SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ‘માનવજીવનનું ધ્યેય અને સાય’ સામાન્ય રીતે મનુષ્ય સંસારમાં રહીને સંપૂર્ણ રીતે ત્યાગી થઈ શકતા નથી, ફક્ત કાઈ વિરલજ તેમ કરી શકે છે. સામાન્ય પ્રકારના માનવેને માટે સંસાર સેવ્યા બાદ ચતુર્થાંશ્રમમાં પ્રવેશ કરી નીતિમય જીવન ગાળીને, જીવનનું પરમ ધ્યેય પ્રભુપ્રાપ્તિ મેળવવાનું છે. તે પ્રાપ્ત કરવા ઉત્તમ રાહ સમજપૂર્વકના ત્યાગ છે અને તેમાંજ જીવનની મુક્તિ સમાઇ છે. તેજ જીવનનું સાફલ્ય છે. ૩૬૨ સ'સારી જો સ'સારનું વિધિપૂર્વક સેવન કરે, તે તે ત્યાગીના કરતાં વહેલા સસારસાગર તરી જાય; પરંતુ કમભાગ્યે વર્તમાનકાળમાં એવેશ વિધિયુક્ત આદર્શી સૌંસારસેવનમાં રહ્યાજ નથી. એજ ભારતવર્ષ છે, કે જેના ભૂતકાળમાં અસ`ખ્ય પુરુષા પેાતાને તથા દેશને અપનાવી ગયા છે અને વિશ્વને કર્મ તથા ત્યાગના પાડે! શીખવી ગયા છે. તેજ આજનેા ભારત કેવી દશામાં છે ! પરદેશીઓના પાદપ્રહાર સહન કરી રહ્યા છે અને જીવનનું ધ્યેય ફક્ત કંગાલ રીતે જીવવામાં મનાય છે. એ કાના વાંક ? દેશના કે ધ્રુવના ? દેવાને પણ દૂ`ભ એવા મનુષ્યાવતારને પ્રભુપ્રાપ્તિ અર્થે ઉપયોગમાં લેવે, એજ માનવીની પવિત્ર ફરજ છે, એજ સર્વોત્તમ જીવનનું સાફલ્ય છે. માનવજીવનની સાર્થંકતા તેમાંજ સમાઇ છે. નીતિ અને ધર્મ માટે જે નિયમા ઘડાયા હોય છે, તે ધર્મ કહેવાય છે અને તેને અનુસરનાર મનુષ્ય ધાર્મિક કહેવાય છે. તેમ ન કરનાર સમાજને તેમજ પ્રભુ ગુન્હેગાર ગણાય છે. યાદ રાખવું કે, ધર્મ રક્ષણમાટે છે, હું કે ભક્ષણમાટે, ધર્મ ધર્મનું રક્ષણ કરે છે. કાઇ પણ મનુષ્ય જો ધનુ યથા` રીતે પાલન કરે, તે ધર્મ તેનું અવશ્ય રક્ષણ કરે. આ સનાતનસિદ્ધ સિદ્ધાંત છે. ધર્મોપાલન એ અંતઃકરણ પવિત્ર કરવાનું સાધન છે અને તેજ પ્રમાણે સંયમ તથા નીતિ મનુષ્યજીવનને ઉત્તમ, સંસ્કારી અને સફળ બનાવવાનાં ઉત્તમ સાધને છે. ધ્યેય અને તેના સાફલ્ય સાથે, મનુષ્ય પેાતાનું જીવન સંસારમાં કેવી રીતે પસાર કરે છે ! તે જાણવાની પણ અત્યારે ખાસ જરૂર છે. આ વિષે આ સ્થાને યથાશક્તિ વિવરણ કરીશ તે અસ્થાને નહિ ગણાય. મનુષ્યજીવનપર દેશકાળનું વાતાવરણ ઘણી સારી રીતે અસર કરે છે. પાંચ હજાર વર્ષોંપૂર્વેના મનુષ્યનાં ધ્યેયેા અને આધુનિક માનવીએનાં ધ્યેયે ! ! ! એ ખતેમાં ઘણા તફાવત નજરે પડે છે. તેનું કારણ ? દેશની આધુનિક દશા. આપણે હવે પાંચહજાર વર્ષોં પૂર્વેના માનવજીવનપર અને તેમની દશાપર ઉડતી નજર નાખીએ. તે સમયના મનુષ્યા સંપીલા અને કળાકૌશલ્યમાં પ્રવીણ હતા. સંસ્કૃત વાણીના પુષ્કળ ફેલાવેા હતા. લોકેા આધ્યાત્મિક વિષયના અભ્યાસી હતા. પરદેશસાથેના વાણિજ્ય થકી, આર્થિક સ્થિતિમાં સુંદર વધારા કરતા હતા. રાજવ્યવસ્થા ઘણી ઉત્તમ હતી. લેાકેા ચતુર અને સુધરેલા હતા. સમૃદ્ધ અનહદ હતી અને ભરતખંડની કીર્તિ સમસ્ત ભૂમડળમાં સર્વોત્તમ હતી. હવે અર્વાચીન સ્થિતિ ભાળીએ...... રાજ્યક્રાંતિને અંગે મનુષ્યજીવનમાં અજબ ફેરફાર થયા છે. પરદેશી, વિલાસી અને સ્વાર્થી રાજ્યકારાના કારણે મનુષ્ય તથા દેશની સ` રીતે સંપૂર્ણ પાયમાલી થઈ રહી છે. “ યથા રાજા તથા પ્રજા ના ન્યાય પ્રમાણે, પ્રજામાં પરદેશીઓના તમામ દુર્ગંણા પ્રવેશ્યા છે. પ્રજા વિલાસી, સ્વાર્થી અને નિી ખતી છે; અને લેાકેામાં આત્મવિધિત્સા, અભિમાન વગેરે ગુણા વધ્યા છે; તેથી કરીને પ્રજાના આયુષ્યના ક્રમનેા ભંગ થયેા છે-અર્થાત્ પ્રજા અલ્પાયુષી થઈ છે. .. આવા સંજોગામાં મનુષ્યેા ધ્યેયવિનાના જીવે છે; અને ધ્યેયવિનાનું “ જીવન ” ધણીવિનાના ઢાર જેવું છે, મનુષ્યજીવનની ઉન્નતિમાટે, ખરૂં જીવન જીવી જાણવામાટે, તેમજ જીવન સાક કરવામાટે કાઇ મહાપુરુષની જરૂર છે. વેદવેદાંતનાં રહસ્યા સમજાવવા, સમાજના સડા દૂર કરવા, કસૂત્રના મ`ત્રા સુણાવવા, કાઈ જ્ઞાનીએની આવશ્યકતા છે. દેહનૌકાને સંસારસાગરમાંથી તારીને મેક્ષિકનારે પહેોંચાડનાર જ્ઞાનરૂપી સુકાનીતી જીવનસાફલ્યમાટે જરૂર છે. પ્રભુ તે પાર પાડે, એજ અભ્યર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy