ગામડાંઓમાં નહિ પહોચે, તો પણ અમારા ઉપાયો એટલા બધા સાદા અને ઘરગથ્થુ છે કે, સુજ્ઞ માણસો જીવદયાની ખાતર પણ આ ઉપાયની અજ હશે; અને જો આ ઉપાય ફળીભૂત થાય છે તેનાથી જનસમાજને બને તેટલો પરિચિત કરશે.” “ થડા વખત પહેલાં અમારા આશ્રમમાં ખબર આવી કે, પાસેના એક ગામમાં કોઈને સાપ કરી છે. તુરતજ બે સ્વામીએ તે ગામમાં ગયા અને નીચે પ્રમાણેનો ઉપાય અજમાવ્યો. સારા ભાગે ત્યાંના માણસે જાણતા હતા કે, ડંખ ઉપરના ભાગને મજબૂત બાંધી લેવામાં આવે તે લેહીદ્વારા સાપનું ઝેર શરીરમાં પ્રસરી જશે નહિ; તેથી તેઓ એ દરદીને જ્યાં સાપ કરડ્યો હતે, ત્યાંથી થોડે છેટે ઉપરના ભાગને મજબૂત બાંધી લીધો હતો, પણ આ ઉપાય લેવામાં બહુ ઢીલ થયેલી હોવાથી ઝેર આખા શરીરમાં વ્યાપી ગયેલું હતું અને સ્વામીએ ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે દરદી પૂરેપૂરી બેભાન સ્થિતિમાં હતો. તેઓએ તુરતજ તુલસીનાં પાંદડાન અને કેળનો રસ કાઢ. તુલસીનો રસ માથે, કપાળે, ગળે, છાતીએ, નાભિએ વગેરે જગ્યાએ ઘસવા માંડી અને કેળનો રસ પાંચ દશ મિનિટ ચમચો, અડધે ચમચે પાવા માંડ્યો. છ-સાત કલાકના આ પ્રમાણેના સતત પ્રયાસ પછી દરદીને કંઈક ભાન આવવા માંડયું. આટલી બધી મેડી અસર થવાનું ઘણું કારણ તે એક છે કે, આ ઉપાયની અજમાયશ સાપ કરડ્યા પછી લગભગ આઠ કલાક પછી લેવામાં આવી હતી. લગભગ સવારમાં ૯ વાગે આ ઉપાયની શરૂઆત થઈ હતી. જ્યારે ધીમે ધીમે ભાન આવતું ગયું, ત્યારે વળી એક બીજા ઉપાયની અજમાયશ કરવામાં આવી. ડંખ ઉપર એક ચીરે કરવામાં આવ્યું અને પછી એક નાના મરઘાના બચ્ચાની ગુદા ઉપર પણ એના જેવા બીજ ચીરો કરવામાં આવ્યું. પછી મરધાની ગુદાવાળો ચીરો પેલા ડંખના ચીરા સાથે જોડવામાં આવ્યો. આવી રીતે પાંચ મરઘાં સાપના ઝેરથી મરી ગયાં. છઠું મરઘુ જીવ્યું અને દરદીને પણ ભાન પછી ગુદાના જળપ્રયોગથી (એનીમાથી)ઝાડે કરાવવામાં આવ્યો. દરદીને ધીમે ધીમે સારું થતું ગયું અને ૨૪ કલાકમાં તે પહેલાંના જે સાજો થઈ ગયો.” “ ઉપર પ્રમાણેને ઉપાય કેટલાકને ગુંચવણભરેલો લાગે અને વળી મરઘાનાં બચ્ચાંના ઉપયોગથી કેટલાક ડરી જઈ આ સાદા અને ઘરગથ્થુ ઉપાયને ઉપગ ન કરે; પણ તેમને માટે અમો ભાર દઈને કહીએ છીએ કે, એકલા તુલસી અને કેળના રસના પ્રયોગથી સાપનું ઝેર પૂરે પૂરું નાબુદ થતું જોવામાં આવ્યું છે. મરઘાના પ્રયોગથી તો કદાચ જલદી ઝેર ઉતરી જાય એટલું જ. સાથે સાથે બીજા સ્વામીઓએ સાપ ઉતરવાના બીજા ઘરગથ્થુ ઉપાયોની અજમાયશ કરી છે, તેની નોંધ લેવી ઠીક થઈ પડશે.' “ તુલસીને બદલે કમળના મૂળનો ( ઘમ થ્રીન૪ ) અથવા રામ્બાનો અથવા કુંવારના પાઠાને રસ અને કેળના રસને બદલે કપાસના પાંદડાનો રસ હોય તો પણ ચાલશે; પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે, કમળના મૂળને રસ ફક્ત માથા ઉપરજ લગાડવો. જે આમાંની કોઈ પણ વસ્તુ ન મળી આવે તે પછી ફક્ત તુલસીનો રસ ચોપડવો અને પાવો. આથી આરામ થશે. જ્યારે દરદીની સ્થિતિ હાથથી ગઈ હોય તે વખતે પણ દરદીને શરીરને તુલસીને રસ પડવાથી કંઈક ભાન થયેલું જણાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy